આજકાલ દરેક લોકો બહારનું ખાવા પીવાનું ખૂબ જ પસંદ કરે છે પરંતુ બહારની ખાણી પીણીમાં થતી ભેળસેને કારણે વ્યક્તિઓ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. અવારનવાર સ્વાસ્થય સાથે થતી છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. છતાં પણ લોકો બહારનું ખાવા પીવાના વધારે શોખીન જોવા મળે છે.
આવી જ એક સ્વાસ્થ્ય સાથે જ થતી છેતરપિંડીની ઘટના હાલમાં સામે આવી છે. જે જોઈને દરેક લોકો ખૂબ જ ગુસ્સે થયા છે. આ ઘટના દિલ્હીથી-મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બની છે. ટ્રેનમાં અવારનવાર ફેરયાઓ ખાણીપીણીની વસ્તુઓ મુસાફરોને આપી રહ્યા હોય છે અને મુસાફરો પોતાની ભૂખને સંતોષવા માટે ફેરયાઓ પાસેથી ખાવાનું ખરીદી રહ્યા હોય છે.
પરંતુ આજકાલ ફેરયાઓમાં ખૂબ જ બેદરકારી જોવા મળી રહી છે. રેલવેના કેટરિંગ વિભાગની એવી મોટી ભૂલને કારણે એક બાળકીએ પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે ઘણા બધા વ્યક્તિઓ ટ્રેનમાં બેઠા હતા. તે સમયે એક વ્યક્તિ તેમની બાળકીને લઈને મુસાફરી કરી રહ્યા હતા.
બાળકીને ભૂખ લાગી હોવાને કારણે બાળકીના પિતાએ ફેરયા પાસેથી પૂરી અને શાકનો ઓર્ડર કર્યો હતો. જેના કારણે મુસાફરને તેમનો ઓર્ડર થોડા સમય પછી ફેરયો આપવા માટે આવ્યો અને એક બોક્સમાં પૂરી અને એક બોક્સમાં શાક આપીને જતો રહ્યો ત્યારબાદ મુસાફર પોતાની નાની બાળકીને જમાડવા માટે બેસી ગયા હતા.
અને ડબ્બાને ખોલતા જ જોયું તો મુસાફર ત્યાંને ત્યાં જ ડબો ફગાવી દીધો હતો અને બાળકી પણ ડબ્બામાંથી નીકળેલી એવું જોઈ ગઈ કે તે ડરીને ખૂબ જ રડવા લાગી હતી. અને બાળકી દુર જવા લાગી હતી. જેના કારણે આસપાસના મુસાફરો બાળકીના રડવાનો અવાજ જોઈને અને ડબામાંથી નીકળેલી વસ્તુને જોવા માટે મુસાફરની સીટ પાસે પહોંચી ગયા હતા.
દરેક લોકોએ ડબ્બામાં જોયું તો પૂરી ઉપર એક કોક્રોચ મરેલો જોવા મળ્યો અને આ કોક્રોચને જોઈને દરેક લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા. ખાવા પીવાની વસ્તુઓમાં આવી બેદરકારીને કારણે વ્યક્તિઓ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. રેલવે વિભાગની કેટરિંગની આવી બેદરકારીને કારણે દીકરીનો જીવ જોખમમાં મુકાય તેમ હતો.
જેના કારણે બાળકીના પિતાએ તરત જ આ બોક્સનો ફોટો લઈને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જેના કારણે આ ફોટો જોતા દરેક લોકો ખૂબ જ ગુસ્સે થતા હતા. આજકાલ લોકોના સ્વાસ્થ્યને લઈને થોડી પણ કાળજી રાખવામાં આવી રહી નથી. આવી બેદરકારીને કારણે જીવલેણ બીમારીઓ પણ લોકોને થઈ શકે છે.
ત્યારબાદ આ ફેરયાઓ સામે મુસાફરે ખૂબ જ ફરિયાદ નોંધાવી હતી. આવી ભૂલને કારણે બીજાના જીવ જોખમમાં મુકાઈ જાય છે તેની જવાબદારી પર સવાલ ઉઠાવ્યા હતા. દરેક લોકોએ કોઈ પણ વસ્તુઓ મગાવતા પહેલા ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. થોડી પણ ભૂલ સ્વાસ્થય સાથે થઈ જતા જીવલેણ બીમારીઓ થઈ શકે છે. જેના કારણે દરેક લોકોએ ચેતીને રહેવું જોઈએ. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. છતાં પણ લોકો બહારના ખાવા પીવાનું ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]