કેટલાક લોકો નાની નાની બાબતોમાં ખૂબ જ ગુસ્સે થતા હોય છે. ક્યારેક ક્યારેક તો તેઓ મગજ ઉપર કાબુ ગુમાવી બેસતા ગમે ત્યાં બાધણ કરી બેસે છે. જેના કારણે અંતે તેઓને પછતાવાનો વારો આવે છે. તો ક્યારેક જેલના સળિયા પાછળ પણ હવા ખાવાનો વારો આવતો હોય છે. વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ આવેલો છે..
આ પેટ્રોલ પંપ ઉપર ખૂબ મોટી માથાકૂટ થઈ ગઈ હતી. પેટ્રોલ પંપ ઉપર વિશાલ જયંતીલાલ માછી નામનો વ્યક્તિ પેટ્રોલ ભરવાનું કામકાજ કરે છે. તે છેલ્લા કેટલાક સમયથી આ પેટ્રોલ પંપ ઉપર કામ ગીરી કરે છે. એક દિવસ એક બાઈક ઉપર ત્રણ યુવકો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવા માટે આવ્યા હતા..
તેઓએ પેટ્રોલ પોતાની બાઈકમાં ભરાવી લીધું હતું. ત્યારબાદ વિશાલ જયંતીલાલ માછી નામના કર્મીએ તેમની પાસે પૈસા માંગ્યા હતા. તો આ ત્રણેય યુવકો ખૂબ મજબૂસે ભરાયા અને કહ્યું કે તને પૈસા દેવાના થાતા નથી, તારે જે કરવું હોય તે કરી લેજે.. પેટ્રોલ પંપ ઉપર કામ કરનાર આ વ્યક્તિ નોકરી કરી રહ્યો છે..
જો તે આ ત્રણેય પાસેથી પેટ્રોલના પૈસા ન લેતો તેને તેની નોકરી ઉપર ખૂબ મોટું સંકટ રહેલું હતું. આ ઉપરાંત તે પોતાની નુકસાની કરીને ધંધામાં નુકસાની થવા દે તે શક્ય હતું નહીં. એટલા માટે ત્યાં આ વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરતો હતો. પરંતુ આ ત્રણ યુવક તેને પૈસા આપવાને બદલે તેની સાથે દાદાગીરી કરવા લાગ્યા…
આ ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિએ લોખંડની પાઇપ લઈ વિશાલ ને માથાના ભાગે મારી દીધી હતી. જેના કારણે વિશાલ ઘટના સ્થળે જ બેભાન થઈને પડી ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને થોડી સારવાર બાદ હોશ પણ આવી ગયો હતો…
તેની હાલત ખૂબ જ ગંભીર હતી. આ બનાવ બન્યા બાદ તેને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું વિચાર્યું પોલીસ પણ હોસ્પિટલે પહોંચી અને વિશાલ માછીને નિવેદન નોંધણી આ અજાણ્યા ત્રણ યુવકો સામે તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલાનો ભોગ બનેલા પંપ કર્મી વિશાલ જયંતીલાલ માછીની પૂછપરછ પણ કરી હતી..
હકીકતમાં એ વ્યક્તિ પોતાની ફરજ બજાવતો હતો. પરંતુ ફરજ બજાવતી વેળાએ અજાણ્યા યુવકો તેના પર તૂટી પડતા તે ઇજાગ્રસ્ત થઈ ગયો છે. નાની નાની વાતે ગુસ્સે ભરાઈ જતા તેમજ પોતે ખોટા હોવા છતાં પણ દાદાગીરી અને રોફ જમાવતા લોકોને જાગૃત જનતા બરાબરનો મેથીપાક ચખાડી રહી છે. અને તેમની અક્કલ ઠેકાણે લાવી રહી છે. આ ઉપરાંત જરૂર પડે તો ન્યાયતંત્રની પણ મદદ લેવામાં આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]