Breaking News

પુલ નીચે ધાબળો ઓઢીને સુતો હતો એક યુવક, ધાબળો ઉંચો કરીને જોયુ તો મળ્યું એવું કે, ઉડી ગયા હોશ.. ચોંકાવનારી ઘટના..!

હાલ ચોંકાવનારી ઘટનાઓમાં અતિશય વધારો નોંધાય રહ્યો છે. પોલીસને તપાસ કરતા મોત અથવા બનાવના એવા કારણો સામે આવે છે જેના વિશે સામાન્ય માણસે ક્યારેય વિચાર્યું પણ નહી હોઈ.. અત્યારે કચ્છમાં એક એવી જ ઘટના બની છે જેના વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહી હોઈ..

પોલીસે પણ આ ઘટના પાછળ પોતાના બધા જ સુત્રો ગતિમાન કર્યા છે, હકીકતમાં આ ઘટના કચ્છ જીલ્લાના ગાંધીધામમાં બની હતી. વહેલી સવારે લોકો ચાલવા માટે રસ્તા પરથી પસાર થતા હોઈ છે. રોજની જેમ જ એક યુવક એ રસ્તા પર ચાલવા નીકળ્યા હતા. તેઓ ચાલતા ચાલતા ચુંગી નાકા પાસે પહોચ્યા તો ત્યાં તેઓએ એક અજાણ્યા માણસને ધાબળો ઓઢીને સુતેલો જોયો..

તેઓ ચાલતા હતા એ દરમિયાન આ યુવક પાસેથી ખુબ જ દુર્ગંધ આવતી હતી. એટલા માટે તેઓ ત્યાં ઉભા રહીને દુર્ગંધ ક્યાંથી આવે છે તેની પરખ કરવા લાગ્યા. ધીમે ધીમે ત્યાં ઘણા લોકો ગણતરીની મીનીટોમાં જ એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ આ ધાબળા ઓઢેલા યુવકને જગાડવાનો પ્રયત્ન કર્યો કે આ વાસ ક્યાંથી આવે છે…

પરંતુ તે યુવક ઘેર નિંદ્રામાં સુઈ રહ્યો હોઈ એવું લાગ્યું.. અંતે તેને જગાડવા માટે ધાબળો ખેચવા જ જતા હતા તેવામાં ત્યાં ઉભેલા લોકોએ કહ્યું કે આ માણસ ઠંડીના કારણે અહી સુતો હશે.. આપડે કોઈની ઊંઘ બગાડી શકીએ નહી.. આમ કહીને ત્યાંથી ઘણા લોકો ચાલીને જતા રહ્યા.. પરંતુ એક યુવકે ફરીવાર આ યુવકનો ધાબળો ખોલીને જગાડવાનો પ્રયત્ન કર્યો.

યુવકનો ધાબળો ખેંચ્યો અને જોયુ તો સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. બધા લોકો ત્યાંથી દુર હતી ગયા અને તરત જ પોલીસને કોલ કરીને બોલાવી લેવામાં આવી હતી.. પોલીસ ઘટના સ્થળે પહોચીને ધાબળો ખોલીને જોયુ તો આ યુવકના માથાના ભાગે મોટી ઈજા થઈ હોવાનું દેખાયું હતું.

તેમજ હથિયાર વડે મારેલા ઘા ને કારણે તેનું મોત થયું હતું. આ ઘા માંથી અસંખ્ય પ્રમાણમાં લોહી વહી ચુક્યું હતું. તેથી તેમાંથી ખુબ જ દુર્ગંધ આવતી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી હતી. જેથી કરીને આ બનાવનું ચોક્કસ કારણ સામે આવે…

ગાંધીધામની A ડિવિઝનની પોલીસ ટીમે ઇન્ડિયન પીનલ કોડની કલમ 302 મુજબ અજાણ્યા શખસો વિરુદ્ધ હ.ત્યાના ગુનામાં એફઆઇઆર નોંધી હતી. ત્યાર બાદ પોલીસની તપાસમાં મૃતક યુવક ગાંધીધામના ખોડીયાર નગર ઝૂંપડપટ્ટીનો રહેવાસી હતો તેવી જાણ થઈ છે.

આ યુવકનું સંજય વાલજી દેવીપૂજક છે. જેની ઉંમર 22 વર્ષ હતી. સંજયભાઈની હત્યા ગત સાંજે 8.30 થી સવારે 7 વાગ્યાના અરસામાં થઈ હોવાનો પોલીસનો અનુમાન છે. પોલીસ આ હ.ત્યા. પાછળનું કારણ શોધવામાં મશગુલ છે.

વહેલી સવારે શહેરના ચુંગી નાકા પાસે પેટ્રોલ પંપની સામે ઓવબ્રિજ નીચે જાહેર સૌચલાય પાસે વટેમાર્ગુઓ દ્વારા ધાબળો ઓઢીને સુતેલા હોઈ છે. પરંતુ ત્યાંથી પસાર થતા લોકોને કૈક અજુગતું દેખાતા લોકોએ પોલીસને જાણ કરી હતી. અને તપાસમાં ખુબ ચોંકાવનારા કારણો સામે આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *