Breaking News

પુજારીએ મંદિરના પાછળના ભાગે ખોદેલો ખાડો જોઈને નજીક ગયા, નજર એક કરીને જોયું તો દેખાયું એવું કે લોકોને બુમો પાડીને બોલાવવા પડ્યા..!

કોઈપણ ચીજ વસ્તુ કે જગ્યા અને વ્યક્તિઓનું માન સન્માન જાળવી રાખવું એ આપણા સંસ્કાર છે. પરંતુ કેટલાક લોકો અત્યારે ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાની લાલચમાં ચીજ વસ્તુઓની ગરીમા જાળવી રાખતા નથી. આ ઉપરાંત અન્ય વ્યક્તિઓ સાથે પણ મન ફાવે તેવી રીતે વ્યવહાર કરે છે. જે બિલકુલ ખોટી બાબત છે..

અત્યારે એક વ્યક્તિએ ગામમાં રહેલા મંદિરના પાછળના ભાગે ન કરવાની કાળી કરતુતો કરી નાખી છે. અને પવિત્ર મંદિરની જગ્યાની ગરિમાને શરમ અનુભવાવી છે. આ બનાવ મનાળા ગામનો છે. આ ગામની અંદર આવેલા મંદિરમાં હરિનાથ ભાઈ નામનો પૂજારી રોજ ભગવાનની સેવાચાકરી કરતા હતા..

તેઓ સવારના સમયે જ્યારે મંદિરે આવ્યા ત્યારે તેઓએ જોયું કે, મંદિરના પાછળના ભાગે ખૂબ જ પહોળો ખાડો ખોદેલો છે. આ ખાડો ગઈકાલે સાંજે ન હતો અને અત્યારે અચાનક જ કોઈ વ્યક્તિ ખોદકામ કર્યું હોય તેવું દેખાઈ આવી જતા તેઓ આ ખાડાની નજીક ગયા હતા. અને એક નજર કરીને જોયું તો આ ખાડાની અંદર તેઓને એવું દેખાઈ આવ્યો છે કે..

તેઓએ બૂમ બરાડા પાડીને આસપાસના લોકોને પોતાની પાસે બોલાવી લીધા હતા. આ ઘટના સવારના સાત વાગ્યા આસપાસની છે. જ્યારે તેઓએ મંદિરના પાછળના ભાગે લંબચોરસ આકારનો એક ખાડો જોયો હતો. ત્યારે તેઓ ત્યાં નજીક ગયા અને થોડીક માટી ખસેડીને જોયું કે આ ખાડો શા માટે ખોદવામાં આવ્યો છે અને કોણે ખોદયો હશે..?

ત્યારે આ ખાડાની અંદરથી માટી ખસેડતાની સાથે જ વિદેશી દારૂના બાટલા મળી આવ્યા હતા. મંદિર જેવી પવિત્ર ધરતી ઉપર આવી ચીજ વસ્તુઓને સંતાડનાર વ્યક્તિ કોણ હશે. તે જાણવા માટે તેઓએ બૂમ બરાડા પાડીને આસપાસના લોકોને પોતાની પાસે બોલાવ્યા હતા અને જણાવ્યું કે, તરત જ ગામના સરપંચને પણ બોલાવવામાં આવ્યા અને આ પ્રકારની ખરાબ હરકતો કોણે કરી છે..?

તેને તરત જ પકડીને પોલીસને સોંપવામાં આવે મંદિરના પૂજારી ગુસ્સે ભરાઈ ગયા હતા. તેઓએ તરત જ સરપંચને પણ બોલાવ્યા અને આ ઘટના વિશે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવા આદેશો આપી દીધા હતા. સરપંચે ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી હતી. કે તેમના ગામમાં રહેલા મંદિરના પાછળના ભાગે ખોદકામ કરીને દારૂના બાટલા સંધરવામાં આવતા હતા.

જેનો પરદાફાશ અત્યારે થઈ ચૂક્યો છે. પોલીસ તરત જ સ્થળે પહોંચી આવી અને આસપાસના લોકોનું નિવેદન નોંધવા લાગી હતી. જેમાં કેટલાક લોકોએ જણાવ્યું કે રોજ રાત્રિના સમયે કેટલાક લોકો મંદિરની આ જગ્યામાં પ્રવેશ કરતા હતા અને વહેલી સવારે તેઓ ત્યાંથી બહાર નીકળી જતા હતા..

પરંતુ ગઈ રાત્રે અહીંથી ત્રણથી ચાર યુવકો ખૂબ જ ઉતાવળી હાલતમાં બહાર નીકળતા જોવા મળ્યા હતા. કદાચ આ ઘટનાની જાણકારી અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચી ગઈ હશે અને તેઓ દારૂના બાટલા બહાર કાઢે એ પહેલા તો ત્યાંથી ભાગવાની નોબત આવી પડી હશે એટલા માટે આ માલ સામાન બચી ગયો છે..

અને તેમની કાળી કરતુતોનો પરદાફાશ થઈ ચૂક્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને આ વ્યક્તિ કોણ છે અને કોણે આટલી બધી માત્રામાં દારૂનો સંગ્રહ મંદિરની આ જગ્યામાં કર્યો હતો. તેની માહિતી મેળવવી રહી છે. આ ઘટનાએ સમગ્ર ગામના લોકોને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *