સમાજમાં આજના સમયમાં પરિવારમાં ચાલતા પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે, જેમાં પતિ-પત્ની પોતાના ઝઘડાઓમાં ઉશ્કેરાઈ જઈને એકબીજાના જીવ લઈ રહ્યા છે. આવા પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડાને લઈને બનેલી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના બિકાનેર શહેરમાં રહેતા પરિવારની મહિલા સાથે બની હતી.
મહિલાના પરિવારમાં પતિ અને તેના બાળકો તેમજ સાસુ-સસરા સાથે રહે છે. પતિની પહેલી પત્નીનું અવસાન થઈ જતાં પતિએ બીજા લગ્ન આ મહિલા સાથે કર્યા હતા. મહિલાનું નામ મોનાલીસા હતું. મોનાલીસાની ઉંમર 40 વર્ષની હતી. મોનાલીસા તેના માતા-પિતા સાથે રહેતી હતી. મોનાલીસાના પિતાનું નામ સ્વપ્ન ચૌધરી છે.
તેમની ઉંમર 78 વર્ષની છે. અને તેની માતાનું નામ રુના ચૌધરી છે. માતા-પિતાએ મોનાલીસાના લગ્ન ઝડેલીના રહેવાસી ભવાની સિંહ નામના યુવક સાથે કરાવ્યા હતા. ભવાની સિંહે મોનાલીસા સાથે બીજા લગ્ન કર્યા હતા. ભવાની સિંહને પહેલી પત્નીના 2 બાળકો હતા. ત્યારબાદ તેણે મોનાલીસા સાથે બીજી વાર લગ્ન કર્યા હતા.
અને મોનાલીસાના પિતા ખૂબ જ ધનિક હતા અને તેણે પહેલા જણાવી દીધું હતું કે, તે પોતાની દીકરીને પણ અમુક મિલકત આપશે. જેના કારણે ભવાની સિંહે મોનાલીસા સાથે મિલકતને કારણે લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ અચાનક મોનાલીસાના મૃત્યુના સમાચાર સાંભળીને તેના માતા-પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.
ભવાની સિંહે મોનાલીસાના માતા-પિતાને જણાવ્યું હતું કે, મોનાલીસાનું બીમારીમાં સારવાર ન મળતા મૃત્યુ થઈ ગયું છે. મોનાલીસાનું કોરોના કાળ દરમિયાન મોત થઈ ગયું હતું. બે વર્ષ પહેલા જયપુરના બગરુ વિસ્તારમાં મોનાલીસાનું મૃત્યુ થયું ત્યારબાદ ભવાની સિંહે મનાલીસાના માતા પિતાને આ વાત જણાવી હતી પરંતુ માતા-પિતા મોનાલીસાના મૃત્યુને સમજી શક્યા નહીં અને તેમને શંકા થઇ હતી.
જેના કારણે બગરૂ પોલીસને માતા-પિતાએ ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે તે સમયે કોઈ પણ તપાસ ચાલુ કરી નહીં, જેના કારણેમાં મોનાલીસાના પિતા સ્વપ્ન ચૌધરીએ ડીજીપી ઉમેશ મિશ્રાને ફરિયાદ કરી, ઉમેશ મિશ્રાના કેવા પ્રમાણે બિકાનેર પોલીસને આ મામલે તપાસ કરવા સૂચના આપી અને પોલીસે તપાસ કરતા સમયે જાણવા મળ્યું કે,..
મોનાલીસાના પતિ ભવાની અને તેમના સાસુ-સસરા મૃત્યુને લઈને જુદું-જુદું જણાવતા હતા. બધા લોકોની અલગ વાત જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી, જેના કારણે બધા પર ખૂબ જ શંકા થવા લાગી હતી. પોલીસે વધારે તપાસ કરતા સમયે જાણવા મળ્યું કે ભવાની સિંહે મોનાલીસાની માતાને ફોન કરીને મૃત્યુની જાણ કરી હતી.
પરંતુ પોલીસને કોલ રેકોર્ડની તપાસ કરતા સમય જણાવ્યું કે કોઈપણ ફોન કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ પોલીસે ભવાની સિંહના પત્નીનું મોત અંગે પૂછ્યું ત્યારે ભવાની સિંહે તે દાદર પરથી લપસી ગઈ હતી, જેના કારણે માથામાં ઈજા થતા તેનું મૃત્યુ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે કડક પૂછપરછ ભવાની સિંહની આગળ કરતાં તેમણે જણાવી દીધું હતું.
કે તેમણે મોનાલીસાને મારી નાખી હતી. મોનાલીસા સાથે મિલકતને લઈને લગ્ન કર્યા હતા. જયપુર રોડ પર આવેલી કરોડો રૂપિયાની કિંમતી જમીનને લઈ લેવા માટે તેણે મોનાલીસા સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ જમીન માટે તેમણે મોનાલીસા અને ઘણીવાર મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ મેળ આવ્યો નહીં, જેના કારણે એક દિવસ મોનાલીસાને પતાવી દીધી હતી.
અને ત્યાં મનાલીસાને કોરોના માટેનું મૃત્યુ થઈ ગયું હોવાની જાણ તેમના માતા-પિતાની આપી હતી પરંતુ માતા-પિતા અને પોતાની દીકરીના મૃત્યુ ને લઈને શંકા હતી. જેના કારણે પોલીસની આ ઘટનાની તપાસ ફરિયાદ કરી હતી. માતા પિતા અને પોતાની દીકરીના મૃત્યુનું કારણ જાણીને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જેના કારણે માતા-પિતાને પતિ, સાસુ-સસરા અને પતિના મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]