આજની યુવાન પેઢીના યુવક-યુવતીઓ પોતાની જાતે તેમના સંબંધ બનાવી રહ્યા છે, જેના કારણે પ્રેમ સંબંધને લઈને બનતા કિસ્સાઓ ખૂબ જ જોવા મળી રહ્યા છે. પ્રેમ સંબંધમાં પરિવારના લોકોની ના ખુશી હોવાથી એવા કિસ્સાઓ બની રહ્યા છે, જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ કિસ્સો બિહારની રાજધાની પટનામાં બન્યો હતો.
દિવસેને દિવસે ગુનાખોરી ખૂબ જ વધી રહી છે. પટનામાં આવેલા ડોખાડા ગામના રહેવાસી પરિવારના દીકરા સાથે કરુણ ઘટના બની હતી. દીકરાનું નામ ઉત્તમ કુમાર હતું. તેમના પિતાનું નામ રમેશકુમાર છે. પરિવારમાં દીકરો ખૂબ જ રાજી ખુશીથી રહેતો પરંતુ ઉત્તમને તેમના જ ગામની કોઈ યુવતી સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો.
આ યુવતી પણ ઉત્તમને ખૂબ જ પસંદ કરતી હતી. બંને એકસાથે શાળાએ અભ્યાસ માટે જતા ત્યારથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેના કારણે તેઓ અવારનવાર ગામની બહાર એકબીજાને મળતા હતા. એક દિવસ ઉત્તમ તેમની પ્રેમિકાને મળવા માટે ગામની બહાર ગયો હતો અને પ્રેમિકાના પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા પરિવારના લોકો પ્રેમિકાની પાછળ ગયા હતા.
તે સમયે ઉત્તમને પકડી પાડ્યો ત્યારબાદ ઉત્તમ સાંજ થઈ જતા ઘરે આવ્યો ન હતો. જેના કારણે તેમના પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. ઉત્તમની તપાસ ચાલુ કરી હતી પરંતુ ઉત્તમ મળ્યો નહોતો. તરત જ પરિવારના લોકોએ પોલીસને ઉત્તમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ સવાર થતા પરિવારના લોકોએ ઘરની બહાર જોયું તો ઉત્તમનો મૃતદેહ ઘરની બહારથી મળી આવ્યો જેના કારણે પરિવારના લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. તેમના દીકરા સાથે આવી ગંભીર ઘટના કોણે કરી નાખી તે વિચારીને તેઓ રડી રહ્યા હતા. પરિવારના લોકોને ઉત્તમના મિત્રએ જાણ કરી હતી કે તે પોતાની પ્રેમિકાને મળવા માટે ગામની બહાર ગયો હતો.
ત્યારબાદ તે ગાયબ થઈ ગયો અને પરિવારના લોકોએ પ્રેમિકાના પરિવાર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેમના દીકરાને પ્રેમિકાના પરિવારના લોકોએ મારી નાખ્યો છે. જેના કારણે પોલીસ ઘટનાએ પહોંચી હતી અને ગામમાં દરેક લોકોની પૂછપરછ કરી રહી હતી. પોલીસ આગળની તપાસ ચાલુ કરી હતી. આજકાલ લોકો નાની નાની વાતમાં બીજા લોકો સાથે વેર રાખીને તેમના જીવ લઈ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]