મા-બાપ સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ તેની સમજ બાળકોને તેમના સંસ્કાર દરમિયાન મળતી હોય છે, અત્યારે કેટલાક બાળકો તેના માતા પિતાની વાતચીત પોતાના મનમાં યાદ રાખવાને બદલે મા-બાપને વિરુદ્ધ જઈને એવા કાવતરા રચી નાખતા હોય છે કે, અંતે પરિવારને પછતાવાનો વારો આવી જતો હોય છે..
અત્યારે એક દીકરીએ તેના ગરીબ પિતાની કોઈપણ વાત મનમાં લીધા વગર એવું કરનામું રચી નાખ્યું કે, આખું ગામ ડોળા ફાડીને જોતું રહી ગયું હતું કે આ ઘટના કેવી રીતે શક્ય બની હશે. જ્યારે બાળકો નાના હોય ત્યારે માતા-પિતા તેમના બાળકોનો ખૂબ જ સારી રીતે ઉછેર કરીને તેમનામાં સંસ્કારનું વાવેતર પણ કરે છે..
પરંતુ જ્યારે દીકરા કે દીકરી મોટા થઈ જાય ત્યારબાદ અમુક વખત ખરાબ સંગતોને કારણે અથવા તો કોઈ અન્ય વ્યક્તિઓની વાતમાં આવી જઈને પોતાના જ મા બાપને તરછોડી મૂકતા હોય છે. આ ચોંકાવનારો બનાવો સીનાપુર ગામમાંથી સામે આવ્યો છે, આ ગામડાની અંદર વિષ્ણુભાઈ નામના એક ગરીબ વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..
પરિવારમાં તેમની એકની એક લાડકવાઈ દીકરી દીપીકા તેમજ દીપિકાની માતા માલતીબેન, દીપિકાના મોટાભાઈ તુષારભાઈ અને નાનાભાઈ આકાશભાઈનો સમાવેશ થતો હતો. દીપીકા પરિવારની સૌથી નાની અને લાડકવાઈ દીકરી હતી, દીપિકાના માતા પિતાને તેની દીકરીના લગ્નને ખૂબ જ હોંશ હતી..
પરંતુ જ્યારે લગ્નનો સમય આવી પહોંચ્યો ત્યારે તેમની દીકરી એવડું મોટું ભોપાળુ બહાર કાઢ્યું કે, પરિવાર આંખો ફાડીને જોતો રહી ગયો હતો. દીપિકાની લગ્નની ઉંમર થઈ જતા વિષ્ણુભાઈ તેમની દીકરી માટે સારો મુરતિયો શોધવા લાગ્યા હતા, એ વખતે દીપિકાએ તેના માતા-પિતાને જણાવ્યું કે તે તેમના જ ગામમાં કરિયાણાની દુકાન ઉપર મજૂરી કરતો શંભુ નામના યુવકને ખૂબ જ પ્રેમ કરે છે..
અને શંભુની સાથે તે લગ્નજીવન વિતાવવા માંગે છે, જ્યારે વિષ્ણુભાઈએ પોતાની દીકરીને મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા કે, તેમણે તેમની દીકરીને ખૂબ જ સારી બાબતો શીખવી અને સારા સંસ્કારોનું વાવેતર પણ કર્યું પરંતુ તેમની દીકરીએ સમગ્ર પરિવારજનોને ચકમો આપીને કરિયાણાની દુકાન ઉપર કામ કરતા શંભુ નામના આ કારીગર સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગઈ હતી..
પરિવારના દરેક સભ્યોએ દીપિકાને ખૂબ જ સમજાવી અને કહ્યું કે, અમે તારા માટે ખૂબ જ સારો અને ભણેલ ગણેલ યુવકને પસંદ કર્યો છે. પરંતુ કરિયાણાની દુકાન ઉપર મજૂરી કામ કરતા શંભુને પસંદ કરીને બેઠી છું, તારું આ લગ્નજીવન અમે ક્યારેય પણ સફળ થવા દેશું નહીં અને અમે જ્યાં કહીએ ત્યાં જ તારે લગ્ન કરવા પડશે..
પરંતુ બીજી બાજુ દીપિકાએ તેના માતા પિતાને જણાવી દીધું કે, તે તેના પ્રેમી સાથે જ લગ્ન કરવા માંગે છે. પરિવારજનોના આ નિર્ણયને લઈને દીપિકા ખૂબ જ નારાજ હતી, કારણ કે તે તેના પ્રેમી સાથે પરણવા માંગતી હતી. એટલા માટે દીપિકા અને તેના પિતા બંને વચ્ચે આ બાબતને લઈને વારંવાર લડાઈ ઝઘડો ઉત્પન્ન થઈ જતો હતો..
એક વખત આ લડાઈ એટલો બધો આગળ વધી ગયો કે, દીપિકાએ તેના સગા પિતા વિશે કોઈ પણ વિચાર કર્યા વગર તેના પિતાને માથાના ભાગે લોખંડનો સળીયો મારી દીધો હતો. આ સળિયો વિષ્ણુભાઈને માથાના ભાગે વાગતાની સાથે તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું..
અને તેઓ ત્યાં નીચે ઢળી પડ્યા હતા, ટૂંક સમયમાં જ માથાના ભાગે ખૂબ જ ઊંડી ઈજા થવાને કારણે તેમનું મૃત્યુ પણ થઈ ગયું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે દીપિકા તેના પ્રેમીને સાથે લઈને ગામ મૂકીને ભાગી ગઈ હતી. એક બાજુ તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું, તો બીજી બાજુ આ દીકરી તેના પિતાની કોઈપણ કાળજી રાખ્યા વગર ત્યાંથી ભાગવા લાગી હતી..
પરિવારના કેટલાક સભ્યો દીપિકા અને શંભુને શોધવા માટે તેની પાછળ પાછળ પણ ગયા અને તેમને પકડી પાડ્યા હતા. ઘટનાની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ તેઓએ ફરિયાદ પણ નોંધી લીધી હતી, જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, દીપિકાએ તેના સગા પિતાનો જીવ લઈ લીધો છે..
ગામના દરેક લોકો કહેવા લાગે કે, આ તો વળી કેવો પ્રેમ સંબંધ કે જેમાં પોતાના સગા બાપને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચર્ચા વિચારણાઓ શરૂ થવા લાગી હતી. દીપિકા હવે તેના પરિવારના દરેક સભ્યોની નજરમાંથી નીચે પડી ગઈ હતી કારણ કે તેણે તેના પિતાનો જીવ લઈ લીધો હતો..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]