આજકાલના સમયમાં ક્યારે શું ઘટના ઘટી જાય તેનું નક્કી હોતું નથી. અચાનક જ સમાચાર સામે આવે કે પોતાની જ દીકરી કે દીકરો ગાયબ થયો છે અને હવે તે જીવતો નથી.. આ વાક્ય સાંભળવું કોઇપણ માં-બાપ માટે સેહલુ નથી. અત્યારે મધ્ય પ્રદેશના ખરગોનના મોહનખેડી ગામમાંથી આવું જ કઈક બન્યું છે…
મોહન ખેડી ગામમાં રહેતી 29 વર્ષની છાયા પોતાના માતા પિતા સાથે રહેતી હતી. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા અને એ લગ્ન જીવન દરમિયાન તેને બે બાળકો પણ હતા. પરંતુ પતિ સાથે રોજ રોજના ઝઘડાથી છૂટાછેડા થયા બાદ તે પોતાના ગામડે માતા પિતા સાથે રહેવા લાગી હતી. એ જ ગામમાં સંતોષ નામનો એક વ્યક્તિ રહે છે.
સંતોષ મજૂરી કામ કરીને પોતાના પરિવારજનોને મદદરૂપ બનતો હતો. સંતોષની પત્ની પણ પાંચ વર્ષથી તેના ચાર બાળકોને લઈને પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. આ મજુર સંતોષ છાયાંને પ્રેમ કરી બેસ્યો હતો. છાયા અને સંતોષ એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા અને ધીમે ધીમે તેઓ ખૂબ જ નજીક પણ આવવા લાગ્યા હતા..
એક દિવસ અને તેના પિતાને જણાવ્યું કે, તે કોઈ અન્ય વ્યક્તિના ઘરે વાસણ ધોવા માટે જાય છે. અને થોડી જ વાર માટે ઘરે પરત આવશે તેમ કહીને તે ઘરેથી નીકળી હતી. પરંતુ બીજા દિવસ સવાર સુધી પણ તે પોતાના ઘરે પરત ન આવતા તેના પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી હતી તેણે આ ઘટનાની જાણ આસપાસના લોકોને કરી અને જણાવ્યું કે તેની દીકરીને શોધવામાં મદદરૂપ બને..
ગામના સૌ કોઈ લોકો આ દીકરીને શોધવા માટે નદીના તેમજ આસપાસની પડતર જમીન અને ઘણા ખરા ગામોને પણ વિખોળી માર્યા હતા. છતાં પણ આ દીકરીનો કોઈ પણ અતો પતો ન મળતા દીકરીને પિતાએ અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જણાવ્યું કે તેમની દીકરી ઘણા સમયથી ઘરે આવી નથી..
પોલીસે ફરિયાદ નોંધી તેને શોધખોળ કરવાની કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત પોલીસે દીકરીના પિતાને પણ પૂછપરછ કરી જેમાં તેણે જણાવી કે, તેની દીકરીને છેલ્લા કેટલાક સમયથી ગામમાં રહેતા સંતોષ નામના વ્યક્તિ સાથે પ્રેમ થયો હતો. સંતોષ પણ તેમની દીકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો.
પોલીસે સંતોષની તલાશી લેવાનું વિચાર્યું હતું એટલા માટેતેઓ સંતોષના ઘરે ગયા હતા પરંતુ સંતોષ પોતાના પરિવારજનો સાથે ક્યાંક ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી હતી. પોલીસે તેના ઘરમાં તપાસ ચલાવતા આસપાસના લોકોએ જણાવ્યું કે, સંતોષ થોડા દિવસ પહેલા ઘરમાં ખોદકામ કરતો હોય તેવો અવાજ આવતો હતો..
આ ઉપરાંત પોલીસને ખોદકામ કરેલી ચીજ વસ્તુઓ પણ તેને ઘરમાંથી મળી આવી જેમાં ચાર ફૂટનો ખાડો ખોદયા બાદ ખાડામાંથી ચંપલ કપડા સહિતની ચીજ વસ્તુઓ મળી આવી હતી. પરંતુ ત્યારબાદ આ કોઈ તમને ત્યાંને ત્યાં જ અટકાવી દેવામાં આવ્યું હતું. ફરી એક વખત થોડા દિવસમાં ખોદકામ કરી અંદર જોયું તો પ્લાસ્ટર વડે કોઈ ચીજ વસ્તુઓને જાણવામાં આવી હતી..
આ પ્લાસ્ટરને તોડતા જ અંદરથી છાયાની લાશ મળી આવી હતી એટલે કે, સંતોષે છાયાને મારીને ખાડો ખોદી અંદર દાટ્યા બાદ તેના પર પ્લાસ્ટર લગાવી અને ખાડો ઢાંકી દીધો હતો. જેથી કરીને કોઈને ખબર ન પડે, પરંતુ પોલીસની સુજબુજના કારણે હવે છાયાની લાશ મળી ગઈ છે. પરંતુ સંતોષ નામનો મજૂર હજુ પણ પોલીસની પકડ થી દુર છે..
તેણે છાયાની શા માટે હ.ત્યા કરી અને ખાડામાં દાઢી દીધી હતી..? આ તમામ બાબતો જાણવા માટે સૌ કોઈ લોકો ખૂબ જ મથામણ કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી સંતોષ પોલીસથી દૂર છે. ત્યાં સુધી આ તમામ પ્રશ્નોના જવાબ ત્યાંને ત્યાં અટકેલા રહ્યા છે. આ બનાવે સમગ્રમાં ગામમાં ફફળાટ મચાવી દીધો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]