દીન પ્રતિ દિન ગુનાખોરીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે, તેની પુત્રી અને તેની પત્નીને હથોડાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી નાખવાનો કિસ્સો સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકો સમસમી ઉઠ્યા છે, આ બનાવ ગૌરવ પાર્ક વિસ્તાર પાસેથી સામે આવ્યો છે, અહીં રહેતા સત્ય રાજભાઈ નામના યુવક તેની પત્ની ચંદ્રિકાબેન તેમનો નાનકડો દીકરો સાહિલ અને તેમની દીકરી પિંકી સહિત સમગ્ર પરિવાર વસવાટ કરી રહ્યો હતો..
છેલ્લા કેટલાક સમયથી સત્ય રાજ ભાઈ પરિવારના દરેક સભ્ય સાથે ખૂબ જ અજીબ વર્તન કરવા લાગ્યા હતા, આ ઘટનાને લઇ ચંદ્રિકાબેનને તેમના પતિને ઘણી બધી વાર સમજાવવાની પણ કોશિશ કરી કે, તેઓ શા માટે પોતાનો સ્વભાવ બદલીને દરેક લોકો સાથે આવી રીતે વાતચીત કરી રહ્યા છો..?
પરંતુ સત્યરાજભાઈ તેમની પત્નીને જવાબ આપવાનું ટાળ્યું હતું, હકીકતમાં સત્યરાજ ભાઈ તેમના નજીકમાં જ રહેતી એક અન્ય મહિલા સાથે પ્રેમ પ્રકરણમાં જોડાયેલા હતા અને હવે તેઓ આ મહિલાની સાથે જ નવું લગ્ન જીવન શરૂ કરવા માંગતા હતા, એટલા માટે સત્યરાજભાઈ તેમની પત્નીને અવારનવાર તરછોડવા લાગ્યા હતા..
તેમના બાળકોને પણ ઢોર મારતા હતા, આ ઘટનાને લઈને ચંદ્રિકાબેન અને તેમના પતિ સત્ય રાજ ભાઈ બંને વચ્ચે લડાઈ ઝઘડો થઈ જતો હતો. ત્યારે આ પ્રેમ પ્રકરણની માહિતી ચંદ્રિકાબેન સુધી પહોંચી ત્યારે તેમના તો ડોળા ફાટેલા રહી ગયા હતા, તેઓ વિચારમાં મુકાઈ ગયા કે સત્ય રાજ ભાઈને મનમાં એવું તો શું સુજ્યું છે કે તેઓએ સુખી લગ્નજીવન મૂકીને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમ પ્રકરણમાં જોડાઈ ગયા છે..
આ પ્રેમ પ્રકરણની જાણ હવે ધીમે ધીમે સૌ કોઈ લોકો સુધી પહોંચી જતા સત્યરાજભાઈ ગુસ્સે ભરાયા હતા અને પોતાના પ્રેમ પ્રકરણને બચાવવા માટે તે આદમખોર વર્તન કરીને તેની પુત્રી અને તેની પત્નીને મોતને ઘાટ ઉતારી નાખી હતી, સાંજના સમયે જ્યારે પ્રેમ પ્રકરણની આ બાબતને લઈને પતિ અને પત્ની બંને વચ્ચે લડાઈ ઝઘડો શરૂ થઈ ગયો હતો..
ત્યારે ગુસ્સામાં આવી જઈને સત્યરાજભાઈએ હથોડો લઈ તેની પુત્રી અને તેની પત્ની બંનેને ઢોર મારવાનું શરૂ કરી દીધું હતું, તેમના કટકા પણ કરી નાખ્યા હતા. એટલું જ નહીં આ ઘટનામાં તેમની નાનકડી દીકરી પિંકી મોતની ભીખ માંગતી રહી પરંતુ એની દીકરીનો પણ એક પણ વાર વિચાર કર્યો નહીં અને બિચારી આ દીકરીને એવી રીતે મોત આપ્યું કે..
જેના વિશે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ખબર પડી ત્યારે તેમનો પણ જીવવું બળીને ખાખ થઈ જવા પામ્યો હતો, તેમણે તેમની દીકરી અને તેમની પત્નીને મોતને ઘાટ ઉતારીને સોસાયટીથી થોડી દૂર તેમની લાશના કટકાને ફેંકી દીધા હતા, બીજા દિવસે જ્યારે સમગ્ર સોસાયટીમાં હોબાળો પહોંચી ગયો અને તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણકારી આપી હતી કે..
કોઈ અજાણ્યા વ્યક્તિઓના લાશના ટુકડા મળી આવ્યા છે, આ સમાચાર મળતા જ પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે સોસાયટીથી થોડે દૂર આવેલા એક મકાનની અંદર રહેતા સાથે સત્યરાજભાઈની પત્ની અને તેમની પુત્રી બંને ઘરેથી ગાયબ છે, અને આ લાશ તેમની પત્ની અને તેમની પુત્રીની છે..
આ બંને વ્યક્તિને મોતને ઘાટ ઉતારીને સત્યરાજભાઈ તેમની પ્રેમિકાની સાથે લઈને ઘર મૂકીને ફરાર થઈ ચૂક્યો હતો, પરંતુ પોલીસે તેનો મોબાઇલ ફોન ટ્રેક કરીને તેને પકડી પાડ્યો છે. અને હાલ તેની કડકમાં કડક પૂછપરછ પણ થઈ રહી છે. તેને પોતાનો ગુનો કબુલી લીધો છે, આ ઘટનાને લઈને ચન્દ્રિકાબેનના માં-બાપ રોષે ભરાયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]