રોજબરોજ પ્રેમસંબંધને કારણે બનતા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે, આવા કિસ્સાઓ બનતા પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પ્રેમસંબંધમાં યુવક-યુવતીઓ તેમના સબંધને સમજી શકતા નથી અને નાની મોટી વાતમાં ઝઘડાઓ કરીને તેમના જીવનને ટૂંકાવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં બની હતી.
સુરતમાં અવારનવાર લોકો સાથે બનતા ચોંકાવનારા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે અને હાલમાં આવો એક કિસ્સો સામે આવ્યો હતો કે જે જાણીને દરેક લોકોના રુંવાડા ઊભા થઈ ગયા હતા. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા હેતવી રેસીડેન્સીમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ પત્ની અને તેમના પરિવારના સભ્યો રહેતા હતા.
પતિ-પત્નીના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. યુવકનું નામ આકાશ હતું. તેમની ઉંમર 25 વર્ષની હતી અને તેના પિતાનું નામ વિનોદ પટેલ હતું. આકાશે એક યુવતી સાથે દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. યુવતીનું નામ અંકિતા હતું. અંકિતાને તે ખૂબ જ પ્રેમ કરતો હોવાને કારણે બંનેના પરિવારના લોકોએ રાજુ ખુશીથી બંનેના લગ્ન કરાવી દીધા હતા.
બંને પોતાનું પારિવારિક જીવન ખૂબ જ સારી રીતે જીવતા હતા પરંતુ એક દિવસ કોઈ નાની વાતને લઈને બંને ખૂબ જ ઝઘડયા હતા. જેને કારણે પત્ની રિસાઈને પોતાના પિયર જતી રહી હતી અને તેને મનાવવા માટે આકાશ અંકિતાના પિયરમાં ગયો હતો પરંતુ તેના પિયરના લોકો અને અંકિતાએ તેની સાથે બોલાચાલી કરી હતી.
જેના કારણે અંકિતા પાછી આવી ન હતી અને તે પિયરમાં જ રહી હતી. આકાશ પોતાના ઘરે પરત આવી ગયો હતો. ત્યારબાદ અંકિતાને યાદ કરીને ખૂબ જ હેરાન થઈ રહ્યો હતો. એક દિવસ અંકિતાએ આકાશ સાથે છૂટાછેડાની માંગણી કરી હતી. જેના કારણે આકાશ ખૂબ જ તણાવવામાં આવી ગયો હતો અને તે માનસિક રીતે ખૂબ જ ભાંગી પડ્યું હતો.
અંકિતાની તેણે અવારનવાર માફી માગી હતી પરંતુ અંકિતા માની ન હતી અને તેણે એક દિવસ પોતાના ઘરે કોઈ ન રહેતા આકાશે ગંભીર પગલું ભરી લીધું હતું. તે અંકિતાનો શર્ટ તેમના પાસે રહેતા અંકિતાને શર્ટ જોઈને યાદ કરી રહ્યો હતો અને આકાશ નિરાશ રહેતો હતો. માનસિક તણાવમાં તેણે પોતાના ઘરે એકલો હોવાને કારણે લટકીને આપઘાત કરી લીધો હતો.
અને એક અંતિમ નોટ પણ તેણે લખી હતી તેમાં જણાવ્યું હતું કે, ‘અંકિતા આઈ મિસ યુ.. હું તને પ્રેમ કરું છું, હું તને સીધેસીધું કહી શકતો નથી, જેના કારણે હું ખૂબ જ હેરાન થઈ રહ્યો છું. આજે મારી હાલત ખૂબ જ ખરાબ છે અને તને જોવા માટે ઝડપી રહ્યો છું, મારી ભૂલના કારણે મે તને ગુમાવી દીધી છે અને હવે હું જીવવા પણ નથી માંગતો’ તેમ કહીને તેણે આપઘાત કરી લીધો હતો.
પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પરિવારના સભ્યો ઘરે પરત આવતા તેમણે જોયું તો આકાશ દરવાજો ખોલી રહ્યો ન હતો, જેના કારણે દરવાજો દોડીને પરિવારના લોકો અંદર ગયા અને જોયું તો જોઇને તેઓ આઘાતમાં આવી ગયા હતા. આકાશે લટકીને આપઘાત કરી લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
તરત જ ડીંડોલી પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. તે સમયે અંકિતાના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ હજુ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]