પ્રેમમાં દગો મળતા જ કોક સુસાઈડ કરી લે છે તો કોક વળી વહેતા પાણીમાં પડતું મુકે છે. તેઓ શા માટે આ પ્રકારના પગલાઓ ભરતા હશે. માં-બાપ પર શું વીતશે તેનો વિચાર કર્યા વગર જ આ મુજબના પગલાઓ ભરવાએ કેટલું યોગ્ય..
થોડા દિવસ પેહલા જ અમદાવાદના કાંકરિયા તળાવમાં આઈશા કેસમાં યુવતીએ વિડીયો બનાવીને પડતું મૂકી દીધું હતુ. હવે ભરૂચ અંકલેશ્વરમાં એક બનાવ સામે આવ્યો છે. જે સામે આવતા જ લોકો અને પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
અંકલેશ્વરની એક યુવતીએ મનોજના નામના યુવક સાથે ઘણા લાંબા સમયથી પ્રેમ હતો. તેઓના પ્રેમ સંબધમ કૈક ગેરસમજણ અને ડખાઓ ચાલતા હશે તેથી યુવતીએ આ બધી બાબતોથી કંટાળીને એવું પગલું ભરી લીધું છે કે જેની ન પૂછો વાત.
યુવતી ઘરેથી નીકળીને ભરૂચના નવા નર્મદા મૈયા બ્રીજ પર સુસાઈડ નોટ લખી હ્હે તે મળી આવી છે. તેમાં તેણે લખ્યું છે કે મારા પ્રેમી મનોજે મને જીવવા લાયક નથી છોડી. તેણીએ 2 સુસાઈડ નોટ લખીને નદીમાં પડતુ મુક્યું છે એવી જાણ મળી છે. ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ દિન પ્રતિદિન સુુસાઇડ પોઇન્ટ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
થોડા દિવસોથી અનેક બનાવો બાદ વધુ એક બનાવ સામે આવ્યો છે.આ બ્રીજ પર યુવતીનું પર્સ, ટીફીન સુસાઈડ નોટ અને પગરખા પણ મળી આવ્યા છે પરતું યુવતી લાપતા છે. બ્રિજની રેલિંગ પાસેથી તેનો સામાન મળતાં તેણે નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.
આ યુવતીનું નામ સોનલ છે અને તેના પ્રેમી નું નામ મનોજ છે. હાલ પોલીસે ફાયર વિભાગને જાણ કરીને નર્મદા નદીમાં યુવતીની શોધખોળ શરુ કરી દીધી છે. પ્રાથમિક જાણકારી મુજબ સોનલ નામની આ યુવતી અંકલેશ્વરની છે.
ભરૂચના મકતમપુરમાં રહેતા મનોજ નામના યુવક સાથે તેને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હોય તેવો ઉલ્લેખ કર્યો છે. પ્રેમમાં ગમે તેવો દગો મળ્યો હોય કે ગમે તેવા કડવા વેણ કીધા હોઈ પરતું આવી બાબતો માટે જીવ ગુમાવી દેવો તે યોગ્ય નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]