લોકો સાથે આજકાલ મારામારી અને હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. લોકો પોતાની નાની વાતમાં દુશ્મનાવટ કરીને બીજા લોકો સાથે બદલો લઈ રહ્યા હોય છે. જેમાં ખાસ કરીને નામચીન વ્યક્તિઓ પોતાની જિંદગીમાં આગળ વધી રહ્યા છે પરંતુ તેમના દુશ્મનો કોઈ અંગત ઝઘડાને કારણે તેમના જીવ લઈ રહ્યા છે.
નામચીન વ્યક્તિની પ્રસિદ્ધિ સૌ કોઈ લોકો જીરવી શકતા નથી. તેને કારણે તેમની સાથે બદલો લેવા માટે લોકો હ.ત્યા અને મારામારી જેવી ઘટનાઓ કરી રહ્યા છે. આવી જે ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના વલસાડ જિલ્લામાં બની હતી. વલસાડ જિલ્લામાં પારડી તાલુકાના પાર નદીના કિનારે મળી આવી હતી.
આ કારમાં એક મહિલાની લાશ મળી હતી. જેને જોઈને સૌ કોઈ લોકો ચોંકી ગયા હતા. પાર નદી કિનારેથી થોડી દૂર એક ગામ આવેલું છે. આ ગામના લોકો અવારનવાર ત્યાંથી પસાર થતા હતા. જેને કારણે ઘણા સમયથી એક નદી કિનારે કાર ઊભેલી જોવા મળી હતી. કારની આજુબાજુમાં કારના માલિક પણ દેખાઈ રહ્યા ન હતા.
જેને કારણે આસપાસથી પસાર થતા લોકોએ ભેગા મળીને કારના માલિકની ઓળખ કરવા માટે તેમની કાર નજીક ગયા હતા. તે સમયે કારણની આગળની સીટમાં એક મહિલાની લાશ જોવા મળી હતી. લાશ જોતાં જ સૌ લોકો બુમા બુમ કરી રહ્યા હતા. તેને કારણે પાલડી પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
આસપાસના સ્થાનિક લોકોએ પાલડી પોલીસને કાર વિશે જણાવ્યું હતું. જેને કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. કારની તપાસ કરી રહી હતી. તે સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે આ મહિલા વલસાડની પ્રખ્યાત ગાયિકા છે. તેમનું નામ વૈશાલી બલસારા છે. વૈશાલી બલસારા વલસાડની ખૂબ જ પ્રખ્યાત એવી ગાયિકા છે.
તેમના લગ્ન થઈ ગયા છે. વૈશાલીના પતિનું નામ હિતેશ બલસારા છે. હિતેશ બલસારા પણ એક ગાયક છે. બંને પતિ-પત્ની સ્ટેટ શો કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. હિતેશ બલસારા સ્ટેટસોમાં ગીતાર પણ વગાડે છે અને તે સારા એવા સિંગર પણ છે. વૈશાલી બલસારાનું નામ ખૂબ જ સારા એવા સિંગર તરીકે ગણાતું હતું.
પરંતુ આ ઘટના બની તેના આગલા દિવસે વૈશાલી ઘરે ન આવતા હિતેશ બલસારાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેને કારણે કારમાંથી વૈશાલીની લાશ મળતા પોલીસે તરત જ હિતેશ બલસારાને આ ઘટનાની જાણ કરી હતી. હિતેશ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
વૈશાલીની લાશ જોઈને તેઓ ઢળી પડ્યા હતા. વલસાડ જિલ્લાના ડોક્ટર અને પોલીસ ઘટના સ્થળે તપાસ કરી રહ્યા હતા. પોલીસ આ ઘટનામાં વૈશાલીના મોતનું કારણ પોલીસ શોધી રહી હતી. આજકાલ લોકો સાથે ક્યારે શું બની જાય તે કહી શકાતું નથી. લોકો નાની વાતમાં એકબીજાના દુશ્મન બનીને જીવ લઇ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]