કલ્કિ અવતારનું નામ સાંભળતાની સાથે જ તમે વિચારમાં મુકાઇ શકે વળી આ કોણ યુવક છે જે પોતાની કલ્કી અવતાર ગણાવી રહ્યો છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાજકોટ શહેરના કાલાવડ રોડ પર એક સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર ફેફર કે જેવો નર્મદાની સિંચાઇ વિભાગના નિવૃત અધિકારી છે..
તેઓએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે તેઓ પોતે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર એટલે કે કલ્કી અવતાર છે. તેઓ સરદાર સરોવરની સિંચાઈ વિભાગમાં એન્જિનિયરિંગ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓએ ગયા વર્ષે સિંચાઈ વિભાગના સચિવને પત્ર લખ્યો હતો જેમાં તેઓએ એક વર્ષના પગાર પેટે કુલ ૧૬ લાખ રૂપિયાની માગણી કરી હતી..
આ સાથે સાથે તેઓએ કહ્યું હતું કે જો તેઓને ન્યાય મળશે નહીં. તો સમગ્ર દેશમાં ભયંકર દુકાળ કરશે. આ સાથે સાથે તેણે આ નોટિસ ની અંદર ઘણી બધી બફાટો પણ કરી હતી. જેમાં આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓએ દુર્યોધનનો અવતાર જણાવ્યો હતો.
હાલ રમેશચંદ્ર ફેફર ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. તેઓએ જણાવ્યું હતું કે હું એક વર્ષ સુધી મારી ઓફિસમાં હાજર થયો નથી એ સમયે હું મારા ઘરે રહીને કાલી રાક્ષસ સાથે યુદ્ધ કરતો હતો. જેના કારણે ભારતની આર્થિક બરબાદી અટકી ગઈ છે. તેઓએ જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા નિગમના એન્જિનિયરિંગ તરીકે તેઓને એક વર્ષનો કુલ ૧૬ લાખ રૂપિયા જેટલો પગાર બાકી હોવાથી તેઓએ ઘરેથી જ કામ કરવાનું ચાલુ કર્યું હતું..
તે સમયે તેઓ ઘરે રહીને કાલી રાક્ષસ સાથે યુદ્ધ કરતા હતા અને પોતે ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છે. આ યુદ્ધમાં જો તે ગેરહાજર રહ્યા હોત તો આજે રસિયા, ચીન, પાકિસ્તાન અને અમેરિકાનો આર્થિક વિકાસ પણ અટકી ગયો હોત. તેમજ ભારત પણ આર્થિક રીતે બરબાદ થઈ ગયું હોત તેવું જણાવ્યું છે.
તેઓના નિવેદન સામે આવતાની સાથે જ ફરી એકવાર સૌ કોઈ લોકોમાં હસી મજાક નો માહોલ પેદા થયો છે. આ અગાઉ પણ તેઓના નિવેદન સાંભળીને સૌ કોઈ લોકો ખડખડાટ હસવા લાગ્યા હતા. તેઓના નિવેદનમાં પર્દાફાશ કરવા માટે ગયા વર્ષે વિજ્ઞાન જાથાની ટીમ પણ તેમના ઘરે પહોંચી હતી..
પરંતુ તેઓએ પોતાને ભગવાન વિષ્ણુ નો દસમો અવતાર ગણાવીને આ તમામ અધિકારીઓને પોતાના ઘરથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. સોસાયટીમાં જોર જોરથી બુમો પાડીને મોટો બખેડો ઉભો કરી દીધો હતો. મોટો હંગામો મચાવી દેતા ગાળાગાળી પણ શરૂ કરી દીધી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]