Breaking News

આ કારણે પોલીસ સ્ટેશનના છત પરથી છલાંગ લગાવવા જતી હતી આ મહિલા, કોન્સ્ટેબલ ભગવાન બનીને મદદે આવ્યા અને પછી તો… વાંચો..!

જ્યારે પણ શહેરમાં રહેતા નાગરિકોની કોઈ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવાની પરિસ્થિતિ ઉભી થાય છે. અથવા તો તેની સાથે કોઈ ખોટું થયું હોય ત્યારે તેઓ પોલીસની મદદ માટે સ્ટેશનમાં પહોંચી જતા હોય છે. પરંતુ જો ફરિયાદ વ્યાજબી હોય તો જ સરકારી ચોપડે નોંધવામાં આવતી હોય છે..

કારણકે જે ફરિયાદ ની અંદર કોઈ તથ્ય રહેલું ન હોય અથવા કોઇ આંતરિક મામલો હોય તો પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદો નોંધાતી નથી. હાલ એક એવો બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ન નોંધાતા તે પોલીસ સ્ટેશનના ધાબા ઉપર ચડી ગઈ હતી અને આત્મહત્યા કરવા માટે મથામણ કરી રહી હતી.

પોલીસ દરેક નાગરીકોને એક સમાન માનીને તેઓ સાથે થતાં અન્યાયની ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડતા હોય છે. પરંતુ આ મહિલાની ફરિયાદ સરકારી ચોપડે નોંધી શકાય અથવા કોઇ કલમ હેઠળ ગુનો નોંધી શકાય એ પ્રકારની ન હોવાથી પોલીસે ગુનો નોંધ્યો નહોતો. આ મહિલા એક પરણિત વ્યક્તિને પ્રેમમાં પડી ગઈ હતી.

પરણીત પુરુષનું જીવન તેની પત્ની સાથે વ્યવસ્થિત ચાલતું હતું. પરંતુ આ મહિલાએ પરણીત પુરુષ સાથે રહેવા માટે ઈચ્છતી હતી. પરંતુ આ મામલો શક્યો ન હોવાને કારણે આ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગઈ હતી. પરંતુ આ મામલો આંતરિક હોવાને કારણે પોલીસે ફરિયાદ નોંધી હતી..

એટલા માટે તે પોલીસ સ્ટેશનના ટેરેસ ઉપર ચડીને નીચે કૂદકો મારવાની તૈયારી દાખવતી હતી. આ મહિલાને પોલીસ સ્ટેશનના ધાબા પર જોઈને સૌ કોઈ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કારણ કે જો આ મહિલાએ આપઘાત કરી લીધો હોત તો નાની અમથી આ બાબતનો મામલો ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત..!

પોલીસ સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં સૌ લોકોએ આ મહિલાને ટેરેસ ઉપર ચડેલી જોઈને તેને નીચે ઉતરી જવા માટે કહ્યું હતું. આ સાથે આસપાસની ગલીઓમાં પણ મહિલાઓને બચાવવા માટે બૂમાબૂમ થઇ રહી હતી. પરંતુ આ મહિલા કોઈનું માનવા માટે તૈયાર હતી નહીં. અને અંતે એક પોલીસ કોન્સ્ટેબલે ભગવાનનું રૂપ ધારણ કરીને આ મહિલાને પોતાની વાતમાં ફોસલાવીને બચાવી લીધી હતી.

જો આ કોન્સ્ટેબલ સમયસર ન પહોંચે તો આજે આ મહિલા પોલીસ સ્ટેશનના ધાબા પરથી કુદીને આપઘાત કરી લીધો હોત. આ મામલો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનનો છે. આ પોલીસ સ્ટેશનમાં કાર્યરત કોન્સ્ટેબલ રોહિતભાઈએ ટેરેસ પર ચડીને આ મહિલાને પોતાની વાતમાં ફસાવવાની કોશિશ કરી હતી અને તેનો ગુસ્સો શાંત પડી જાય એ પ્રકારની વાતચીત શરૂ કરી હતી..

ધીમે ધીમે મહિલાનો ગુસ્સો ઠંડો થતો ગયો અને કોન્સ્ટેબલ રોહિતભાઈ એ આ મહિલાને બચાવી લીધી હતી. લોકો અવારનવાર પોતાની સમસ્યાઓને લઈને પોલીસ સ્ટેશને જતા હોય છે. પરંતુ જો તેમની ફરિયાદ કાયદાકીય કલમ હેઠળ આવતી હોય તો તેને નોંધવામાં આવતી હોય છે..

અન્યથા ફરિયાદ કરનાર લોકોને નિરાશાનો સામનો કરવો પડે છે. આવો જ બનાવ નવસારીના ટાઉનશીપ પોલીસ સ્ટેશનમાં બન્યો હતો. પરંતુ કોન્સ્ટેબલની સૂઝબૂઝના કારણે અંતે આ મહિલાનો જીવ બચી ગયો છે. આ ઘટનાનો વીડિયો પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *