Breaking News

પોલીસમાં ઈમાનદારીથી ફરજ બજાવતી મહિલા પોલીસે ઘરે પંખા સાથે લટકીને જીવન ટુંકાવ્યું.. વાંચો..!

નજીવી બાબતો ઉપર જીવન ટૂંકાવી દેવું એ આજકાલ સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગે છે. કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોજ રોજ આત્મહ.ત્યા.ના બનાવો ભરપૂર માત્રામાં વધી રહ્યા છે. તેમજ છેલ્લા 15 દિવસ પણ બે આત્મ.હ.ત્યાના બનાવો તો ખેલકૂદ ની ઉંમર ધરાવતા નાના બાળકો સાથે બન્યા છે..

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ મનીષા ચૌહાણ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા મામલો ગરમાયો છે. થોડા દિવસ પહેલાં જ એક મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા ચકચાર મચી ગયો હતો. આ કાળી ઘટનાનો પડછાયો હજુ શાંત થયો નથી. એવામાં અમદાવાદ ના મણિનગર વિસ્તારમાં રહેતી મનીષા ચૌહાણ નામની મહિલાએ આત્મહત્યા કરી લીધી છે.

જેની જાણ થતા જ સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. આ મૃતક મહિલા પોલીસના પરિવારજનો જામનગર ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. જેથી મહિલા પોલીસ ઘરે એકલા જ હતા. તેઓના જીવનમાં એવી તો શી ઘટના બની હશે કે, જેના કારણે તેઓ આ પ્રકારનું પગલું ભરવાનો નિર્ણય લીધો હશે… એ બાબતે હજુ પોલીસ તપાસ કરી રહી છે.

પરંતુ જ્યારે પરિવાર લગ્નપ્રસંગે જામનગર ખાતે ગયો ત્યારે પોતાનું ઘર બે-ત્રણ દિવસ માટે સાવ બંધ હતું. તેથી તેણે ઘરે પંખા સાથે દુપટ્ટો લગાવીને ફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો જામનગર થી ત્રણ દિવસ પછી પરત ફરવાના હતા તેથી બે દિવસથી લાશ પંખા સાથે લટકી રહી હતી.

અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી હતી. આ દુર્ગંધ આડોશ પાડોશમાં રહેતા લોકોને સતાવતા તેઓ તરત જ શોધખોળ કરતાં જણાવ્યું હતું કે મહિલા પોલીસે પોતાના ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. તેઓ તરત જ મણીનગર તેમજ ખોખરા પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો…

અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી તેમજ પાડોશીએ આ ઘટનાની જાણ જામનગર ખાતે લગ્ન પ્રસંગે ગયેલા તેના પરિવારને કરતા તેઓ પણ ભાંગી પડ્યા હતા. અને તરત જ પોતાના ઘરે આવવા માટે રવાના થયા હતા. આ મહિલા પોલીસે આત્મહત્યા માટે કરી તેનું કારણ હજુ સુધી જણાયું નથી…

પોલીસ આ કારણ જાણવા માટે મથામણ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તેનો પરિવાર અમદાવાદ ખાતે આવી જાય ત્યાર બાદ તેની પૂછપરછમાં થી પ્રાથમિક કારણ જાણી શકાશે કે આ મહિલાએ શા માટે પોતાનું જીવન ટુંકાવ્યું હશે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *