Breaking News

પોલીસ કર્મચારીએ રેલ્વે ટ્રેક પર આવતી ભાવનગર-બાન્દ્રા ટ્રેન નીચે કુદીને મોતને વ્હાલું કરી લીધું, લોકો બચાવવા દોડ્યા પરતું અંતિમ ઘડીએ…! વાંચો..!

આપઘાતની ઘટના બનતા ઘણા બધા વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવી ઘટનાઓ દિવસેને દિવસે ઘટવાને બદલે બધી રહી છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. પોતાના પરિવારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. લોકો પોતાના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે.

આવી જ એક આપઘાતની ઘટના હાલમાં સામે આવી હતી. આ આપઘાત એક યુવકે કર્યો હતો. યુવાક પોલીસ કર્મચારી હતો. યુવક લીંબડી પાણશીણા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીંબડી તાલુકામાં એક યુવકે આપઘાત કર્યાની ઘટના બની હતી..

લીમડી તાલુકાના પાણશીણા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ફરજ બજાવતા યુવકે આ ઘટના કરતા પોલીસ સ્ટેશનમાં ચકચાર મચી ગઈ હતી. આ યુવકનું નામ દિલીપભાઈ શીલુ હતું. દિલીપભાઈ પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી ફરજ બજાવતા હતા અને તેઓ પોતાની ડ્યુટી ઈમાનદારીથી કરતા હતા.

તેઓ પોતાના પરિવાર સાથે લીમડી તાલુકામાં જ રહેતા હતા. તેના પરિવાર સાથે તેઓ ખૂબ જ ખુશીથી રહેતા હતા પરંતુ તેઓ કોઈ વાતને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હતા. ઘણા સમયથી તણાવમાં રહેતા હતા. જેને કારણે તેઓ ખૂબ જ કંટાળી ગયા હતા. તેની સાથે રહેતા બીજા કર્મચારીઓ પણ તેમને અવારનવાર તેમની ચિંતા અંગે પૂછાતા હતા.

પરંતુ દિલીપભાઈ કાંઈ નહીં તેમ કહીને વાત ટાળી દેતા હતા. એક દિવસ દિલીપભાઈ પોલીસ મથકમાંથી નીકળીને રેલવે સ્ટેશનની ગયા હતા. તેઓ રેલવે સ્ટેશનને જઈને બેઠા હતા. તે સમયે ટ્રેન આવવાની તે રાહ જોઈ રહ્યા હતા. અચાનક તે સમયે ભાવનગર બાંદ્રા ટ્રેન ત્યાંથી પસાર થઈ હતી. તેઓ દોડીને ભાવનગર બાંદ્રા ટ્રેનના પાટા પર કૂદી ગયા હતા.

જેને કારણે લોકો પોલીસ કર્મચારી દિલીપભાઈને કૂદતા જોઈને તરત જ તેમની પાસે દોડ્યા હતા. ટ્રેન પસાર થઈ ગયા પછી તેમને બહાર કાઢવા માટે જતા તેઓનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું. તરત જ રેલવે પોલીસ પણ ઘટના પહોંચી ગઈ હતી. લોકોના ટોળેટોળા રેલવે સ્ટેશન પર થઈ ગયા હતા. સૌ લોકોમાં હાહાકાર મચી ગયો હતો.

રેલ્વે પોલીસે તરત જ લીમડી સ્ટેશન પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. લીમડી પોલીસ સ્ટેશન પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ કર્મચારી સાથે આવી ઘટના બની જતા સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં શોખની લાગણી જવાઈ ગઈ હતી. તેમના પરિવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પરિવારને દિલીપભાઈના મૃત્યુની જાણ થતા તે ખૂબ જ આઘાતમાં આવી ગયું હતું. પરિવારમાં પણ રોરોકળ થઈ ગઈ હતી. લીમડી પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી. દિવસેને દિવસે આપઘાતના બનાવોમાં ખુબ જ ચોંકાવનારો વધારે થઈ રહ્યો છે. આ દરેક સમાજ માટે ચિંતાનો વિષય સાબિત થયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *