કેટલાક લોકો ખોટા કામમાં ખૂબ વધારે પડતું ભેજુ દડાવીને ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાના ગોરખ ધંધાઓ કરી રહ્યા હોય પરંતુ તેમના કાળા કારનામા લાંબા સમય સુધી ચાલતા નથી. તેમનો પરદાફાશ એક ને એક દિવસે જરૂર થતો જ હોય છે. મોરબીના કોટડા સાંગાણીના નારણકા ચોકડી પાસેથી અશ્વિન ભીમજીભાઈ શેખ નામનો એક યુવક ભેજાબાજ યુવક તોડ પાણી કરવાના કામો કરી રહ્યો હતો..
અને લોકોને લૂંટવાના કિમીયાઓ અપનાવી પોતે પૈસા કમાતો હતો. નારણકા ચોકડી વિસ્તારમાં અવારનવાર લોકો દ્વારા ત્રાસી જવાની ફરિયાદો આવતી હતી કે, આ વિસ્તારની અંદર પોલીસ હપ્તા ઉઘરાવીને સામાન્ય લોકોને હેરાન પરેશાન કરી રહી છે. વાહન ચાલકોને ઊભા રાખી તેમની પાસેથી તોડપાણી કરવામાં આવે છે.
વાહન ચાલકોને ઉભા રાખવામાં આવતા હતા અને ત્યારબાદ તેમને ધમકાવી પોલીસની ઓળખ બતાવી તેમની પાસેથી અઢળક રૂપિયા ખંખેરવામાં આવતા હોય તેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી હતી. આ ફરિયાદો મળતા જ પોલીસ તંત્ર સફાળું બેઠું થયું હતું અને આ વિસ્તારમાં કોણ તોડપાણી કરીને હપ્તા ઊઘરાવી રહ્યું છે તેની તપાસ કરવામાં લાગી ગયા હતા..
રાજકોટ માર્ગ ઉપર નારણકા ચોકડી પાસે સિમેન્ટ પ્રોડક્ટના ઘણા બધા કારખાનાઓ આવેલા છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને આ હપ્તાહ પર ખૂબ જ ત્રાસ આપતો હતો. પોલીસે એક દિવસ તપાસ ચલાવી અને જોયું તો અશ્વિન ભીમજીભાઈ શેખ નામનો એક યુવક પોલીસ બનીને નારણકા ચોકડી વિસ્તારમાં પોતાના ખભા પર બં.દૂ.ક રાખી ઉભો રહેતો હતો..
અને ત્યાંથી નીકળતા વાહન ચાલકોને ધમકાવી તેમની પાસેથી પૈસાની ઉઘરાણી કરી લેતો હતો. આ તમામ દ્રશ્યો જોયા બાદ પોલીસે તાત્કાલિક તેને પકડી પાડ્યો હતો. પોલીસને જોતા જ અશ્વિન ઉભે ઉભો ધ્રુજવા લાગ્યો હતો. થોડીજ વારમાં તે પોપટ બની ગયો અને પોતાનો ગુનો કબુલીને પોલીસ સામે તમામ ઘટનાની માહિતી આપવા લાગ્યો હતો..
ગુજરાતના ઈમાનદાર ન્યાયતંત્રની ઓળખ બતાવીને તોડપાણી અને પોતાના ખિસ્સા ભરનાર લોકોને ક્યારેય છોડી મુકવામાં આવતા નથી. તેમની સામે કડક માં કડક કાર્યવાહી થતી હોઈ છે. પોલીસની પૂછપરછ દરમ્યાન તેમણે જણાવ્યું કે તે પોતે દારૂ પીવાનો વ્યસન હતો. સવાર પડે અને તેને દારૂ વગર ચાલે તેમ ન હોવાથી તે રસ્તા પર પોલીસ બનીને લોકો પાસેથી પૈસા ઉઘરાવી..
આ તમામ પૈસાનો દારૂ પી જતો હતો. પોતાની કુટેવના કારણે તે આ પ્રવૃત્તિ કરતો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ એ તાત્કાલિક અશ્વિન નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ધરપકડ કરી ત્યારે પણ તે પીધેલી હાલતમાં જ હતો. પોલીસે આરોપી સામે અલગ અલગ કલમો હેઠળ ગુના પણ નોંધ્યા છે.
તેને કાયદાનું ભાન કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હકીકતમાં રોડ ઉપર ખોટી રીતે તોડ પાણી કરનાર લોકોથી ચેતીને રહેવું જોઈએ. આવા વ્યક્તિઓથી ક્યારેય પણ ડરવું જોઈએ નહીં. અને તેમની ફરિયાદ ન્યાયતંત્ર સુધી પહોંચાડવી જોઈએ જેથી કરીને તેમના કાળા કારનામા ના પરદાફાશ થઈ જાય અને સામાન્ય લોકો પોતાના ખિસ્સામાંથી પૈસા આપતા ચેતી જાય…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]