Breaking News

પિયરથી પૈસા નહી લાવે ત્યાં સુધી નોકરાણીની જેમ કામ કરાવીશું કહીને સસરાએ કર્યું એવું કે જાણીને તમને ખુબ જ ગુસ્સો આવવા લાગશે..!

આજકાલના લગ્નજીવન ખૂબ લાંબા સમય ચાલતા નથી કારણ કે, નાની નાની વાતમાં ખૂબ જ મોટા ઝઘડાઓ ઊભા થઈ જતા હોય છે. પતિ અને પત્ની બન્ને સમજદાર હોય તો ક્યારેય ઝઘડાઓ થતા નથી. પરંતુ આજકાલ પતિ અને પત્ની વચ્ચે સારો સુમેળ જોવા મળતો નથી. એટલા માટે અવારનવાર ઝઘડાઓ થતા હોય છે..

હાલ અમદાવાદ શહેરની એક યુવતીએ જેના સાસરિયાના લોકો સામે ફરિયાદ નોંધાવતા ગંભીર આક્ષેપો નાખ્યા છે. આ યુવતી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહે છે. જેના લગ્ન ત્રણ વર્ષ પહેલા બોટાદમાં રહેતા એક યુવક સાથે થયા હતા. હાલ આ યુવતીની ઉંમર ૨૫ વર્ષની છે. લગ્ન થયા બાદ તે પોતાના સાસરે ગઈ હતી..

સાસરે ગયા બાદ શરૂઆતના સમયમાં તો ઘરના સૌ કોઈ લોકો તેને ખૂબ જ લાડ પ્રેમથી રાખતા હતા. પરંતુ ધીમે ધીમે તેઓની દાનત બગડવા લાગી હતી. તેની સાસુ તેને કહેતી હતી કે, તારા બાપને શહેરમાં ઘણી બધી રીક્ષાઓ ચાલે છે. છતાં પણ અમને ખૂબ ઓછા રૂપિયા દહેજમાં આપ્યા છે. આ ઉપરાંત તે ઘરના કામકાજને લઈને મહિલા સાથે ખૂબ જ ઝઘડો કરતી હતી..

તેમજ માનસિક ત્રાસ પહોંચાડતી હતી. આ સાથે સાથે ઘરના અન્ય સભ્યો પણ તેના પર અત્યાચાર કરતા હતા. તેનો પતિ પણ અવારનવાર તેની મારપીટ કરતો હતો. અને જણાવતો હતો કે મેં મારા માતા-પિતાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે. તું મને બિલકુલ ગમતી નથી. આવા શબ્દો સાંભળતા ની સાથે જ મહિલા ખૂબ જ દુઃખી થઈ જતી હતી..

પરંતુ ત્યાં બધી બાબતોને સહન કરી રહી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું છે કે, તેના સસરા તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતા હતા. સસરા તેને કહેતા હતા કે તું જ્યાં સુધી તારા પિયરમાંથી પૈસા લાવી લાવી ને ઢગલો નહિ કરી દે ત્યાં સુધી તને ઘરમાં નોકરાણી ની જેમ કામ કરાવવામાં આવશે. આ યુવતી જ્યારે ઘરના કામ થાકીને આરામ કરે એટલા માટે તેનો સસરો આવીને ખૂબ જ બોલાચાલી કરવા લાગતો હતો..

આ મહિલા ઘરમાં કામ કરે છે કે નહીં એનું ધ્યાન રાખવા માટે તેના સસરાએ ઘરમાં સીસીટીવી કેમેરા પણ લખાવ્યા હતા. મહિલાને લગ્નજીવન દરમ્યાન એક દીકરીનો જન્મ થયો હતો. પરંતુ કમનસીબે દીકરી ખોડખાપણ વાળી જન્મતા પરિવારે દીકરીને સાચવવાનું બંધ કરી દીધું હતું. તેમજ તેની સારવાર માટે પૈસા આપવાની પણ સખત મનાઈ કરી દીધી હતી..

મહિલા જ્યારે તેના પતિને દીકરી ની સારવાર માટે જણાવતી હતી ત્યારે તેનો પતિ તેને કહેતો હતો કે તારા બાપા ખૂબ જ પૈસા વાળા છે તેની પાસેથી પૈસા લઈ આવી અને તારી દીકરીની સારવાર કરાવી નાખ. આ ઉપરાંત તેનો પતિ અવારનવાર રાત્રે મળવા આવતો હતો અથવા તો ઘણી બધી વાર ઘરે રાત્રે ઘરે આવતો હતો નહીં.

એટલા માટે જો મહિલા તેને પૂછે તો તેનો પતિ અવારનવાર તેને માર પીટ કરતો હતો. જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે પરિવારે જણાવ્યું હતું કે અમારે તો દીકરો જોતો હતો. હવે આ દીકરીનો ખર્ચ કોણ ઉપાડશે. આ સાથે સાથે તમે દહેજમાં પણ અમને કંઈ આપ્યું નથી. એટલા માટે હવે અમે આ દીકરીને રાખીશું નહીં. એમ કહીને આ યુવતીને માનસિક ત્રાસ પહોંચાડતા હતા.

મહિલાએ પોલીસને વધુમાં જણાવ્યું છે કે જ્યારે તેનો પતિ તેની સાથે લડાઈ-ઝઘડો કરતો હતો. ત્યારે તે જણાવતો હતો કે મારે તારી સાથે હવે રહેવાનું થતું નથી. હવે મારે બીજા લગ્ન કરવા છે. તું મને છૂટાછેડા આપીને જતી રહે. આ તમામ બાબતોથી કંટાળીને મહિલાએ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેના પતિ તેમજ સાસુ સસરાની સામે ફરિયાદ નોંધાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *