પિયરે માં-બાપને મળવા ગયેલી મહિલા સાસરે આવવાનું નામ ન લેતા ગુસ્સે ભરાયેલા પતિએ કાતર લઈને ટીંચી નાખતા થયું મોત, રુંવાટા બેઠા કરતો બનાવ..!

નાની નાની બાબતોમાં પતિ અને પત્ની વચ્ચે જ્યારે ઝઘડાઓ ઉત્પન્ન થાય છે. ત્યારે એ ઝઘડાવો એવા વળાંક ઉપર આવીને ઊભા રહે છે. કે ત્યાંથી પતિ અને પત્ની બંને માટે મુશ્કેલીની ઘડીઓ શરૂ થઈ જતી હોય છે. અત્યારે ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાંથી એવો સનસનાટી મચાવતો બનાવ બની ગયો છે કે, જેમાં એક દર્દનાક મૃત્યુનો કિસ્સો પણ સામે આવ્યો છે..

ગાઝિયાબાદમાં સાળીના જન્મદિવસે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલા માટે નરેશ તેના સાસરિયામાં આ પાર્ટીની અંદર હાજરી આપવા માટે ગયો હતો. નરેશ ના લગ્ન થોડા વર્ષો પહેલાં 22 વર્ષની વંશીકા કશ્યપ નામની યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય સુધી વંશીકા તેના સાસરે રહીએ અને ત્યારબાદ તેણે તેના પિયરે જવાની હઠ પકડી હતી..

ત્યારે તે તેના માતા પિતાને મળવા માટે જાય છે, તેમ જણાવ્યું હતું. પરંતુ હવે તેને કરતા પિયરમાં વધારે મન લાગી જતા તે સાસરીયા આવવાનું નામ લેતી હતી નહીં. એટલા માટે નરેશ આ પાર્ટીની અંદર હાજરી આપવા માટે ગયો અને વળતી વખતે તે તેની પત્નીને સાસરીયે પરત લઈ આવશે તેવું જણાવ્યું હતું..

રાતના આઠ વાગ્યા આસપાસ સૌ કોઈ લોકો આ જન્મ દિવસની ઉજવણી કરવામાં લાગી પડ્યા હતા. ત્યારે આર્યા નગર વિસ્તારની અંદર પહેલા માળે નરે છે તેની પત્નીવંશીકાને એક રૂમની અંદર મળવા માટે બોલાવી હતી. રૂમનો દરવાજો બંધ કર્યા બાદ નરેશે તેની પત્નીને જણાવ્યું કે, આ પાર્ટી પૂર્ણ થયા બાદ તારે મારી સાથે આપણે ઘરે આવા જવાનું છે..

કારણ કે ઘરે ખૂબ જ વધારે કામ છે. પરંતુ વંશીકા તેના પિયરમાં જ ટાંટીયા ઠરાવીને બેઠી હતી, નરેશે તેને ખૂબ જ સમજાવી પરંતુ તે સાસરીયા આવવા માટે તૈયાર હતી નહીં અને જુદા-જુદા બહાના કાઢીને સાસરિયામાં ન રહેવાનું જણાવતી હતી. નરેશ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો…

કારણકે છેલ્લા કેટલાક સમયથી તેના સગા સંબંધીઓએ પણ વંશિકાને તેની સાથે ન જોતા તેઓ સમજવા લાગ્યા હતા કે, આ બંને વ્યક્તિઓના છુટાછેડા થઈ ગયા છે. એટલા માટે હવે નરેશ કોઈપણ કારણે તેની પત્નીની સાથે રહેવા માટે તેને સાસરીયા લઈને જવા નીકળી પડ્યો હતો..

પરંતુ તેની પત્નીએ ના કહેતા બંને વચ્ચે લડાઈ ઝઘડો ઉત્પન્ન થઈ ગયો અને નરેશે ગુસ્સે ભરાઈને એ રૂમની અંદર પડેલી કાતર પોતાના હાથમા લીધી હતી અને તેની પત્નીના ગળા, પેટ અને માથાના ભાગે તાબડતોબ વાર કરી દેતા માત્ર ગણતરીની મિનિટો ની અંદર જ ઢીમ ઢાળી નાખ્યું હતું.

વંશીકાને મોતને ઘાટ ઉતાર્યા બાદ નરેશ તરત જ રૂમની બહાર લોકો કરીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. જ્યારે પાર્ટીની અંદર લાંબા સમય સુધી કોઈ વ્યક્તિએ વંશિકાને જોઈ નહીં ત્યારે તેને ફોન કરવાની કોશિશ કરી હતી અને એ ફોન રૂમની અંદરથી અવાજ આવતાની સાથે જ સૌ કોઈ લોકો આ રૂમ પાસે પહોંચ્યા અને રૂમનો લોક ખોલતાની સાથે તેઓએ જોયું તો વંશીકા મૃત હાલતમાં ત્યાં નીચે ઢળેલી પડેલી હતી…

તેને તરત જ નજીકની એમએમજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. વંશિકાના મા-બાપનું કહેવું છે કે, વંશિકાને તેના પતિ નરેશ ઉપર ખૂબ જ શંકા જતી હતી. તેને અવારનવાર એવું લાગતું હતું કે, નરેશ અન્ય કોઈ મહિલા સાથે સંબંધમાં જોડાયેલો છે…

એટલા માટે તે છેલ્લા છ મહિનાથી સાસરીયુ છોડીને તેના પિયરે આવી ગઈ હતી. પરંતુ નરેશ તેને ફરી પાછો તેના સાસરીયા લઈ જવા માટે આવી પહોંચ્યો અને એ વખતે લડાઈ ઝઘડો થઈ જતા આ ઘટના મૃત્યુ સુધી પહોંચી ગઈ છે. રોજબરોજ જ્યારે આવી હચમચાવી દેતી ઘટના આપણી નજર સામે આવે ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જાય છે. અને વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment