પારિવારિક સંબંધો જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તેમને બહાર કાઢવામાં ખૂબ જ વધારે મદદરૂપ બને છે. પરંતુ અત્યારના સમયની અંદર નજીવી ચીજ વસ્તુઓને કારણે અંદરો-અંદર લડાઈ ઝઘડા વધી જાય છે અને પારિવારિક સંબંધ તૂટી જવા પામતા હોય છે. પરંતુ કેટલાક લોકો તો સંબંધોની માન મર્યાદા ભૂલાવી દઈને પોતાના નજીકના સભ્યો સાથે જ ન કરવાના કારનામા પણ કરી બેસે છે..
અને પાછળ જઈને ધરાઈ ધરાઈને પછતાય છે, પરંતુ એક વખત કારનામુ કર્યા બાદ પાછળ જઈને પછતાવાનો કોઈ પણ ફાયદો રહેતો નથી. અત્યારે રાજસ્થાનના જયપુરમાંથી એક હચમચાવી દેતી ઘટના બની છે. અહીં દોલતપુરા વિસ્તારમા પ્રિયંકા નામની 16 વર્ષની દીકરી તેના માતા પિતા સાથે રહે છે..
પ્રિયંકાની મોટી બહેન શાલીનીના લગ્ન આજથી છ મહિના પહેલા 24 વર્ષના આશુતોષ નામના યુવક સાથે થયા હતા. આશુતોષ અને શાલીની બંને એકબીજાને પ્રેમ કરતા હતા. અને તેઓએ આ લવ મેરેજ પરિવારજનોની મરજી વિરુદ્ધ કર્યા હતા. શાલીનીના પરિવારજનોનું કહેવું હતું કે, આશુતોષ તારા માટે લાયક યુવક નથી એટલે અમે આ લગ્નની અંદર તારો સાથ સહકાર આપી શકે નહીં..
છતાં પણ શાલીની પરિવારજનોની વિરુદ્ધ જઈને આશુતોષ સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ જ્યારથી શાલીની લગ્ન કરીને આશુતોષ સાથે રહેવા લાગી ત્યારથી જ આશુતોષ તેને હેરાનપરેશાન કરવા લાગ્યો હતો. દિન પ્રતિ દિન ઝઘડા ખૂબ જ વધારે પ્રમાણમાં વધી જતા શાલીની તેના પતિથી કંટાળી જઈને તેના પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી..
પરંતુ આશુતોષ અહી ઉભો રહ્યો નહીં અને તેની પત્નીના પિયરે આવીને પણ તેને હેરાનગતિ પહોંચાડવા લાગ્યો હતો. એક દિવસ શાલીની તેના માતા પિતા સાથે ઘરની બહાર ગઈ હતી, ત્યારે ઘરે માત્ર શાલીની નાની બહેન 16 વર્ષની પ્રિયંકા હતી. એ વખતે 24 વર્ષનો આશુતોષ અહીં આવી પહોંચ્યું અને પોતાની સાળીને એકલી જોઈને તે દાનત બગાડી નાખી હતી..
તેણે તેની સાળીને પોતાની પાસે બોલાવી અને તેની સાથે ન કરવાના કારનામા પણ કરવા લાગ્યો હતો. જ્યારે 16 વર્ષની આ દીકરીએ આ તમામ કામગીરીઓથી વિરુદ્ધ જઈને મનાઈ ફરમાવી ત્યારે આશુતોષ તેને માર મારવા લાગ્યો અને કહ્યું કે જો તું કોઈ અન્ય વ્યક્તિને આ વાતની જાણકારી આપીશ તો હું તને જાનથી મારી નાખીશ એમ કહીને તેને 16 વર્ષની આ સાળીને પીંખી નાખી હતી..
આ દીકરી ખૂબ જ ચૂપચાપ રહેતી હતી અને તેણે કોઈપણ વ્યક્તિને આ ઘટનાની જાણકારી પણ આપી નહીં. પરંતુ જ્યારે પરિવારજનોએ તેને પૂછવાની કોશિશ કરી કે તું શા માટે ગુમસૂમ બેસી રહે છે અને કોઈ પ્રવૃત્તિ અંદર મન લાગતું નથી, ત્યારે તેને જણાવ્યું કે તેના 24 વર્ષના જીજાજી આશુતોષએ તેની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા છે..
જ્યારે પરિવારના તમામ સભ્યો ઘરની બહાર ગયા હતા, ત્યારે તેના જીજાજીએ એકલતાનો લાભ ઉઠાવીને તેની લાજ લૂંટી છે. આ ઘટના સાંભળતાની સાથે સમગ્ર પરિવાર હચમચી ઉઠ્યો હતો. આખે આખો પરિવાર નજીકના પોલીસ સ્ટેશનને પહોંચ્યો અને ત્યાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, 24 વર્ષના આશુતોષે તેમના પરિવારની સોળ વર્ષની દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે..
પોલીસે પણ પરિવારજનોના નિવેદનના આધારે ફરિયાદ નોંધી છે અને આશુતોષને પકડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. જ્યારે આ ઘટનાના સમાચાર આસપાસના પડોશીઓ સુધી પહોંચે ત્યારે તેઓ પણ કહેવા લાગ્યા કે, આજકાલના સમયની અંદર કયા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો જોઈએ અને કયા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ..
તેની કોઈપણ વ્યક્તિને માહિતી હોતી નથી, અત્યારે નજીકના જ વ્યક્તિઓ આપણને દગો આપીને જતા રહે છે. તેમજ આપણી લાજ લુટે છે. તેમજ છેતરપિંડી પણ કરી નાખે છે. એટલા માટે હવે ડગલેને પગલે ચેતીને જીવન જીવવું જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]