આજના સમયમાં રસ્તા ઉપર લોકો ગમે તેમ વાહનો ચલાવવાને કારણે બનતા અકસ્માતો જોયા છે અને આવા અકસ્માતોમાં ઘણા બધા વ્યક્તિઓ પોતાના નિર્દોષ જીવ ગુમાવી રહ્યા હોય છે. પરંતુ હાલમાં એવી ઘટના સામે આવી હતી. જેમાં કોઈ અકસ્માત થયો ન હતો પરંતુ કુદરતી જ વ્યક્તિનું એવી રીતે મૃત્યુ થયું હતું.
જે જાણીને દરેક લોકો ચોકી ગયા હતા. આ ઘટના સિનર શહેરના વાવી વેશ સંકુલ પાસે આવેલા શિરડી હાઇવે પર બની હતી. અકોલા તાલુકાના ધમણગાંવમા સંતોષ લહલુ કોકરકર તેમના પરિવાર સાથે રહેતા હતા પરંતુ તેઓ એક દિવસ તેમના સાસરે ગયા હતા. સંતોષભાઈની ઉંમર 29 વર્ષની હતી. તેમની પત્ની સાસરીયે રહેવા માટે ગઈ હતી.
જેના કારણે તેઓ સાસરે પત્નીને લેવા માટે ગયા અને ત્યારબાદ બે દિવસ ત્યાં રોકાયા બાદ ફરીથી પોતાના વતન ગુજરાત આવવા માટે તેઓ નીકળ્યા હતા. તે સમયે તેઓ વાવી વૈસ સંકુલમાં હાઇવે પર પહોંચ્યા ત્યારે તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જેના કારણે સંતોષભાઈએ ધ્યાન રાખીને પોતાની કારને રસ્તાની એક બાજુ પર પાર્ક કરી દીધી હતી.
અને તેમણે વિચાર્યું કે તે થોડીવાર અહીં રેસ્ટ કરીને ત્યારબાદ ફરીથી ડ્રાઇવિંગ કરશે પરંતુ તેઓએ કાર જેવી ઉભી રાખી અને તેમને છાતીમાં ખૂબ જ ગભરામણ થઈ રહી હતી અને છાતીમાં દુખાવો થતો હતો. જેના કારણે તેઓ હજુ કારની બહાર નીકળે તે પહેલા જ કારમાં તેઓ ઢળી પડ્યા હતા. તેમ સંતોષભાઈની સાથે કારમાં બીજું કોઈ નહોતું.
સંતોષભાઈ એકલા જ કારમાં હતા. જેના કારણે કાર ઘણા સમયથી લાંબા સમયથી રોડની સાઈડમાં પડેલી સ્થાનિક લોકોએ જોઈ હતી. આસપાસ રહેતા લોકોએ વિચાર્યું કે આ કાર લાંબા સમયથી રોડ પર પાર્ક કરેલી છે અને તેમાંથી કોઈ બહાર આવી રહ્યું નથી કે બેસી રહ્યો નથી. જેના કારણે સ્થાનિક લોકો કારની આસપાસ તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે જોયું તો કારની સીટ પર એક યુવક ઢળી પડ્યા હતા.
આ યુવકને જોતા તરત સ્થાનિક લોકોએ સિનિયર પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવી હતી અને કારના લોક તોડીને યુવકને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા પરંતુ બહાર કાઢતા સમયે પોલીસે જોયું તો સંતોષભાઈનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે તરત સંતોષભાઈના પાકીટમાંથી તેમના આઈડી પ્રુફ કાઢીને તેમના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરી હતી.
સંતોષભાઈના મૃતદેહને સીટી કાઉન્સિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો ત્યારબાદ પરિવારના લોકો તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા. તે સમયે ડોક્ટરે જણાવ્યું હતું કે સંતોષભાઈ નું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થઈ ગયું છે. આ સાંભળતા જ પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા અને તેમની પત્ની પોતાનું ભાન ભુલાવી બેઠી હતી.
સંતોષભાઈએ પોતાની હોશ રહેતાં તેમણે રસ્તાની બાજુમાં પોતાની કાર પાર્ક કરી દીધી તે ખૂબ જ સારું કામ કર્યું હતું. જેના કારણે મોટી દુર્ઘટનાઓ થતી અટકી હતી. આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો રાજી ખુશીથી પોતાના ઘરેથી બહાર કામ કરવા માટે નીકળતા હોય છે પરંતુ ક્યારે તેમની સાથે આવી ઘટનાઓ બની જાય તે કહી શકાતું નથી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]