Breaking News

પિતાએ નાગને મારી નાખ્યો તો નાગણીએ 15 કલાક પછી 12 વર્ષના દીકરાને ડંખ મારીને લીધો બદલો, તાંત્રિકે કહ્યું કે…!

નાગ નાગણનો પ્રેમ એક બીજા ઉપર એટલો બધો હોય છે કે, તેઓ એકબીજા માટે મનુષ્યની જેમ જ જીવન પર ન્યોછાવર કરી દેતા હોય છે. નાગ નાગણ બંનેમાં બદલો લેવાની ભાવના કૂટીને ભરેલી હોય છે. તો કોઈ પણ વ્યક્તિ તેઓની સાથે વધારે પડતી મસ્તી મજાક કરે તો તેઓ નું પરિણામ ખૂબ જ ગંભીર આવતું હોય છે..

હાલ મધ્યપ્રદેશના સિહોર વિસ્તારમાં નાગ અને નાગણની સાથે એક અવનવો બનાવ બન્યો છે. મધ્યપ્રદેશના બુદની તાલુકામાં જોશીપુર ગામ આવેલું છે. આ ગામમાં કિશોરીલાલ નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહીને મજૂરી કામ કરે છે. પરિવારમાં પત્ની તેમજ પુત્ર નો સમાવેશ થાય છે..

હાલ ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલતી હોવાથી ઘરની આસપાસના વિસ્તારમાં સાંજે નવ વાગ્યાની આસપાસ કિશોરીલાલ નામના વ્યક્તિએ એક નાગને જોયો હતો. આ નાગ અન્ય કોઈ વ્યક્તિને ડંખ મારી લેશે અથવા તો જીવ નું જોખમ પેદા થશે એ ડરના કારણે કિશોરીલાલ ને આ નાગને મારી નાખ્યો હતો અને માર્યા બાદ તેને જંગલમાં ફેંકી દીધો હતો..

પરંતુ નાગના મોતનો બદલો લેવા નાગણી તૈયાર થઈ ગઈ હતી. અને તે રાત્રે બે વાગ્યા આસપાસ કિશોરીલાલના ઘર પાસે આવી હતી રાત્રે ઘરમાં કિશોરીલાલ તેની પત્ની તેમજ તેમનો બાર વર્ષનો દીકરો રોહિત સુતા હતા. એ સમય દરમ્યાન નાગણી રોહિત ને ડંખ મારી લીધો હતો.

રોહિત જોરજોરથી ઊંઘમાં બુમાબુમ કરવા લાગ્યો હતો. એટલા માટે પરિવારના સૌ કોઈ લોકો જાગી ગયા હતા. અને જોયું તો રોહિત ના ડંખ મારીને નાગણી પૂર ઝડપે ત્યાંથી જતી હતી. આ બનાવ બનતાની સાથે જ રોહિતને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે તેના પરિવારના લોકોએ રોહિતની તાંત્રિક વિધિ કરવાનો વિચાર કર્યો હતો..

તાંત્રિક વિધિ કર્યા બાદ પણ રોહિતને ડંખ નો દુખાવો હળવો પડયો ન હતો. એટલા માટે અંતે તેઓ રોહિત નર્મદાપૂરમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ડૉક્ટરને પ્રાથમિક સારવાર આપી અને ત્યારબાદ તેને ભોપાલ લઇ જવા માટે કહ્યું હતું. પરંતુ ગામના લોકો રોહિતને વધુ સારવાર માટે લઇ જવાને બદલે ફરી એકવાર ગામ લઈ આવ્યા હતા..

અને તાંત્રિક પાસે વિધિ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ સવારના પાંચ વાગ્યા આસપાસ નાગણના ડંખ મારવાને કારણે રોહિત મૃત્યુ થઈ ગયું હતું તાંત્રિકે કહ્યું હતું કે તેઓ રોહિતને સાજો કરી આપશે પરંતુ ગામના લોકોએ હોસ્પિટલની સારવારને બદલે તાંત્રિક વિધિ ઉપર વધારે ભરોસો કર્યો હતો.. અને અંતે બાર વર્ષના દીકરાનું મૃત્યુ થયું છે.

જ્યારે રોહિતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો જાણ થઈ કે રોહિત મૃત્યુ નાગણના ડંખ મારવાને કારણે થયું છે. આ સાથે સાથે તેનું આખું શરીર અને નખ તેમજ ગળાનો ભાગ પણ લીલો થઈ ગયો હતો. ગામજનોને ખબર મળતાની સાથે જ ગ્રામજનોએ આ નાગણીને શોધી કાઢી હતી અને તેને પણ મારી નાખી હતી. ખરેખર આ બનાવ સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો ચોંકી ઉઠયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *