Breaking News

પિતાને ખબર પડી કે તેમની જુવાન દીકરી ભાગીને લગ્ન કરવાની છે, તો માથાફરેલ બાપે લાડકી દીકરીને કુહાડીથી વાઢી નાખી, અને પછી તો થયું એવું કે….

મારા-પિતા તેમના દીકરા અને દીકરીને ખૂબ જ લાડ પ્રેમથી રાખે છે. તેમજ તેની ખૂબ જ સારી રીતે ઉછેર પણ કરતા હોય છે. પોતાના દીકરા કે દીકરીઓ ભણી-ગણીને ભવિષ્યમાં ખૂબ જ મોટું નામ કમાય એટલા માટે મા-બાપ તેની દરેક ચીજ વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખે છે. પરંતુ જ્યારે માતા-પિતાને તેમના બાળકો ઉપરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારબાદ.

એ વિશ્વાસને પરત લાવવો મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની જતું હોય છે. અત્યારે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં 19 વર્ષની એક દીકરીથી નારાજ થઈને તેના સગા પિતાએ તેની સાથે ન કરવાનું કરી નાખ્યું છે. ગુરુબક્ષગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે સુગરપુર ગામ આવેલું છે..

આ ગામમાં વિજયકુમાર તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની 19 વર્ષની દીકરી જ્યોતિ તેની પત્ની અને એક દીકરાનો સમાવેશ થતો હતો. વિજય કુમાર ગામમાં જ એક મીઠાઈની દુકાન ચલાવે છે. જ્યારે તેની પત્ની અને બાળકો ખેતરમાં ખેતી કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવવામાં મદદરૂપ બને છે..

એક દિવસ મીઠાઈના દુકાન પર આવેલા એક યુવકે વિજયકુમારને જણાવ્યું હતું કે, તેમની 19 વર્ષની દીકરી જ્યોતી ગામના જ એક યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કરવા જઈ રહી છે. વિજયકુમારને આ અગાઉ પણ જ્યોતિના પ્રેમ પ્રકરણની માહિતી અન્ય એક વ્યક્તિ પાસેથી જાણવા મળી હતી ત્યારે આ માહિતી મળી ત્યારે વિજયકુમારે તેની દીકરીને જણાવ્યું હતું..

કે તારે જે કોઈ પણ સંબંધ હોય એ તમામ સંબંધો પતાવી દેજે, જો હું કહું એમ નહીં કરે તો પરિણામ ખૂબ જ મોટું આવશે અને તેને ભોગવવું પણ પડશે.. ટૂંકમાં વિજય કુમારે તેની દીકરીને આ તમામ બાબતો છોડી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ જ્યોતિ તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લેશે આવું સાંભળતા જ તેણે પિત્તો ગુમાવી દીધો હતો..

એક દિવસ તે સવારના સમયે તેની પત્ની અને તેનો દીકરો ખેતરે કામકાજ કરવા માટે ગયા. જ્યારે ઘરે માત્ર વિજયકુમાર અને તેની 19 વર્ષ ની દીકરી જ્યોતિ હાજર હતા. ગુસ્સે ભરાયેલા વિજયકુમારે કુહાડી લઈને પોતાની જ દીકરીને વાઢી નાખી હતી અને ત્યારબાદ ત્યાંથી ભાગી જવાને બદલે તેને ત્યાં બેઠો રહ્યો…

ત્યારે આસપાસના પડોશીઓએ જ્યોતિનો મૃતદેહ જોયો અને તેની બાજુમાં બેઠેલા વિજય કુમારને જોતાની સાથે સૌ કોઈ લોકો સમજી ગયા કે, વિજય કુમારે જ તેની દીકરીને મારી નાખી છે. આસપાસના વ્યક્તિઓએ તાત્કાલિક ખેતરે દોડી જાય આ ઘટનાની માહિતી જોતીના ભાઈ તેમજ જ્યોતિની માતાને આપી હતી કે, વિજય કુમારે તેની દીકરીને પતાવી દીધી છે..

ત્યારબાદ આસપાસના સૌ કોઈ લોકોએ હાલો મચાવીને ત્યાં એકઠા થઈ ગયા હતા. આ ઉપરાંત પોલીસને પણ માહિતી આપતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યોતિની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓને સહેજ પણ અંદાજો હોતો નહીં કે, તેમની નજર સામે તેમને આ દિવસો જોવાનો વારો આવશે..

આ દિવસની તેઓએ ક્યારેય પણ કલ્પના કરી હતી નહીં. વિજય કુમારે તેની દીકરી સાથે વાતચીત કરવાની બદલે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માત્ર 19 વર્ષની ઉંમરમાં જોતીને ગામના સાથે પ્રેમ સંબંધ થઈ ગયો અને તે ભાગીને લગ્ન કરવા માંગતી હતી. હકીકતમાં આ ઉંમરમાં ઘણી ગણીને મા બાપનું તેમજ દેશનું નામ રોશન કરવાની સુવર્ણ તક રહેલી હોય છે..

અને આ ઉંમરમાં આજકાલના યુવતીઓ પ્રેમ પ્રકરણમાં પડી રહ્યા છે. આ બાબત કંઈક માનવામાં આવે તેવી નથી. તો બીજી બાજુ વિજય કુમારે પણ પોતાની દીકરીને લાડ પ્રેમથી સમજાવાને બદલે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. એ બાબત પણ બિલકુલ ખોટી હોવાનું આસપાસના ગામના લોકો જણાવી રહ્યા છે. હાલ પોલીસે જ્યોતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *