નાના બાળકોને ચોકલેટ જેવી ચીજ વસ્તુ ખાવાનો ખૂબ જ શોખ રહેલો હોય છે. આ ઉપરાંત તેઓ જ્યારે ચોકલેટ ખાય છે. ત્યારે તેમના મિત્રોને પણ મજાક મશ્કરી કરીને જણાવતા હોય છે કે, મારા પપ્પા મારા માટે ચોકલેટ લાવ્યા છે અને આ ચોકલેટ હું એકલો જ ખાઈ લઈશ.. તને નહિ આપુ કહીને નાના બાળકો રમત ગમત કરતા હોય છે..
પરંતુ અત્યારે એક ચોકલેટ આઠ વર્ષના બાળકનો જીવ લઈ બેઠી છે. તમને કદાચ આંચકો અનુભવાશે કે એક ચોકલેટથી કેવી રીતે બાળકનો જીવ જતો રહે તો તમારે પણ આ ઘટના સાંભળી લેવી જોઈએ અને તમારા બાળકોનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આ મામલો તેલંગાણાનો છે..
અહીં વારાંગલ પાસે એક રાજસ્થાની પરિવાર રાજીખુશીથી જીવન જીવે છે. તેવું મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રાયથલ ગામના છે. અને તેઓ તેલંગાણાના વારંગલ પાસેના મકાનમાં રહેતા હતા. કનવરસિંહ ઓસ્ટ્રેલિયામાં પોતાના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. જ્યારે તેમના બાળકોમાં 12 વર્ષનો રાજવીર, 8 વર્ષનો સંદીપ, 5 વર્ષનો કમલેશ અને સાત વર્ષની રેણુકાનો પણ સમાવેશ થતો હતો..
સંદીપ નજીકમાં આવેલી શારદા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ઓસ્ટ્રેલિયાથી તેમના બાળકો માટે ચોકલેટ લઈને આવ્યા હતા. આ ચોકલેટ આઠ વર્ષનો સંદીપ તેની શાળાએ લઈ ગયો હતો. જ્યારે તે શાળાના દાદર ચડતો હતો. ત્યારે તેણે આ ચોકલેટ પોતાના મોઢામાં મૂકી હતી પરંતુ અચાનક જ આ ચોકલેટ તેના મોઢામાં ફસાઈ ગઈ હતી..
અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને તે તેને ત્યાં જ ઢળી પડ્યો હતો. તેની સાથે રહેલા અન્ય વિદ્યાર્થીઓ તરત જ શિક્ષકોને જાણકારી આપી હતી કે, સંદીપ દાદર ઉપર ઢળી પડ્યો છે અને તે શ્વાસ લઈ શકતો નથી. શિક્ષકો તરત જ એકઠા થયા અને સંદીપને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યારે ડોક્ટર હોય તપાસ કરી ત્યારે તેઓએ જણાવ્યું કે, સંદીપનું મૃત્યુ થઈ ગયું છે અને આ મૃત્યુ તેની માત્રને માત્ર એક ચોકલેટ ખાવાને કારણે થયું છે. ચોકલેટ તેને ગાળાના ભાગે ફસાઈ ગઈ હતી. જેના કારણે શ્વાસનળીનો પગ દબાઈ ગયો અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી..
તેનો જીવ ગુંચાતો ગયો અને અંતે તેનું મૃત્યુ થઈ ગયું હતું. સંદીપના પિતા કંવરસિંહ ઓસ્ટ્રેલિયાથી માત્ર દસ દિવસ માટે ભારત પોતાના પરિવારને મળવા માટે આવ્યા હતા અને તેઓ પોતાની સાથે ચોકલેટ લઈને આવ્યા અને આ ચોકલેટ જ તેમના બાળકનું મૃત્યુ બની ગયું હતું. જ્યારે આ ઘટના બની ચૂકી ત્યારે તેઓ સાંજના સમયે જ પોતાના વતન જવા માટે નીકળી ગયા હતા..
જ્યાં આઠ વર્ષના દીકરાના સંદિપની અંતિમવિધિ ની કામગીરી પણ કરવામાં આવી હતી. ડગલેને પગલે આપણે આપણા બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આ મામલો દરેક મા-બાપ માટે લાલબત્તી સમાન સાબિત થયો છે. આ અગાઉ પણ એક શાળાની અંદર ચોકલેટ ના કારણે એક બાળકનો જીવ ગયો હતો..
જેમાં બાળકીએ શાળાએ જવાની ના પાડતી હતી અને તેને માતાએ તેને મનાવવા માટે ચોકલેટ આપી હતી. પરંતુ આ બાળકી એ ચોકલેટ ને કાગળ સહિત ખાઈ જવાને કારણે પેટમાં ગરબડ શરૂ થઈ હતી અને તેનો પણ શ્વાસ રૂંધાવાને કારણે તેનું મૃત્યુ પણ થઈ ગયું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]