Breaking News

પિતાએ 42 વર્ષે લફરું કરતા ગુસ્સે ભરાયેલા જુવાન દીકરાઓએ સગા બાપને મારીને ભઠ્ઠીમાં શેકી નાખ્યો, પોલીસના પણ પરસેવા છૂટી ગયા..!

પરિવારના રીતે રિવાજ અને નિયમોને જો તોડવામાં આવે તો ઘરના વડીલો ક્યારે પણ આપણને માફ કરતા નથી, પરંતુ હવે તો પરિવારના નવ જુવાન અને સારી સમજણ શક્તિ ધરાવતા લોકો પણ પરિવારને વિરુદ્ધ જનારને પોતાની જાતે સજા આપવા લાગ્યા છે. જે બિલકુલ ખોટું છે. અત્યારે પુણેમાં 43 વર્ષના એક યુવકને પોતાના સગા બે બાળકોએ મોતને ઘાટ ઉતારી દીધો છે.

મૃતક વ્યક્તિનું નામ ધનંજય નવનાથ બંસડે હોવાનું સામે આવ્યું છે, જે એક ફૂડ કોર્નર ઉપર ફરસાણની ચીજ વસ્તુઓ વેચતો હતો. ધનંજયને સુખી લગ્ન દરમિયાન બે બાળકો છે. જેમાં 22 વર્ષના સુજીત તેમજ 18 વર્ષના અભિજીતનો સમાવેશ થાય છે. સૂજીત કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે..

જ્યારે નાનો દીકરો અભિજીત બારમા ધોરણમાં ભણે છે. આ બંને બાળકોના ઉજવળ ભવિષ્યની ચિંતા કરવાની બદલે બંને બાળકોના પિતા ધનંજય 43 વર્ષે એક મહિલા સાથે લફરું કરી નાખ્યું હતું. એટલું જ નહીં પરંતુ તે એ મહિલાને મળવા માટે અવારનવાર જતો રહેતો હતો. જ્યારે ધનંજયના બંને બાળકોને જાણકારી મળી કે, તેમના પિતા તેમની માતાને પ્રેમ કરવાને બદલે અન્ય કોઈ મહિલાને પ્રેમ કરી રહ્યા છે..

અને તેની સાથે ઘણો બધો સમય વિતાવી રહ્યા છે. ત્યારે આ બંને બાળકોએ પોતાના પિતાને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ ધનંજય વારંવાર સમગ્ર પરિવાર સાથે આ બાબતને લઈને મારા મારી કરવા લાગતો હતો. પોતાની પિતાની આ બધી હરકતોથી બંને બાળકો ખૂબ જ ગુસ્સે ભરાતા હતા, પરંતુ તેના પિતા હોવાને કારણે તેણે ક્યારેય પણ પોતાના બાપને શિખામણ આપવાનું વિચાર્યું નહીં..

પરંતુ એક વખત જ્યારે આ ઘટનાને લઈને પોતાની પત્ની ઉપર હાથ ઉપાડ્યો ત્યારે બંને બાળકો એટલા બધા ગુસ્સે ભરાઈ ગયા કે તેઓએ તેના પિતાને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. એટલું જ નહીં પરંતુ બંને બાળકોએ એક ભઠ્ઠીની અંદર પોતાના બાપને શેકી નાખ્યો હતો. જ્યારે તેની લાશ બળીને ખાખ થઈ ગઈ..

ત્યારે તેની રાખ અને હડીને ઇન્દ્રાણી નદીની અંદર વહેવડાવી દઈ બંને બાળકો પોતાના પિતા ગુમ થઈ ગયા છે. તેવી ફરિયાદ પોલીસમાં નોંધાવી દીધી હતી. પોલીસે આ ઘટનાને લઈને તપાસ પણ શરૂ કરી દીધી, પરંતુ ક્યાંયથી તેનો અતોપતો ન મળતા અંતે ધનંજયના છેલ્લા ત્રણ વર્ષના કોલ રેકોર્ડિંગ કાઢવામાં આવ્યા હતા..

અને આ રેકોર્ડિંગ ની અંદર નાગપુરની એક મહિલાને વારંવાર કોલ કરવામાં આવ્યો હોય તેવું જણાવ્યું હતું. આ મહિલાને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ધનંજય આ મહિલાના પ્રેમમાં પાગલ હતો, આ મહિલાએ જણાવ્યું કે ધનંજયને મારનાર વ્યક્તિ નક્કી તેના કોઈ પરિવારનો છે..

જ્યારે બંને બાળકો ઉપર શંકા ગઈ ત્યારે બંને બાળકોની કડક પૂછતા શરૂ કરવામાં આવી હતી, જેમાં તેઓએ કબૂલી લીધું કે તેઓએ જ પોતાના પિતા ધનંજય ને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ કેસ આટલો બધો અટપટો હતો કે તેને સુલજાવા માટે પોલીસને પણ ફીણ આવી ગયા હતા કારણ કે, આ બંને બાળકોએ પોતાના બાપની એક પણ વસ્તુ કે સબૂતને બાકી મૂક્યા હતા નહીં, એટલા માટે આ કેસને સુલજાવો ખૂબ જ મુશ્કેલ હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *