ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કરેલું કંકાસમાં જીવલેણ હમલા કરીને એક બીજાનો જીવ લઈ લેવાના બનાવો છાશવારે સામે આવે છે. આ બનાવોને જોતા એવું લાગી રહ્યું છે કે, ઘરના સભ્યોને એકબીજા ઉપર જોઈએ તેટલો વિશ્વાસ રહ્યો નથી. હાલ એ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો કાકુજીની પોળ પાસેથી સામે આવ્યો છે..
ભસાડી ગામમાં જગદનગર વિસ્તારમાં પોપટભાઈ તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. તેઓની ઉંમર વર્ષ 70 છે. પરિવારમાં તેમનો દીકરો, દીકરી અને પત્નીનો સમાવેશ થતો હતો. પરંતુ તેમના દીકરાની માનસિક હાલત બરાબર ન હોવાને કારણે અવારનવાર ઘરનાં સભ્યો સાથે ઝઘડો કરી બેસતો હતો.
પોલીસને તપાસમાં જાણ થઈ છે કે, પોપટભાઈનો દીકરો અસ્થિર મગજનો છે. તેમજ તે છૂટક મજૂરી કામ કરીને સાંજે ઘરે પરત ફરતો હતો. એક દિવસ ઘરે આવ્યા બાદ પુત્રએ તેના પિતા પોપટભાઈને લાકડી વડે ઢોર માર મારવા લાગ્યો હતો. એ સમયે ઘરના સભ્યો તાત્કાલિક ધોરણે આ દ્રશ્ય જોઇ જતાં બંનેને છૂટા પડાવ્યા હતા..
પરંતુ બે દિવસ બાદ ફરી એકવાર બપોરના સમયે જ્યારે પોપટભાઈ ઘરે સુઈ રહ્યા હતા. એ સમયે તેમનો દીકરો કુહાડી લઈને ઘરમાં પ્રવેશ્યો હતો અને પોપટભાઈના માથા તેમજ ગરદનના ભાગ ઉપર કુહાડીના ઘા મારવા લાગ્યો હતો. આસપાસના લોકો અને આ ઘટનાની જાણ થાય એ પહેલાં તેણે પોપટભાઈને કુહાડીના ખુબ ઊંડા ઘા લગાવી દીધા હતા..
જેના પગલે પોપટભાઈ ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઇ ગયા હતા. પોતાના પિતાને લોહીલુહાણ હાલતમાં જોઇને પોપટભાઈનો દીકરો પરેશ ગભરાઇ ગયો હતો. અને ઘર મૂકીને નાસી છૂટ્યો હતો. પોપટભાઈ જોર જોરથી બુમાબુમ કરવા લાગ્યા હતા. એટલે આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા…
અને પોપટભાઈને લોહીલુહાણ હાલતમાં જોઇને તાત્કાલિક તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે પોપટભાઈનું મૃત્યુ થયું છે. એવામાં સૌ કોઈ લોકોએ પોપટભાઈના દીકરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે…
પોપટભાઈનો દીકરો પરેશ ફરાર થઇ ગયો હતો. પરંતુ જે રાતના સમયે ઘરે આવ્યાની સાથે પોલીસે તેને દબોચી લીધો હતો. ત્યારબાદ તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તેમજ આગળની તપાસ હાથ ધરી છે. એવું તો શી ઘરેલી બાબતો બની હશે કે જેના કારણે એક પુત્રએ તેના પિતાનો જીવ લઈ લીધો છે.
એ બાબત વિચારો પર સૌ કોઈ લોકો મજબૂર બની ગયા છે. હકીકતમાં પરિવારના મોભી નું મૃત્યુ થતાં પરિવાર ઉપર આફતોના વાદળ ઘેરાઈ આવ્યા છે. એકબાજુ પરિવારના મોભીનું મોત થયું છે તો બીજી બાજુ મોતને ઘાટ ઉતારનાર સગા દીકરાની જિંદગી હવે બરબાદ થઈ જવા પામી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]