હાલના સમયમાં માતા-પિતા પોતાના બાળકોને ભણાવવા માટે અનેક મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. માતા-પિતા પોતાના બાળક સારો એવો અભ્યાસ કરીને તેમનું સારું ભવિષ્ય બનાવે તેવું ઇરછી રહ્યા છે. જેના કારણે માતા-પિતા ગમે તેવી લોન લઈને પોતાના બાળકોની ફી ભરી રહ્યા છે. આ ઘટના અલવર જિલ્લાના ગામમાં બની હતી.
લખમણગઢના હરસાણાના માલીવાસ ગામના રહેવાસી પરિવારના યુવક સાથે બની હતી. યુવકનું નામ પુરાણ સિંહ હતું અને તેમની માતાનું નામ ગોપી સિંહ છે. પુરણસિંહની ઉંમર 24 વર્ષની હતી. તેમના પરિવારમાં માતા-પિતા સાથે રહેતો હતો. પુરણસિંહને બી.એડમાં એડમિશન લીધું હતું. પિતા આ દીકરાને ભણાવવા ઈચ્છતા હતા.
જેના કારણે તેમણે એમીશનના પૈસા જમા કર્યા હતા. લોન લઈને પોતાના દીકરાને બી.એડમાં એડમિશન કરવા માટે ફી ભરી હતી. પુરણસિંહ ખૂબ જ સજજન વ્યક્તિ હતા. તેની આર્થિક પરિસ્થિતિને લઈને તે ખૂબ જ ચિંતા કરી રહ્યો હતો. તેના પિતા ખેતી કામ કરતા હતા. માત્ર દોઢ વિઘા જમીન વાવીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
પૂરણ સિંહને એક ભાઈ છે. જે દિલ્હીમાં મજૂરી કામ કરે છે. તેને પણ ઘરનો ખર્ચ કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો. છતાં પણ પિતાએ દીકરો ભણે તે માટે એડમિશનના પૈસા લોન લઈને ભર્યા હતા. જેના કારણે પુરણ સિંહ પિતાની આ ચિંતાને પોતાની ચિંતા માનીને ખૂબ જ હેરાન થઈ રહ્યો હતો. પિતાએ વ્યાજ પર લોન લઈને તેની ફીના પૈસા ભર્યા હોવાને કારણે પુરણસિંહને ટેન્શન વધી ગયું હતું.
એક દિવસ ખૂબ જ માનસિક તણાવમાં રહેતો હોવાને કારણે તેણે ઘરમાં ઝીણું ખાસ બાળવાની દવા રાખવામાં આવતી હતી. તે ઝેરી દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી પરંતુ પરિવારના સભ્યો આવી જતા પુરણસિંહ ને તરત જ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેમની સારવાર થઈ હતી.
ચાર પાંચ દિવસ પૂર્ણસિહની સારવાર ચાલી હતી અને તેની પાછળ એક લાખથી વધુ પિતાએ સારવારનો ખર્ચ કર્યો હતો પરંતુ થોડા દિવસ સારવાર બાદ પુરણસિંહનું મૃત્યુ થયું હતું. પુરણસિંહનું મૃત્યુ થતા પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. પુરણસિંહને ભણાવવા ઈચ્છતા પિતા પર દેવું પણ વધી ગયું હતું. તેનો દીકરો પણ પોતાની જિંદગી છોડીને ચાલ્યો ગયો હતો. પરિવારમાં અંધકાર છવાઈ ગયો હતો. ગામમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]