પિતા અને પુત્રીનો પ્રેમ ખુબ જ અજોડ હોઈ છે. દરેક પિતા ને તેની દીકરી અને દરેક માતાને તેનો દીકરો ખુબ જ વહાલો હોઈ છે. પરતું આ કેસ સામે આવ્યા બાદ પિતા અને પુત્રીનો સબંધ લજવાયો છે. કારણ કે ભાવનગરમાં એક સગા પિતાએ જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે.
આજના જેવી બાબતોમાં એકબીજા સાથે બદલો લેવાની ભાવના પેદા થવાથી રોજ એવા ઘણા ઘરકંકાસ ના કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં આજે ભાવનગરના સિહોર માંથી એક કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળ્યા બાદ તમે પણ માથું પકડી લેશો કે ખરેખર આ જમાનામાં કોઈ કોઈનું નથી રહ્યું.
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં આવેલા ખારાકુવા વિસ્તારમાં હરેશભાઈ શાહ અને તેમનો પરિવાર રહે છે. તેમની દીકરી ના લગ્ન ભાવનગર ખાતે કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ સુખી લગ્નજીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. પરંતુ કોઇને કોઇ કારણોસર તેઓની વચ્ચે ખૂબ જ ઝઘડા થતાં…
તેઓના સુખમય જીવન નોંધાવ્યો હતો. અને બંને વચ્ચે છુટાછેડા થયા હતા છુટાછેડા બાદ હરેશભાઈ ની દીકરી બેલાબેન પોતાના દીકરા સાથે પિયરમાં આવી હતી. ત્યારબાદ હરેશભાઈ એ તેમની દીકરી ના બીજા લગ્ન મહુવા ખાતે ગોઠવ્યા હતા. ત્યાં પણ લગ્ન બાદ પતિ સાથેના રોજના ઝઘડાથી કંટાળીને છૂટાછેડા થયા હતા..
અને બેલાબેન પરિવાર પોતાના પિતાના ઘરે રહેવા માટે આવી હતી. પરંતુ આ વખતે કંઈક જુદું જ બન્યું હતું બેલાબેન હરેશભાઈના ઘરમાં આવતાંની સાથે જ રોજ ઝઘડા ચાલુ થઈ ગયા હતા. ઘરના કોઈ ને કોઈ સભ્યો એકબીજા સાથે રોજ ઝઘડવા લાગ્યા હતા. જેને કારણે હરેશભાઈ અને બેલાબેન વચ્ચેનું અંતર ખૂબ વધી ગયું હતું…
તેઓ વચ્ચે અવારનવાર થતા ઝઘડાના કારણે ઘરના સમગ્ર લોકો કંટાળી ગયા હતા. બે દિવસ પહેલા પણ સવાર સવારમાં તેઓના ઘરે ઝઘડો થયો હતો. પિતા અને પુત્રી વચ્ચે નો ઝગડો આટલો બધો વિકરાળ બની ગયો હતો કે, હરેશભાઈ એ પીતો ગુમાવતા હાથમાં દસ્તો પકડ્યો હતો અને પોતાની દીકરીને દસ્તા ના ઘા મારી મારીને ત્યાં જ ઢાળી દીધી હતી.
આખરે પુત્રો અને પુત્રી ગમે તેવા ભલે હોય છતાં પણ મા-બાપે તેને સાચવવા જોઈએ. પરંતુ આ કિસ્સામાં હરેશભાઈ મગજ કાબૂમાં રાખી શક્યા ન હતા. અને પોતાની સગી દીકરીને પતાવી દીધી હતી. આ કેસ સામે આવતા જ સિહોરમાં ચકચાર મચી ગયો છે. તેમજ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર પહોંચી ગયા છે.
આ ઘટનાની જાણ સિહોર પોલીસ સ્ટેશનને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ દીકરીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ આ ઘટનાની તપાસ કરીને આરોપીને સજા જરૂર આપશે જ…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]