Breaking News

પિતા બીમારીથી મરવા પડ્યા છે અને પૈસાની ખાસ જરૂર છે કહીને રૂપાળી યુવતીએ બહેનપણીના ઘરે મદદ માંગી, પછી જે થયું તે જાણીને ચોંકી જશો..!

હકીકતમાં આજકાલના લૂંટારાઓ લૂંટ કરવા માટે ખૂબ લાંબા સમયથી પ્લાનિંગ કરતા હોય છે. જે તે વ્યક્તિમાં લાંબા સમય સુધી વિશ્વાસ બેસાડે છે અને ત્યારબાદ તેને લૂંટી લેતા હોય છે. હકીકતમાં 2018માં હેતવી નામની દીકરી ધોરણ 12ની પરીક્ષા નજીક આવવાથી તૈયારી કરવા માટે નર્મદ લાઇબ્રેરીમાં વાંચન કરવા માટે જતી હતી..

એ જ લાયબ્રેરીમાં જાનકી પ્રમોદ ભાઈ ધોળકિયા નામની અન્ય એક દીકરી વાંચન કરવા માટે આવતી હતી. હેતવી અને જાનકી બંને જોતજોતામાં મિત્રો બની ગયા હતા. ધીમે ધીમે તેઓનાં સંબંધ એટલા બધા સારા થઈ ગયા હતા કે તેઓ એકબીજાને ઘરે પણ આવા જોવા લાગ્યા હતા…

જાનકીએ હેતવીના ઘરે જઈને કહ્યું હતું કે જાનકી ના પિતા પ્રમોદભાઈ હીરા ઉદ્યોગના ખૂબ મોટા બિઝનેસમેન છે. તેમજ તેઓ જુદી જુદી કંપનીઓ માં ખૂબ મોટી રકમમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. મોટાભાગે તેઓ વિદેશનાં પ્રવાસીઓ કરતાં હોય છે. આવી મોટી મોટી વાતો કહીને જાનકી હેતવી અને તેના અન્ય મિત્રોને ઉદયપુર ભરવા માટે વિમાનમાં બેસાડીને પણ લઈ ગઈ હતી…

આ સાથે સાથે જાનકીએ કહ્યું હતું કે, તેના પિતા પ્રમોદભાઈ ધંધા બાબતે પણ ખૂબ મોટા રોકાણ કરે છે. મોટી મોટી વાતો કહીને જાનકી ના પરિવારને કહ્યું હતું કે વી.આર મોલ પાસે તેના પિતા નો એક 50 લાખ રૂપિયા નો ફ્લેટ આવેલો છે. હવે ફ્લેટની જરૂરીયાત નથી એટલા માટે તેઓ માત્ર ૩૫ લાખ રૂપિયામાં વેચી આપવાની વાત કરી હતી.

ખુબ સારો ફ્લેટ સાવ સસ્તી કિંમતમાં વેચી દેવાની વાત સાંભળતાની સાથે જ હેતવીનો પરિવાર તેમની વાતમાં આવી ગયો હતો અને ફ્લેટ ખરીદવા માટે તૈયાર થઈ ગયા હતા. એ ફ્લેટની બાબતોને લઈને થોડા થોડા સમયાંતરે નવ લાખ રૂપિયા જાનકીએ હેતવીના પરિવારજનો પાસેથી પડાવી લીધા હતા..

એક દિવસ અચાનક જાનકીએ હેતવીના પરિવારજનોને કહ્યું હતું કે, મારા મોટા મમ્મીનું અવસાન થયું છે. તેમજ મારા પપ્પા પણ વિદેશમાં બીમાર છે. મારા પપ્પા પાસે પૈસા ખૂટી ગયા છે. તેઓને પૈસાની ખુબ જરૂર છે. એમ કહીને તેણે હેતવીના પરિવાર પાસેથી ફાઇનાન્સમાં એકાઉન્ટમાં ઘરેણાં ગિરવે મૂકીને લોન લેવડાવી હતી..

હેતવીએ આના પૈસા જાનકી ને આપ્યા હતા. અને જણાવ્યું હતું કે મારા પપ્પા ભારત પાછા આવી જાય એટલે તાત્કાલિક ધોરણે તમને પૈસા અને ઘરેણાં પાછા આપી દેજો… આમ કહીને કુલ 15 લાખ રૂપિયાની છેતરપિંડી જાનકીએ હેતવીના પરિવારજનો પાસેથી કરી લીધી હતી .હેતવી ના પરિવારજનોને એક દિવસ જાણ થઈ હતી કે..

આ તમામ બાબતો બિલકુલ ખોટી છે અને તેઓ સાથે છેતરપિંડી થઈ છે. એટલા માટે તેઓએ આ બાબતની પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પોલીસ સ્ટેશનમાં આ બાબતને લઈને સમાધાન પણ કરવામાં આવ્યું હતું. સમાધાન બાદ હેતવી અને ધર્મેશ નામના વ્યક્તિ જાનકી ના ઘરે પૈસા માંગવા માટે ગયા હતા..

તો જાનકીએ ગાળાગાળી કરીને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે વરાછા વિસ્તારના ટપોરીઓને તમારી સુપારી આપીને તેને જાનથી મારી નાખીશું એટલે આજ પછી કોઈ દિવસ પૈસા માગવા આવતા નહીં. ત્યારબાદ હેતવીના પરિવારજનોએ જાનકી સામે કોર્ટમાં કેસ કર્યો હતો અને ચાર વર્ષ બાદ આ કેસનો ચુકાદો આવતાની સાથે જાનકી તેમજ તેના સાગરિતોને ચાર વર્ષની કેદ અને બે લાખ રૂપિયાનો દંડ ભરવાની સજા આપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *