અત્યારે સમાજમાંથી ભલભલા લોકોની આબરૂ જતી રહે તે પ્રકારના કિસ્સાઓ હવે છાશવારે બનવા લાગ્યા છે. કોઈ પરિવારમાંથી એવો કિસ્સો સામે આવે કે, જેને સાંભળીને સૌ કોઈ લોકોમાં આશ્ચર્ય પેદા થઈ જતું હોય છે. તો અમુક પરિવાર ખૂબ જ હેરાન પરેશાન પણ થઈ જતો હોય છે..
અત્યારે બે દીકરાનો એક પરિવારને હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે. તો સમાજમાં તેમની ભારે બદનામી પણ થઈ રહી છે. આ ઘટના નમનપુર ગામની છે. આ ગામની અંદર 54 વર્ષના હરિપ્રસાદ ભાઈ તેમના બે દીકરા જતીન અને કમલેશ સાથે જીવન ગુજારે છે. બંને દીકરાના લગ્ન થઈ ચૂક્યા હતા..
અને તેમના ઘરે પણ બે બાળકો જન્મ લઈ લીધો હતો. 54 વર્ષની ઉંમરે હરિપ્રસાદ ભાઈએ એવું કામ કરી નાખ્યું છે કે, જેને લઇ તેમના બંને દીકરાઓ અત્યારે ગામમાંથી મોઢું ઊંચું કરીને ચાલી શકતા નથી. હરિપ્રસાદ ભાઈ તેમના ગામની નજીકમાં આવેલા શહેરમાં કારખાનામાં કામ કરવા માટે જતા હતા. તેઓ ખૂબ જ અનિયમિત હતા.
તેઓ ઘણી બધી વાર તો 10 થી 15 દિવસે પોતાને ઘરે પરત આવતા હતા. આટલા સમય તેઓ ક્યાં જતા હતા અને કોની સાથે સમય વિતાવતા હતા તેઓ કોઇ પણ જાણકારી પરિવારને જણાવતા નહીં. પરિવારજનોને હંમેશા તેમના પર શંકા જતી. પરંતુ તેઓ થોડા ઘણા પૈસા કમાઈને લાવતા એટલા માટે પરિવારજનો ચૂપચાપ આ બધી વાતો સહન કરી રહ્યા હતા..
એક વખત તેઓ દસ દિવસ સુધી પોતાની ઘરે આવ્યા હતા નહીં અને જ્યારે તેઓ એક મોટી કાર લઈને ઘરે આવ્યા ત્યારે તેમની સાથે તેઓ એક જુવાન જોધ યુવતીને પણ લઈ આવ્યા હતા. જ્યારે પરિવારને પૂછવામાં આવ્યું કે, આ યુવતી કોણ છે.? અને શા માટે તમારી સાથે હરી ફરી રહી છે..? ત્યારે તેને જણાવી દીધું કે, મેં આ યુવતી સાથે લગ્ન કરી લીધા છે..
અને હવે હું આ યુવતી સાથે જ જીવન જીવવા માંગુ છું. હું તમારી સાથે હવે ક્યારે પણ રહેવાનો નથી. બસ એટલું કહેવા માટે જ હું અહીં આવ્યો છું. હવે હું નવું ઘર વિકસાવવા જઈ રહ્યો છું. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ હરિપ્રસાદ ભાઈની પત્નીને ત્યાં ઢળી પડી પડી હતી. તેમના બંને દીકરાની વહુ પણ માટે હાથ પકડીને વિચારવા મજબૂર બની ગઈ કે, આખરે 54 વર્ષે આ ડોસાને એવું તો શું સુજ્યું છે કે તેને એક જુવાન જોધ યુવતીને ભગાડીને પોતાને ઘરે લઈ આવ્યા છે.
હરિપ્રસાદ ભાઈની પત્નીએ તરત જ તેમના બંને દીકરાને ફોન કરીને જણાવ્યું કે, તેના પિતાએ એવું ઘરનામું કર્યું છે કે જે જાણીને અત્યારે આપણે સૌ કોઈને બદનામી સહન કરવાનો વારો આવ્યો છે. તેઓ તરત જ અહીં આવી પહોંચ્યા અને જાહેરમાં તેના પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા..
અને કહી દીધું કે, હવે તમે આજ પછી ક્યારેય પણ ઘરની અંદર પગ મુકતા નહીં. અમે અત્યારથી જ ભૂલી રહ્યા છીએ કે તમે અમારા પિતા છો અને આ તમારો પરિવાર છે. આજ પછી ક્યારેય પણ તમારું મોઢું ઊંચું કરીને અહીં આવતા નહીં. હવે તમારે જેવી રીતે જીવન જીવવું હોય તેવી રીતે તમે જીવન જીવી શકો છો..
ભવિષ્યમાં કદાચ તમે મરવા પડશો અને તમારી સેવા કરવાની ફરજ આવી પડશે તો તમે તમારી સેવા આ યુવતીની પાસે કરાવી લેજો કારણ કે પરિવારનો કોઈ પણ સભ્યનો સાથ સહકાર તમને મળશે નહીં. તેમ કહીને તેમના બંને દીકરાએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા આખરે તેમના બંને દીકરા એટલા બધા કંટાળી ગયા હતા કે, તેના પિતાની આ કરતુતોને કારણે તેમને ઘરમાંથી કાઢી મૂકીને દેવામાં આવ્યા હતા..
અને હરી પ્રસાદ ભાઈના પત્ની આ ઘટનાને રહીને ખૂબ જ દુઃખી હતા. તેમના માટે કયું પગલું સાચું છે અને કહ્યું પગલું ખોટું છે તેઓ જાણી શક્યા નહીં. જ્યારે જ્યારે પણ સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે લોકોના મગજ કામ કરતાં બંધ થઈ જાય છે અને કયો નિર્ણય લેવો જોઈએ તે વિચારવા મજબૂર બની જતા હોય છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]