હવે તો હાઈવે ઉપર ઠેર ઠેર અકસ્માતના દ્રશ્યો જોવા મળે છે. લોકો વાહનની ગતી માણવા જાય છે અને તે મોતની સજામાં પરિવર્તન પામી જાય છે. દિન પ્રતિ દિન અકસ્માતો સર્જાય છે જેમાં કોઈને કોઈ પરિવાર ખલાસ થઇ જતો પણ નજરે ચડે છે, છેલ્લા એક અઠવાડિયામાં અકસ્માતના ખુબ જ ચોંકાવનારા બનાવો નોંધાઈ ચુક્યા છે..
જેમાં વધુ એક અકસ્માતનો બનાવ કોલકતાના કોટા બેન્ડ વિસ્તારમાંથી સામે આવ્યો છે. કોલકાતાના 6 લોકો અલગ-અલગ વાહનોમાં પિકનિક માટે નેતરહાટ જઈ રહ્યા હતા. મિત્રો સાથે મોજ મસ્તી અને સારો સમય પસાર કરવા પીકનીકનું આયોજન ગોઠવ્યું હતું અને તેઓ મસ્તી મજાક કરતા કરતા જતા હતા..
તેવામાં તેમની કાર કોટા બેન્ડ પાસે પહોચી અને ત્યાં કારનું આગળનું ટાયર ફાટી ગયું હતું. કારની ઝડપ વધારે હોવાને કારણે તે કાબુમાં આવી શકી નહી અને પરિણામે કાર કાબૂથી બહાર નીકળી ગઈ અને એક ઘરમાં ઘુસી ગઈ હતી. રોડ કાંઠાના ઘરમાં આ કાર ઘુસી જતા ભારે મુશ્કેલીના દ્રશ્યો સર્જાઈ ગયા છે..
કોટાના આ વિસ્તારમાં રેહતા પરિવારની 10 વર્ષની પુત્રી સૂરજમણિ કે જે ઘરે ભોજન કર્યા બાદ સુઈ રહી હતી. તેનું આ અકસ્માતમાં મોત થયું છે. તેના પરિવારજનોને સહેજ પણ ખ્યાલ નહી હોઈ કે આ ઊંઘ તેની બાળકીની છેલ્લી ઊંઘ હશે. આ બાળકીની સાથે જ સુતેલી અન્ય ત્રણ મહિલાઓ પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
તમામ ઇજાગ્રસ્તોને ભંદરાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો આ ધડાકાનો અવાજ સાંભળીને ત્યાં આવી પહોચ્યા હતા. તેમજ આ ઘરમાંથી ઈજાગ્રસ્ત લોકોને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. અહીં ગ્રામજનોએ જણાવ્યું કે અકસ્માત એટલો જબરદસ્ત હતો કે કારમાં રહેલા સેફ્ટી ફુગ્ગા બહાર નીકળી ગયા હતા.
કોલકાતાના આ વિસ્તારમાં રેહતા ત્રણ લોકો ઈશાની ભટ્ટાચાર્ય, કાલિકા ભટ્ટાચાર્ય અને શાંતનુ ભટ્ટાચાર્ય, જેમને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેઓને ભંદરાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાસ્થળે ભાન્દ્રા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારને પોતાના કબજામાં લઈ તપાસ શરૂ કરી હતી, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]