રોજ વધતી જતી મોંઘવારી સામે સામાન્ય માણસને જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બનતું જાય છે. કારણકે મોંઘવારી વધતા દરેક ચીજ વસ્તુઓના ભાવ આસમાનની ઉંચાઈઓ અડકી રહ્યા છે. એવામાં ઓછી કમાણીથી ઘર ચલાવનાર મધ્યમ વર્ગીય લોકો દરેક વસ્તુને ખરીદી શકવાની તાકાત ધરાવતા નથી..
ઘણી બધી વસ્તુઓથી તેઓને વંચિત રહેવું પડે છે. એમાં પણ શાકભાજી અને દૂધના ભાવની સાથે સાથે ખાદ્યતેલ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ અતિશય માત્રામાં વધારો નોંધાતા લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. રાંધણગેસના ભાવમાં પણ ખૂબ મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે..
જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયા છે. વાત કરીએ પેટ્રોલ ડિઝલના ભાવની તો છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર હતા. કારણકે ભારતના અમુક રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હતી. એટલા માટે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા કર્યા નહતા. પરંતુ ચૂંટણી જતાની સાથે જ સરકારે રોજ રોજ પેટ્રોલમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે..
લાગી રહ્યું છે કે આ ભાવ વધારો 110 રૂપિયાને પાર કરીને જ ઉભો રહેશે. છેલ્લા ત્રણ દિવસથી રોજ રોજ પેટ્રોલમાં 80 થી 90 પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ડીઝલમાં 50 પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ ભાવ વધારાની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ ખૂબ જ વધી ગયા છે.
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 99 રૂપિયા પહોંચી ગયું છે. જ્યારે ડીઝલ 90 રૂપિયાએ પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ દિવસની અંદર અંદાજીત ત્રણ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ખૂબ મોટો ભાવ વધારો કરી દેવાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ સાથે સાથે રાંધણગેસના ભાવમાં એક જ સાથે ૫૦ રૂપિયાનો વધારો કરતાં રાંધણગેસના સિલિન્ડર ખૂબ મોંઘા થયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ નો આધાર ઓઈલ કંપનીની સાથે સાથે જુદા જુદા રાજ્યોમાં નાખેલા ટેક્સ ઉપર પણ આધારિત હોય છે. જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદો-જુદો ટેક્સ પેટ્રોલ અને ડીઝલ ઉપર વસૂલ કરવામાં આવતો હોય છે..
જેમાં ગુજરાતમાં આશરે ૪૫ રૂપિયા ટેક્સ 100 રૂપિયાના પેટ્રોલ ડીઝલ વસૂલવામાં આવે છે. જ્યારે સૌથી વધારે ટેક્સ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણાના રાજ્યમાં વસુલ કરવામાં આવે છે. મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આશરે 52 થી 54 રૂપિયા ટેક્સ વસુલવામાં આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]