અત્યારના સમયમાં આવ્યા ઘણા બધા બનાવો આપણે જોયા છે કે, જ્યારે કોઈ વડીલ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને જો તેઓએ તેમના દીકરા કે દીકરીને સંપત્તિ સરખા ભાગે વહેંચી ન હોય તો પાછળથી તેમના દીકરા અને દીકરી સંપત્તિ માટે એટલો લડાઈ ઝઘડો કરે છે કે જે ખૂબ જ શરમનાક મામલો સાબિત થઈ જતો હોય છે..
પરંતુ આવી ઘટનાને રોકવા માટે ઘરના અન્ય વડીલના બોલેલા શબ્દો પણ હવે કામમાં આવતા નથી. તો કેટલાક લોકો પોતાના મોતના સમયે અંતિમ ચિઠ્ઠી લખીને જતા હોય છે. અને તેમાં તમામ ખુલાસો પણ કરતા હોય છે. એવી જ રીતે પરસોતમ દાદાએ એક અંતિમ ચિઠ્ઠી લખી હતી અને તેના મોટા દીકરાને તેઓએ જણાવ્યું હતું કે, મારા મૃત્યુ બાદ તમે પેટીમાંથી એક અંતિમ ચિઠ્ઠી મેળવી લેજો..
અને તેની અંદર લખેલા તમામ કામ પાર પાડી દેજો, જ્યારે પરસોતમ દાદાનું મૃત્યુ થયું ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું. તેના ત્રણ દીકરા પૈકી સૌથી મોટા દીકરાએ પેટીમાંથી આ ચિઠ્ઠીને શોધી કાઢી હતી. પેટીની અંદર મુકેલો તમામ સામાન બહાર કાઢી નાખવામાં આવ્યો અને તેની નીચેથી આ ચિઠ્ઠી મળી આવી હતી..
આ ચિઠ્ઠીની અંદર એક નકશો પણ દોરેલો હતો. આ નકશો તેમના ખેતરમાં હોય તેવું લાગતું હતું. આ ઉપરાંત ખેતરના એક ખૂણા પાસે નકશામાં પરસોતમ દાદાએ ગોળ રાઉન્ડ કરેલું હતું. ચિઠ્ઠીમાં વધારાની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નહીં પરંતુ પરસોત્તમ દાદાના સૌથી મોટા દીકરા હરિનાથ ભાઈને અંદાજો આવી ગયો કે, દાદાએ ખેતરના આ જગ્યા પર ગોળ રાઉન્ડ કરેલું છે..
એટલે કે આ ખેતરમાં કોઈ ચીજ વસ્તુ હોવી જોઈએ. એટલા માટે તેઓ તરત જ ગામના મજૂરોને બોલાવીને આ ખેતર પાસે પહોંચી ગયા અને જ્યાં તેઓએ રાઉન્ડ કરેલું હતું. ત્યાં ખોદકામ શરૂ કરાવી દીધું હતું. અંદાજે ત્રણથી ચાર ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદતાની સાથે જ અંદરથી એક માટીનો ઘડો મળી આવ્યો હતો..
આ ઘડો એટલો બધો જૂનો હતો કે, તેને અડકતાની સાથે જ તે તૂટવા લાગ્યો હતો. આ ઘડાની અંદર એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે, તે જોતા ની સાથે સૌ કોઈ લોકો દૂર દૂરથી દોડી દોડીને ત્યાં આવી પહોંચ્યા હતા. તો ગામમાં રહેલા લોકોને જ્યારે જાણકારી મળી કે, પરસોતમ દાદાના ખેતરમાંથી ખૂબ મોટો ખજાનો મળ્યો છે..
ત્યારે લોકો ઊભી પૂછડિયા દોડવા લાગ્યા હતા અને આ ખેતર બાજુ આવવા લાગ્યા હતા. હકીકતમાં આ ઘડાની અંદરથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ રાણી સિક્કા અને સોનાના મોતી પણ ભરેલા હતા. પરસોતમ દાદાના સગા ભાઈનું કહેવું છે કે, જ્યારે પુરુષોત્તમ દાદા ખૂબ સારી રીતે ખેતીનો વ્યવસાય ચલાવતા હતા..
ત્યારે તેઓ ગામમાં સૌથી વધારે રૂપિયા કમાતા હતા અને આ રૂપિયાથી તેઓએ આ ધન ભેગું કરેલું છે. જેને તેઓએ સુરક્ષિત રીતે જમીનમાં દાટી દીધું હતું અને હવે તેના મૃત્યુ બાદ ખજાનાને પરિવારજનોએ સરખા ભાગે વહેંચી લેવો જોઈએ. પરસોત્તમ દાદાના ત્રણેય દીકરા આટલા બધા સમજદાર હતા કે, તેઓએ આ ખજાનાને દરેક વ્યક્તિએ પોતાના ભાગે વહેંચવાને બદલે આ ખજાનાને પોતાના પિતાની પ્રસાદી સમજીને તેને સાચવવાનું નિર્ણય કર્યો હતો.
મોટાભાગે અત્યારના સમયમાં આવી સમજદારી જોવા મળતી નથી. પરંતુ પરસોતમ દાદાના વાવેલા સંસ્કાર તેમના દીકરામાં દેખાઈ આવ્યા હતા અને આ ખજાનાને તેમના પિતાની કમાણી અને પિતાની પ્રસાદી ગણીને સૌ કોઈ ભાઈઓએ તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવાનું નક્કી કર્યું હતું.
જ્યારે આ ઘટના બની ત્યારે ત્યાંના સ્થાનિક પોલીસ અને પુરાતત્વ વિભાગના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. પરંતુ પરસોત્તમ દાદા આંખજાનાનો ઉલ્લેખ પહેલેથી જ કરીને ગયા હતા. એટલા માટે તેના ઉપર કોઈપણ વ્યક્તિનો હક લાગી શક્યો નથી. જો આ ખજાનો ઓચિંતા રીતે મળ્યો હોત તો આ ખજાના ઉપર સરકારનો અધિકાર રહે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]