Breaking News

પેટમાં દુખાવો ઉપડતા દાદી દવાખાને ગયા, પેટમાં એક જ સાથે 700 વસ્તુઓ મળી આવી કે જેને જોતા જ ડોક્ટરના પણ ઉડી ગયા હોશ..!

ઘણીવાર આપણી આસપાસ એવી દુર્લભ ઘટના બનતી હોય છે, કે તેના વિશે જાણીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ જતા હોય છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે, કે જેના વિશે જાણીને સૌ કોઈ આ બાબત પર વિચારવા માટે મજબુર થઇ  ગયા છે.

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં 50 વર્ષીય સીતાબેન જાદવ નામના મહિલા રહે છે. તેમને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવાની તકલીફ હતી. પરંતુ થોડા દિવસો પહેલા તેમના પેટનો આ દુખાવો અચાનક જ ખૂબ જ હદે વધી ગયો હતો. જેથી તેમણે તેના ગામના સ્થાનિક દવાખાનામાં તેની તપાસ કરાવી હતી.

ત્યાંના ડોક્ટરે તેમને દવા લેવાનું સલાહ સૂચન આપ્યું હતું .પરંતુ તે દવાથી દુખાવામાં કોઈ પણ જાતની રાહત મળી ન હતી. જેથી સીતાબેન યાદવ અને તેમના પરિવારજનો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જેથી તેમણે કોઈ સારી હોસ્પિટલમાં આ બીમારી નો ઈલાજ કરાવવાનું નક્કી કર્યું હતું.

જેથી સીતાબેન તેમના પતિ વાહતાભાઈ સાથે ડીસા તાલુકામાં આવેલી આનંદ હોસ્પિટલમાં તપાસ કરાવવા ગયા હતા. આનંદ હોસ્પિટલ માં તપાસ દરમિયાન ડોક્ટરને પણ સૌ પ્રથમ બીમારીનો કોઈ ખ્યાલ આવ્યો ન હતો. જેથી તેમણે સીતાબેનને લેબ ટેસ્ટ કરાવવા માટે નું સૂચન આપ્યું હતું.

આ ટેસ્ટમાં જે સામે આવ્યું તે જોઈને આનંદ હોસ્પિટલના તમામ ડોક્ટરો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. સીતાબેન જાદવ ના પીતાશયમાં 10-20 નહીં પરંતુ લગભગ 700 જેટલી પથરીઓ હતી. જેને કારણે તેઓ ઘણા લાંબા સમયથી પેટના દુખાવાથી પીડાઈ રહ્યા હતા. આનંદ હોસ્પિટલ ના ડોક્ટરે પોતાની મહેનત દ્વારા સીતાબેનની એકદમ સફળ સર્જરી કરી હતી.

આ ઉપરાંત  તેમના પીતાશયમાં રહેલી તમામ પથરીઓ કાઢી નાખી હતી. આ સફળ સર્જરી બાદ સીતાબેન પીડામાંથી મુક્ત થઈ ગયા હતા. આનંદ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સામાન્ય વ્યક્તિને પિતાશયની અંદર થોડી ઘણી પથરી તો હોય જ છે. પરંતુ જો તેમાં વધારો થાય અને તેની સમયસર  સારવાર ન કરાવવામાં આવે તો આવો બનાવ પણ બની શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *