આજના સમયમાં ક્યારેય કોની સાથે અચાનક કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. લોકો પોતાના ઘરેથી ખુશી ખુશી બહાર પોતાના કામો માટે નીકળ્યા હોય છે. પરંતુ તેમને ખબર હોતી નથી કે તેઓ સાથે શું થવાનું છે. અચાનક પરિવારના લોકો સાથે આવી ઘટનાઓ બનતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
આવી જ એક ચોકાવનારી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટનામાં મુઝફ્ફરપુરમાં આવેલા મુશહરી વિસ્તારના ગંગાપુર ગામમાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી. યુવકનું નામ રામલખનભાઈ હતું. તેઓની ઉંમર 42 વર્ષની હતી. રામલખનભાઈ ગંગાપુર ગામના રહેવાસી હતા. તેમને પરિવારમાં 4 દીકરા અને 2 દીકરીઓ છે.
રામ લખનભાઈ મજૂરી કરીને તેમના પરિવારને ગુજરાન ચલાવતા, તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા. મજૂરી કામ માટે તેઓ અવારનવાર તેમના આસપાસના વિસ્તારમાં જતા હતા. તેઓ દરરોજની જેમ એક દિવસ પણ મજૂરી કામે ગયા હતા. ત્યારે રામલખનભાઈ શોર્ચ માટે ગયા હતા.
અને ત્યાં ટોયલેટની બાજુમાં જ એક પાણી ભરેલો ખાડો હતો. જેના કારણે રામ લખન ભાઈ ત્યાંથી બહાર નીકળે ત્યારે અચાનક જ તેમનો પગ પાણી ભરેલા ખાડામાં લપસી ગયો હતો. ખાડામાં ઊંડું પાણી ભરેલું હતું અને આ ખાડો પણ ખૂબ જ ઊંડો હતો. જેના કારણે રામ લખનભાઈ ખાડામાં લપસી જતા તેઓ પાણીમાં લાગ્યા હતા.
રામ લખન ભાઈને તરતા આવડતું ન હતું, જેના કારણે તેઓ બુમાબૂમ કરવા લાગ્યા અને સ્થાનિક લોકોને ‘બચાવો… બચાવો’ ની બુમ સંભળાતા તેઓ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા પરંતુ સ્થાનિક લોકો રામ લખન ભાઈને બચાવે તે પહેલા તેમનું પાણીમાં ડૂબવાથી મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ મુશરી પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને રામલખાન ભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના પરિવારને પોલીસના લોકોની જાણ કરી હતી. પરિવારમાં રામલખનભાઈના દીકરા-દીકરીઓ તેમના પિતાનું આવું કરણ મૃત્યુ થઈ જતા બે ધાર આંસુએ રડી રહ્યા હતા.
અને રામલખનભાઈની પત્ની તેમનું ભાન ભૂલી ગઈ હતી. અચાનક તેમના પરિવારના સભ્ય સાથે આવી ઘટના બની જતા તેઓ આઘાતમાં આવી ગયા હતા. ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. વ્યક્તિ પરિવાર માટે મજૂરી કામ કરવા માટે ગયા ત્યારે તેમની સાથે આવી ઘટના બની જતા દરેક લોકો જાણીને રડવા લાગ્યા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]