ક્યારેક વ્યક્તિનું નસીબ ચમકી જાય તેનું નક્કી હોતું નથી, કહેવાય છે કે જે વ્યક્તિ ઈશ્વરમાં સાચી શ્રદ્ધા રાખે છે. અને પોતાની નીતિ અને અનુસાર કામ ધંધો કરે છે. તેવા લોકોને ભગવાન એકને એક દિવસ જરૂર સુખ આપે છે. સાચી નિયતથી કામ કરવાને કારણે વ્યક્તિ વહેલો મોડો સફળતાને પગથિયાં જરૂર ચડે છે..
પરંતુ જો નિયત ખોટી રાખવામાં આવે તો પાસે રહેલો પૈસો પણ થોડા સમયની અંદર ક્યાં જતો રહે તેની આપણને ખબર રહેતી નથી. અત્યારે પેપર પસ્તીની લારી ચલાવતા યુવકના નસીબ રાતોરાત બદલાઈ ગયા છે. પરંતુ તેણે પોતાની નિયત સાફ રાખીને જે પગલું ભર્યું છે. તે પગલું વિશે સાંભળીને તમે પણ ભગવાનને બે હાથ જોડી જશો..
આ ઘટના પોલાર નગર વિસ્તારની ફાટક પાસે આવેલી શ્યામવિલા સોસાયટીની છે. આ સોસાયટીમાં સવારના સમયે પેપર પસ્તીની લારી વાળો યુવક આવી પહોંચ્યો હતો, જ્યાં મીનાક્ષીબેન નામની એક મહિલાએ તેને પેપર પસતી આપી હતી અને તેના બદલામાં ₹40 લઈ લીધા હતા. આ પસ્તી એકઠી કરીને લારી વાળો યુવક સાંજના સમયે પસ્તીને છૂટી પાડીને જોઈ રહ્યો હતો કે પસ્તી ની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે..
એ વખતે તેણે જ્યારે મીનાક્ષી બેહેને આપેલો પસ્તીનો થપ્પો ખોલ્યો ત્યારે અંદરથી પાંચથી છ પનાની એક મોટી નોટ મળી આવી હતી. આ નોટના કાગળિયા અંગ્રેજીમાં હોવાને કારણે તેને વંચાયો નહીં, ત્યારે તેણે તેના દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને આ શેના કાગળીયા છે તે જાણવા માટે કહ્યું હતું, ત્યારે તેના દીકરાએ તેને જણાવ્યું કે..
65 વર્ષના વડીલ વ્યક્તિએ આજથી 23 વર્ષ પહેલાં એમ.આર.એફ કંપનીના શેર ખરીદેલા હતા. આ કંપનીના કુલ 85 શેર ખરીદવામાં આવેલા છે. આ શેર ખરીદ્યા બાદ જે રીસીપ્ટ આપવામાં આવે છે. આ રીસીપ્ટ એ શેરની છે. પસ્તીવાળા યુવકે તાત્કાલિક ધોરણે આ શેરની અત્યારની કિંમત શું ચાલી રહી છે તે પૂછવાની કોશિશ કરી હતી..
ત્યારે તેના દીકરાએ ઓનલાઇન સર્ચ કરીને જોયું કે આ શેર ની કિંમત અત્યારે 80,000 રૂપિયાની આસપાસ ચાલી રહી છે. આ કિંમત સાંભળતાની સાથે જ યુવક તરત જ કેલ્ક્યુલેટર માં આંકડા મેળવવા લાગ્યો હતો કે, અત્યારે આ શેરની કુલ કિંમત કેટલી થઈ શકે છે. જ્યારે તેણે સરવાળો લગાવ્યો ત્યારે તેને ખબર પડી કે આ શેરની કુલ કિંમત અત્યારે ૭૨ લાખ રૂપિયા આસપાસની થઈ રહી છે..
શરૂઆતમાં તો બે ઘડી તેના મોતિયા મરી ગયા હતા કે, આખરે આ એવો કયો પરિવાર છે કે જેણે એટલા બધા કીમતી કાગળિયાને પસ્તી ની અંદર જવા દીધા છે. તેને લાગ્યું કે આ કાગળિયા કોઈ કામના નહીં હોય એટલા માટે તેઓએ ફેંકી દીધા છે. પરંતુ બીજી ક્ષણે તેને વિચાર આવ્યો કે આ મૂડી તે પરિવારજનોની છે. તેમાં જે પરિવારના વડીલે આ મૂડીને ખરીદેલી છે, એના ઉપર મારો કોઈપણ પ્રકારનો અધિકાર નથી..
એટલા માટે મારે આ કાગળિયાને પરિવારજનોને પરત આપી દેવા જોઈએ, બીજા જ દિવસે પેપર પસ્તી વાળો આ યુવક ફરી પાછો શ્યામ વિલાસ સોસાયટીની અંદર ગયો હતો. અને મીનાક્ષી બહેનને ઘરની બહાર બોલાવ્યા અને જણાવ્યું કે તમારા પેપર પસ્તીના થપ્પાની અંદરથી આ કાગળિયા મળી આવ્યા છે..
જે શેર ખરીદ્યા હોવાની રીસીપ્ટ છે. જેની કુલ કિંમત અત્યારે 72 લાખ કરતાં પણ વધારે છે. આ આંકડા સાંભળતાની સાથે મીનાક્ષી બહેન પણ હોશ ગુમાવી બેઠા હતા અને ઊંડા વિચારમાં મુકાઈ ગયા, તેઓએ તાત્કાલિક તેમના પતિને ફોન કરીને બોલાવી લીધા હતા. તેમના પતિએ જણાવ્યું કે, અમારા વડીલોએ આ શેર ખરીદ્યા હશે..
તેની સહેજ પણ ખબર તેમને ન હતી. જ્યારે તેઓએ આ કાગળિયાને લઈને ઉપર તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તેમના વડીલ દાદા ના નામે આ કંપનીના શેર બોલી રહ્યા છે. જેને અત્યારે વેચવાથી કુલ 72 થી 75 લાખ રૂપિયાની રકમ તેમને મળવા પાત્ર છે. જ્યારે આ ઘટના બની ત્યારે શ્યામ વિલાસ સોસાયટીની અંદર રહેતા અન્ય વ્યક્તિઓ પણ ભગવાનને બે હાથ જોડી ગયા અને કહેવા લાગ્યા કે..
હે ભગવાન હજી પણ આ દુનિયાની અંદર આવા સાચી નિયત વાળા લોકો છે, જેને કારણે દુનિયા સારી રીતે ચાલી રહી છે. તમારો ખુબ ખુબ આભાર કે તમે ડગલેને પગલે ખોટું થતાં રોકી રહ્યા છો અને સારા લોકોનો સાથ સહકાર આપી રહ્યા છો. તો બીજી બાજુ મીનાક્ષી બહેન તેમજ તેમના પરિવારજનો એ પેપર પસ્તી વાળા આ યુવકને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા..
અને તેને પણ બે હાથ જોડીને વંદન કરવા લાગ્યા કે, તમારો ખુબ ખુબ આભાર કે તમે અમને અમારી આ અમાનત પરત આપી છે. તેમના બદલામાં અમે તમને પુરસ્કાર આપીશું. પરંતુ પેપર પસ્તીની લારીવાળા યુવકે મીનાક્ષી બેનને જણાવી દીધું કે આ મૂડી તમારી છે જેના ઉપર સંપૂર્ણપણે તમારો અધિકાર છે. મેં માત્ર મારી નિયત અનુસાર મારો ફરજ બજાવી છે, જો હું નિયત સાચી રાખીશ તો ઈશ્વર એક દિવસ મને જરૂર ઘણું બધું આપશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]