હાલમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. અકસ્માતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દિવસેને દિવસે લોકોની અવરજવર વધતા અકસ્માતો પણ વધી રહ્યા છે. અકસ્માતમાં એક જ પરિવારના ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થઈ જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે.
આજકાલ લોકો પોતાનું વાહન બેફામ ચલાવીને બીજા લોકો સાથે અકસ્માત સર્જી રહ્યા છે. ઉતાવળમાં પોતાનું વાહન ચલાવવામાં નિર્દોષ લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. આવી ઘણી બધી અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. જેમાં આ એક વધુ અકસ્માત સર્જાયાની ઘટના બની હતી. આ અકસ્માત પાવાગઢ જિલ્લામાં બન્યો હતો.
પાવાગઢ જિલ્લામાં પાવાગઢના મંદિરે માતાજીના દર્શન કરવા નીકળેલા પરિવારને અકસ્માત સર્જાયો હતો. આ પરિવાર ભરૂચથી નીકળ્યું હતું. તે પરિવાર ભરૂચમાં ખૂબ જ ખુશીથી રહેતું હતું. પરિવારના 6 મુસાફરો ઇકો કારમાં બેસીને પાવાગઢ માતાજીના દર્શન કરવા આવી રહ્યા હતા. તે સમયે તેની સાથે ખૂબ જ ભયંકર અકસ્માત સર્જાયો હતો.
તેઓ એક દિવસ વહેલી સવારે ભરૂચથી પોતાની ઈકો કાર લઈને પરિવારના છ સભ્યો યાત્રાધામ પાવાગઢ આવવા માટે નીકળ્યા હતા. ઇકો કારમાં એક માસુમ બાળક અને તેના માતા-પિતા હતા અને તેમની સાથે પરિવારના બીજા ત્રણ સભ્યો હતા. માસુમ બાળકની ઉંમર 5 વર્ષની હતી. પરિવારના છ સભ્યો માતાજીના ખુબ જ સારા ભક્ત હતા.
તેને કારણે યાત્રાધામ પાવાગઢ દર્શન માટે નીકળ્યા હતા. તેઓ ભરૂચથી નીકળીને રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. ઇકો ચલાવતા યુવકે પોતાના ઇકો પરનું કાબુ ગુમાવ્યું હતું. જેને કારણે ઇકો પલટી ખાઈ જતા પરિવારના ત્રણ સભ્યએ પોતાના જીવન ગુમાવ્યા હતા. ઇકો પલટી ખાઈ જતા ખૂબ જ ધડાકેદાર અવાજ આવ્યો હતો.
જેને કારણે રસ્તા પરથી પસાર થતાં આસપાસના લોકો પોતાના વાહનોને ઉભા રાખી દીધા હતા. તેઓ ઇકો કારમાં મુસાફરી કરી રહેલા પરિવારને બચાવવા માટે દોડયા હતા. તેઓએ પરિવારના 6 સભ્યોને ઇકો કારમાંથી બહાર કાઢ્યા હતા. તરત જ 108 ને ફોન કરીને હાલોલ હોસ્પિટલમાં પરિવારના સભ્યોને દાખલ કરવામાં આવ્યા હતા.
પરિવારના છ સભ્યોમાંથી ત્રણ સભ્યોના ખૂબ જ કરુણ મોત થઈ ગયા હતા. સારવાર દરમિયાન માસુમ બાળક એક મહિલા અને એક પુરુષનું મૃત્યુ થઈ જતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. પરિવારમાં એક સાથે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થતાં પરિવાર પર મોટો દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બાકીના ચાર સભ્યોને નાની મોટી ગંભીર ઈજાઓ થવાને કારણે તેઓની પણ સારવાર ચાલી રહી હતી.
આજકાલ આવા ગોઝારા અકસ્માત સર્જાતા એક સાથે પરિવારના ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા પરિવારમાં વેરવિખેર થઈ જાય છે. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]