આજ કાલ પ્રેમ-પ્રકરણમાં હિંસાનું પ્રમાણ વધતું જાય છે. કેમકે લગ્ન થયા બાદ પણ પતી કે પત્ની પ્રેમ સબંધમાં જોડાયેલા હોઈ તો પછી ગડદા પાટુની મારામારી તો થવાની જ ને… અત્યારે વધારે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પોતાના કોન્સ્ટેબલ પતી અને તેની પ્રેમિકાને રંગે હાથ પકડી પાડ્યા છે.
અમદાવાદ શહેરમાં બનેલી ઘટના મુજબ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને પુરષ કોન્સ્ટેબલનું પ્રેમપ્રકરણ ચારે કોર ચર્ચાનો વિષય બન્યું છે. તેઓ સાણંદ વિસ્તારમાં આવેલા રાધે સ્કાઇલાઇન ફ્લેટની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ રંગે હાથે પકડાઈ ગયા હતા ત્યાર બાદ પોલીસ ખાતામાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ સમગ્ર મામલો સાણંદ પોલીસ સ્ટેશનમાં પહોચી ચુક્યો છે.અમદાવાદના ગામડા વિસ્તારના પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પુરુષ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના સંબંધોનો મામલો સામસામી મારામારી સુધી પહોંચ્યો છે. સાણંદમાં મહિલાએ તેના કોન્સ્ટેબલ પતિને પ્રેમિકા એવી મહિલા કોન્સ્ટેબલ સાથે સાણંદના રાધે સ્કાયલાઈનમાં આવેલા એક ફ્લેટમાં પકડી પાડયા હતા.
મહિલાએ તેના પતિ અને પ્રેમિકાએ માર માર્યાની અને મારી નાંખવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. તો સામે મહિલા કોન્સ્ટેબલે મહિલા અને તેના પરિવારે રસ્તામાં રોકીને ઢોર માર મારી, કપડાં ફાડી નાંખી મારી નાંખવા ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.
સાણંદમાં રહેતી પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિના મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે આડાસંબંધ છે. એટલે તે મહિલા એકલી રહે છે. જ્યારે, પતિ એકલિંગજી રોડ ઉપર રાધે સ્કાયલાઈન ફ્લેટમાં તેમના નાના ભાઈના નામે મકાન ખરીદેલું છે ત્યાં રહે છે. પુત્રએ પિતાને મળવા જવાની જીદ પકડતાં મહિલા તેમને લઈને રાધે સ્કાયલાઈન ઉપર ગયા હતા.
દરમિયાન ફ્લેટમાં પતિ અને તેની પ્રેમિકા હતી. આ મહિલાને જોતા પતિ અને પ્રેમિકાએ તેને માર માર્યો હતો. થોડીવાર બાદ પ્રેમિકા ત્યાંથી ભાગી ગઇ હતી અને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
એ પછી મહિલા પોલીસ સ્ટેશન જઈ ને ત્યાં તેમના માતા પિતા પણ આવ્યા હતા. મહિલાની તબિયત લથડતા તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]