Breaking News

પત્ની સાથેના આડા સબંધની શંકામાં અપહરણ કર્યા બાદ માતાજીના મઢમાં ઉકળતા તેલમાં હાથ નખાવ્યા.. અંધશ્રદ્ધાનો વધુ એક કેસ..!

ડિજિટલ યુગની સદીમાં પણ અંધશ્રદ્ધા નાબૂદ થવાના મૂડમાં નથી ગામડાના વિસ્તારોમાં હજુ પણ ત્યાં ક્યાંક અંધશ્રદ્ધાના બનાવો નજર સામે આવતા હોય છે જેમાં ગુજરાત માં પણ બે કિસ્સા સામે આવ્યા હતા જેમાં એક કિસ્સામાં એક મહિલાને ડાકણ કહી હતી અને ત્યારબાદ તેના પર આખા ગામે ભેગા મળીને વાર કર્યો હતો…

અને એક કિસ્સામાં તો ગરમ તેલમાં હાથ નખવડાવ્યા હતા વધુ એક કિસ્સો જેતપુરમાં બન્યો છે. જેતપુરમાં રેહતા એક યુવકને પોતાની જ પત્ની સાથે આડા સંબંધની શંકા વિક્રમ ભગવાનજીભાઈ જાદવ નામના યુવક પર હતી. તેથી યુવકે એક મહિલા અને બીજા બે શખસોની સાથે મળી વિક્રમ ભગવાનજીભાઈ જાદવનુ અપહરણ કર્યું હતું.

આ યુવાન પર ત્રણેય શખસોએ છરીથી હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.પરંતુ યુવાન ત્યાંથી ભાગી ગયો હતો અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. અપહરણ બાદ ૩નેય લોકોએ વિક્રમ ભગવાનજીભાઈ જાદવને માતાજીના મઢમાં લઈ જવામાં આવ્યો હતો.

ત્યાં વિક્રમ ભગવાનજીભાઈ જાદવ સાથે અંધશ્રધ્ધાનો કિસ્સો બન્યો હતો. યુવકને કહેવામાં આવ્યું કે જો તારે મારી પત્ની સાથે સંબંધ ન હોય તો ધગધગતા તેલના તાવડામાં હાથ નાખ. પરંતુ યુવાને તેવું કર્યું નહોતું. પછી ત્રણ શખસોએ યુવાનનો હાથ પકડીને તાવડામાં નાખ્યો હતો. આ ઘટનામાં યુવાનનો હાથ બળી ગયો હતો.

આ ઘટના જેતપૂરના ગિવીંદરો વિસ્તારમાં માતાજીના મઢમાં બની છે. ગરમ તેલમાં હાથ નંખાવ્યા હોવાની ઘટના સામે આવતા જ ભારે હલબલી મચી ગઈ છે. હાલ યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ આ ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરવા માટે તેમને શોધી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *