પરિવારમાં ચાલતા પારિવારિક ઝઘડાઓને કારણે પતિ-પત્ની ગુસ્સામાં ઉશ્કેરાઈ જઈને તેમના પરિવારના લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. પતિ-પત્ની પોતાના બાળકોનું ન વિચારીને ગુસ્સામાં એકબીજા સાથે એવી ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે. જેના કારણે બનતા ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
હાલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. આ કિસ્સો મથુરામાં આવેલા મહાવન વિસ્તારના અવેની ગામમાં બની હતી. પરિવારના લોકો ગામમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં પતિ-પત્ની અને તેમનો 10 વર્ષનો દીકરો છે. મહાવનના અવેની ગામમાં રમેશભાઈનો પરિવાર રહેતો હતો.
રમેશભાઈના લગ્ન 26 વર્ષ પહેલા નિર્મલા નામની યુવતી સાથે થયા હતા. નિર્મલાનો પરિવાર આગ્રા જિલ્લામાં આવેલા નૌશેરા જાલેસરમાં રહે છે. નિર્મલાને લગ્ન બાદ 3 દીકરા અને 1 દીકરી છે, જેમાં સૌથી મોટાની ઉંમર 24 વર્ષની છે, મોટા દીકરાનું નામ બલવીર છે. તેણે લગ્ન કરી નાખ્યા છે અને તે પોતાની પત્ની સાથે માતા-પિતા થી અલગ રહે છે.
બીજા દીકરાનું નામ રાજુ છે. રાજુ ની ઉમર 22 વર્ષની છે. રાજુના પણ લગ્ન કરાવી નાખવામાં આવ્યા છે. રાજુ પોતાની પત્ની સાથે પણ અલગ રહે છે. ત્રીજા દીકરાનું નામ આકાશ છે. આકાશની ઉંમર 10 વર્ષની છે. તે પોતાના માતા પિતા સાથે રહે છે. નિર્મલા અને તેના પતિને વારંવાર ઝઘડાઓ થતા હતા જેના કારણે નિર્મલા તેમના સગા સંબંધીને ત્યાં રહેવા જતી રહી હતી.
પરંતુ તે એક દિવસ પહેલા જ તેના પતિ પાસે રહેવા આવી હતી. નિર્મલાનો પતિ રમેશ ઘણા સમયથી મગફળીની લારી કરીને મગફળી વેચવાનું કામ કરતો અને એક દિવસ નિર્મલા અને તેમનો દીકરો આકાશ એક ખાટલામાં ઘરની બહાર સૂઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ નિર્મલા નો પતિ રમેશ તેમની પાસે આવ્યો હતો.
અને નિર્મલા સાથે ઝઘડો કરવા લાગ્યો જેના કારણે ઝઘડામાં નિર્મલાને પતિએ માર માર્યો, જેના કારણે બાજુમાં સૂઈ રહેલો દીકરો જાગી ગયો હતો. નિર્મલા ખૂબ જ મોટે-મોટેથી રડવા લાગી જેના કારણે આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા. આસપાસના લોકોએ જોયું કે નિર્મલા નો પતિ રમેશ નિર્મલા પર ધારદાર હથિયાર લઈને હુમલો કરી રહ્યો હતો.
આસપાસના લોકો અને તેમનો દીકરો બચાવવા માટે વચ્ચે પડ્યા તો દીકરાની ધારદાર હથિયાર વડે જમણી આંગળી પર વાગી ગયું હતું. જેના કારણે દીકરો દૂર જતો રહ્યો હતો. ત્યારબાદ નિર્મલાના પતિએ નિર્મલા પર ધારદાર હથિયારના ઘા મારીને તે ત્યાંથી દરેક આસપાસના લોકોને જોઈને ભાગી ગયો હતો.
આસપાસના લોકો તરત જ નિર્મલા પાસે પહોંચ્યા હતા. ત્યારે જોયું તો નિર્મલાનું મૃત્યુ થઈ ગયું હતું. નિર્મલાને માથાના અને છાતીના ભાગમાં ધારદાર હથિયાર વાગી ગયું હોવાને કારણે ખૂબ જ લોહી વહી રહ્યું હતું જેના કારણે પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસઘટના સ્થળે પહોંચી હતી અને તેમના પતિની પણ તપાસ કરી રહી હતી.
નિર્મલા ની દીકરી નું નામ અંજલી હતું. તેના પણ લગ્ન થઈ ગયા હતા. અંજલિ તેમના પતિ સાથે સાસરીયે રહેતી હતી. પોલીસ નિર્મલાના પતિની પૂછપરછ કરી રહી હતી. તે સમયે નિર્મલાનો પતિ ગામના બહારથી મળી આવ્યો હતો. તેમની પોલીસે તેમની ધરપકડ કરીને દરેક પૂછપરછ કરી હતી. તે સમયે નિર્મલાના પતિ રમેશે જણાવ્યું હતું કે,..
નિર્મલા જેટલી સીધી દેખાય તેવી સીધી ન હતી. તેને અન્ય લોકો સાથે પણ સંપર્ક હતા અને તે વારંવાર પૈસાની માંગણી કરતી હતી. હું મગફળીનો લારી ચલાવીને ઘરનો ખર્ચો પૂરો કરતો હતો પરંતુ વારંવાર પૈસા માગવાની કારણે હું ખૂબ જ કંટાળી ગયો હતો. જેના કારણે ઘરમાં ઝઘડા થતા હતા અને ગુસ્સામાં આવીને નિર્મલા સાથે આવી ઘટના કરી નાખી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]