પતિ અને પત્નીના લગ્નજીવન દરમિયાન જો બંને વ્યક્તિના વિચાર એકબીજા સાથે ન મળે તો આ લગ્નજીવન લાંબો સમય સુધી ચાલી શકતું નથી. જો કોઈ વાર પત્નીની ભૂલ હોય તો પતિએ તેને માફ કરીને રાજી ખુશીથી જીવન જીવવું જોઈએ, તો અમુક વખત જો પતિની ભૂલ હોય તો પત્નીએ પણ માફ કરી દેવું જોઈએ..
અને તમામ મનની ખટાશોને ભુલાવી દઈને ખુશીથી જીવન જીવવું જોઈએ, પરંતુ અત્યારે પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિ પોતાની વિચારધારા ઉપર અડગ રહે છે. જેને કારણે ઝઘડાઓ વધી જાય છે અને અંતે વાતચિત છુટાછેડા સુધી પણ પહોંચી જતી હોય છે. આ ઉપરાંત નાની અમથી શંકા પણ ખૂબ મોટો ઝઘડો કરાવી શકે છે..
અત્યારે કંઈક આ પ્રકારનો જ એક મામલો સામે આવ્યો છે, જે ઓમકાર નગર સોસાયટીની શેરી નંબર ત્રણમાં રહેતા બકુલભાઈ સાથે બન્યો છે. એના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલાં કીર્તિબેન નામની મહિલા સાથે થયા હતા. છેલ્લા કેટલાક સમયથી બકુલભાઈને તેમની પત્ની કીર્તિબેન ઉપર શંકા જવા લાગી હતી..
કારણ કે કિર્તીબેન જ્યારે પણ નવરાશનો સમય અનુભવે ત્યારે પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેતા હતા. બકુલભાઈએ તેમને પૂછવાની કોશિશ કરી હતી કે, તું શા માટે વારંવાર મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહે છે..? પરિવારજનો સાથે બેસીને સમય વિતાવવો જોઈએ, એના બદલે તું પોતાના જ મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહે છે..
અને અન્ય સભ્યોને સમય આપી શકતી નથી. ત્યારે કિર્તીબેને જણાવ્યું કે, તેને મોબાઈલ ફોનના માધ્યમથી ઘણું બધું નોલેજ મળે છે. એટલા માટે તે મોબાઇલ ફોન ને સમય આપી રહી છે. પરંતુ આ વાત બકુલભાઈ ને કોઈ કાળે ગળે ઉતરી નહીં. એક દિવસ જ્યારે રાત્રીના સમયે બકુલભાઈ પોતાની નોકરીએ થી ઘરે આવ્યા..
ત્યારબાદ પરિવારજનોએ સાથે બેસીને ભોજન લીધું અને સૌ કોઈ લોકો પોતપોતાની રૂમમાં સૂઈ ગયા હતા. ત્યારે બકુલભાઈએ તેમની પત્ની કીર્તિબેનના સૂઈ ગયા બાદ તેમની ઓશિકા નીચે રહેલો ફોન હળવેકથી સેરવી લીધો હતો અને આ મોબાઈલ ફોનને ચેક કરવાની કોશિશ કરી હતી. તેને તેની પત્ની ઉપર વારંવાર શંકા જતી હતી..
એટલા માટે તેઓએ મોબાઈલ ફોન ચેક કરવાનું વિચાર્યું હતું. આ વિચાર મુજબ તેઓએ જ્યારે મોબાઈલ ફોન ચેક કર્યો ત્યારે અંદરથી જે ચીજ વસ્તુઓ મળી આવી છે. તે જોઈને તેમના હોશ છૂટી ગયા હતા અને સવાર થતાની સાથે તો વાત છુટાછેડા સુધી પણ પહોંચી ગઈ હતી. બકુલભાઈએ તેમની પત્ની કીર્તિબેનના મોબાઈલ ફોનમાં જોયું કે..
કીર્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય કોઈ યુવક સાથે પ્રેમ ભરી વાતચીત કરી રહી છે. આ ઉપરાંત કીર્તિએ અન્ય કોઈ યુવકને પ્રેમ કરે છે. જેના અંગત અને ખૂબ જ ખરાબ ફોટો અને વિડીયો પણ મળી આવ્યા હતા. આ પ્રકારના વિડીયો જોવા કોઈ પણ વ્યક્તિ માટે સહેલા નથી..
ત્યારે આ ઘટનાની જાણ કરી સવારમાં પરિવારના અન્ય સભ્યો સુધી પણ પહોંચી ગઈ હતી વડીલો તો આ દ્રશ્ય જોતાની સાથે જ શરમનો અનુભવ કરવા લાગ્યા હતા. બકુલભાઈએ પણ જણાવી દીધું કે, હવે આ લગ્નજીવન એક પણ ઘડી ટકી શકશે નહીં. મેં ક્યારેય પણ મારી પત્નીને આવી ધારી ન હતી..
પરંતુ તેણે મને જ દગો આપીને અન્ય કોઈ યુવક સાથે રાતો વિતાવી છે. આ ઘટના બન્યા બાદ પરિવારમાં વાદવિવાદ સર્જાઈ ગયો હતો અને અંતે બકુલભાઈ અને કીર્તિબેનના છૂટાછેડા પણ થઈ ગયા હતા. ઘટનાની જાણકારી જ્યારે ગામના અન્ય લોકો સુધી પહોંચી ત્યારે બકુલભાઈ ના પિતા ને સૌ કોઈ લોકો મહેનતોડા મારવા લાગ્યા હતા..
અને કહેવા લાગ્યા કે, જે વ્યક્તિ પોતાનું ઘર પણ સાચવી શકતો નથી. તે અન્ય કોઈ વ્યક્તિને સલાહ શિખામણ આપવા નીકળી હાલ્યો છે. પહેલા પોતાનું ઘર સંભાળવું જોઈએ અને પછી બીજા વ્યક્તિને સલાહ શિખામણો આપવી જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]