પતિ અને પત્ની બંને જો સમજદાર હોય તો તેમનું લગ્નજીવન ખૂબ જ સારું ચાલે છે. પરંતુ જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિની કમી દેખાવા લાગે તો ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાઈ જતી હોય છે, અત્યારે પ્રીતમ કુમાર નામના 54 વર્ષના એક વ્યક્તિ માટે ખૂબ જ મોટી આફત આવી પડી હતી..
પ્રીતમ કુમારની પત્ની પુરીબેનનું આજથી 17 વર્ષ પહેલા ગંભીર બીમારીને કારણે અવસાન થઈ ગયું હતું. ત્યારબાદથી પ્રીતમ કુમાર ઉપર તેના પાંચે બાળકોને સાચવવા માટેની જવાબદારી આવી પહોંચી હતી. પ્રીતમ કુમારને ગામમાં અન્ય કોઈ સગા સંબંધી રહેતા હતા નહીં એટલા માટે તેના પાંચેય બાળકોને મોટા કરવા અને તેમને ભણાવી ગણાવીને સફળ વ્યક્તિ બનાવવા સુધીની જવાબદારી..
પ્રિતમ કુમાર ઉપર આવી પહોંચી હતી, આવા સમયે તેઓએ હિંમત હારી નહીં અને ખૂબ જ સાહસથી કામ લીધું હતું અને એ સાહસના બળ ઉપર અત્યારે પ્રિતમ કુમારનો સમગ્ર ગામમાં ડંકો વાગી રહ્યો છે. પ્રીતમ કુમારનો પરિવાર પહેલેથી જ મધ્યમ વર્ગીય હતો. તેની પત્નીના અવસાન બાદ તેનો સૌથી મોટો પુત્ર ધોરણ 9 માં ભણી રહ્યો હતો..
જ્યારે તેનો નાનો દીકરો ધોરણ પાંચમાં અભ્યાસ કરતો, આ ઉપરાંત તેની બાળકીઓ હજુ ઘરે જ રહીને અભ્યાસ કરી રહી હતી. પુરીબેનના મૃત્યુ બાદ તેઓએ આ પાંચે બાળકોને ભણાવવા ગણાવવા માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતા. ગામડામાં ખૂબ જ મોટા ખેડૂતોને ખેતરમાં જમીન વાવવાનું શરૂ કરી દીધું હતું..
પ્રીતમકુમાર પહેલેથી જ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. પરંતુ તેની પાસે પોતાની જમીન ન હોવાને કારણે તે રોજ દાડીયા કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ તેનામાં ઘણી બધી આવડત હોવાને કારણે તેણે લોકોની જમીન ટકાવારી ઉપર વાવવા માટે લઈ લીધી હતી અને તેની સુજબુજને કારણે તે ધીમે ધીમે જમીન વાવવા માટે અન્ય મજૂરોને પણ પૈસા આપીને કામ કરાવવા માટે લઈ આવતો હતો..
ધીમે-ધીમે તેણે આસપાસના ગામડાઓમાં કુલ મળીને 450 વીઘા જેટલી જમીનમાં વાવેતર શરૂ કરી દીધું હતું અને બધી જગ્યાએ મેનેજમેન્ટથી કામ લેતો હોવાથી તેને ખૂબ જ સારી કમાણી પણ થવા લાગી હતી. મોટાભાગના ખેતરની અંદર તે કપાસનો પાક લેતો અને ખૂબ જ સારી કમાણી કરીને તેના પાછી બાળકોને ભણાવી ગણાવીને ખૂબ જ મોટા બનાવી દીધા હતા..
તેના બંને દીકરા અત્યારે કેમિકલ અને દવાના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમજ તેની ત્રણેય દીકરીઓ પણ હાલ શાળા અને કોલેજનો અભ્યાસ કરી રહી છે. પ્રીતમ કુમારની પત્ની પુરીબેનનું અવસાન થયા બાદ પાંચ બાળકોને સંભાળવાની જવાબદારી તેના માથે આવી પડી હતી પરંતુ તેને એક પણ વાર મૂંઝાયા વગર પોતાની આવડતથી ખેતીનો વ્યવસાય શરૂ કરી દીધો હતો..
અને અત્યારે પ્રીતમ કુમારનો ડંકો આસપાસના ઘણા બધા ગામમાં બોલી રહ્યો છે. આ ઘટના કનિતપુર ગામની છે. આ ગામમાં પ્રીતમ કુમારનું એકલવાયુ ઘર ગામના પાદરે આવેલું છે. પ્રીતમ કુમારની એટલી મોટી સફળતા જોયા બાદ સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, ભગવાન ખુદ પ્રસન્ન થઈને પ્રિતમ કુમારનો સાથ આપવા માટે આવી પહોંચ્યા છે..
કારણ કે આટલી મોટી સફળતા મેળવી કોઈ મામુલી વાત કહેવાય નહીં હાલના સમયમાં પણ પ્રીતમ કુમાર ઘણા બધા લોકોની જમીનમાં વાવેતર કરી રહ્યો છે. અને ટકાવારી ઉપર કમાણી પણ કરી રહ્યો છે. હકીકતમાં જે વ્યક્તિ ખુબ જ મહેનત કરે છે તેને ભગવાન એક ને એક દિવસ જરૂર સફળ બનાવે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]