પતિ અને પત્નીના ઝગડાના કિસ્સા તો આપણે ઘણા બધા સાંભળ્યા છે. પરંતુ અત્યારે તેમના પ્રેમનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. તે જાણીને સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા છે. પરંતુ અત્યારે આ મામલો ખુબ જ ગુંચવાયેલી હાલતમાં છે. આ ઘટના રાજસ્થાનના બાડમેરની છે. અહીં અગાઉ ગામની અંદર રહેતી 23 વર્ષની ટીપુ દેવીના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ તેના ગામના 25 વર્ષના તગારામ નામના યુવક સાથે થયા હતા.
લગ્ન જીવન શરૂઆતમાં ખૂબ જ સારું ચાલતું હતું. પરંતુ જેમ-જેમ લગ્ન જીવન આગળ વધતું ગયું તેમ તેમના સાસરિયાંઓ તરફથી દહેજ લાવવાની બાબતને લઈને હેરાનગતિ પહોંચાડવામાં આવતી હતી. આ બાબતોથી કંટાળી જઈને તેણે રાતના સમયે પાણીના ટાંકામાં કૂદીને આપઘાત કરી લીધો હતો..
જ્યારે આ ઘટનાની જાણકારીઓ સામે જુદા-જુદા આરોપો પણ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ટીપુ દેવીના લાશને માટે નજીકની મેડિકલ બોર્ડમાં મોકલી આપી હતી. ત્યાંથી તેના પરિવારજનોને લાશ આપી દેવામાં આવી હતી. અને તેના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા..
પરંતુ આ અંતિમ સંસ્કારની કામગીરી જેવી પૂર્ણ થઇ કે, બીજી એક મોટી ઘટના બની જવા પામી હતી. ટીપુ દેવીના પતિ તગારામ એ ઝેરીટીકડા ગટગટાવી લીધા હતા. જ્યારે પરિવારજનોને ખબર પડી કે તગારામેં ઝેરી ટીકડા પીઈ લીધા છે, ત્યારે તેને તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો..
હાલ તેની સારવાર ચાલી રહી છે. જ્યારે તગારામને પૂછવામાં આવ્યો કે તેણે શા માટે આ પગલું ભર્યું છે, ત્યારે તેણે અંતિમ ચિઠ્ઠી આપી હતી. તેની પત્નીએ પાણીના ટાંકામાં કૂદીને આપઘાત કરી લીધો હતો. એટલા માટે હવે મારે પણ મરી જવું છે. મારી પત્નીના ચાલ્યા ગયા બાદ હવે તે ખૂબ જ એકલવાયું જીવન જીવવા માંગતો નથી..
તેની જિંદગી માન્ય કોઈ પણ વ્યક્તિ નથી અને તેની તબિયત પણ ઠીક રહેતી નથી. એટલા માટે હવે તે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવવા માંગે છે. પરંતુ સદનસીબે હોસ્પિટલ પહોંચી જતા તેનો જીવ બચી ગયો છે. આ તમામ બાબતો તેણે લખેલી અંતિમ ચિઠ્ઠીની અંદરથી મળી આવી છે..
તગારામની તેના પિતાના સાથે જમીનની બાબતોને લઈને વિવાદ ચાલતો હતો. એટલા માટે તે તેની પત્ની સાથે એકલું જીવન જીવતો હતો. આ મામલામાં આગામી તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ કોઈ પણ ચોક્કસ માહિતી મળી આવી નથી. પરંતુ આ ઘટનાએ સમગ્ર ગામના લોકોને હચમચાવી દીધા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]