Breaking News

પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કપાસના ખેતર ન કરવાનું કરી નાખ્યું, શંકા જતા જ પોલીસને પણ કહ્યું એવું જેનાથી પોલીસ પણ ચકરાવે ચડી ગઈ..!

આજકાલ હત્યાના બનાવોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આવામાં રાજસ્થાન રાજ્યના હનુમાનગઢમાં હજુ એક હત્યાના બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં એક પત્ની દ્વારા પોતાના જ પતિનું હત્યા કરી દેવાનું સામે આવ્યું છે. રાજસ્થાન રાજ્યના હનુમાનગઢ માં આવેલા કોહલા ગામમાં કૃષ્ણલાલ અને તેનો પરિવાર રહેતો હતો.

આજથી સાત મહિના પહેલા કૃષ્ણલાલની પત્ની ચંદ્રકલા દ્વારા કૃષ્ણલાલના ગુમ થયાની ફરિયાદ હનુમાનગઢના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવી હતી. પોલીસ આ બાબત પર તપાસ કરી રહી હતી પરંતુ તેમને ઘણા લાંબા સમય બાદ પણ કૃષ્ણલાલની કોઈ પણ જાણ મળી ન હતી.

આ ઘટનાને સાત મહિના વિતી ચુક્યા હતા. પરંતુ થોડા દિવસો પહેલા કૃષ્ણલાલ ની બહેનને તેના ભાભી ચંદ્રકલા પર શંકા જવાના કારણે તેણે પોલીસને આ બાબતે વધુ કડક તપાસ કરવા જણાવ્યું હતું. હનુમાનગઢ પોલીસ સ્ટેશનના મુખ્ય પોલીસ કર્મી દિનેશ સારણ દ્વારા ચંદ્રકલા ની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે તેણે પોતાના પ્રેમી સુનિલ સાથે લગ્ન કરવા માટે પોતાના પતિ ની હ.ત્યા. કરી હતી.

ચંદ્રકલા અને સુનિલએ સાત મહિના પહેલા કૃષ્ણલાલની હત્યા કરીને તેને નજીકના ખેતરમાં દફનાવી દીધો હતો. જેથી કોઈને એ બાબતની જાણ ન થાય. જ્યારે સુનિલ અને ચંદ્રકલાને બીજી વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા તે પહેલાં બંને ગામ છોડીને ભાગી ગયા હતા. જેથી પોલીસ દ્વારા તેને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

ઘણા પ્રયત્નો બાદ પણ પોલીસને તે બંનેની કોઈપણ જાણ મળી ન હતી. પરંતુ ગઈકાલે રાજસ્થાન પોલીસ ને સુનિલ અને ચંદ્રકલાની પંજાબમાં હોવાની જાણ મળી હતી. જેથી મુખ્ય પોલીસકર્મી દિનેશ સારણ અને તેમના સહપોલીસકર્મી દ્વારા પંજાબ જઈને તે બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા.

તેમજ ખેતરમાંથી કૃષ્ણલાલના મૃતદેહને કાઢીને તેના પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત સુનિલ અને ચંદ્રકલાની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પરિવારમાંથી એક નવયુવાનનું મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *