પરિવારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે પરંતુ આવા ઝઘડાઓમાં પતિ-પત્ની મુશ્કેરાઈ જઈને તેમના જ બાળકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. નિર્દોષ બાળકો માતા-પિતાના ઝઘડામાં પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં બંટીડા વિસ્તારમાં બની હતી.
આદમપુરા ગામમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની તેમની બાળકી અને યુવકના પિતા રહે છે. પિતાનું નામ ગુર્ચીદ સિંહ છે અને તેમના દીકરાનું નામ જગદીશ છે. જગદીશ સિંહના લગ્ન 5 વર્ષ પહેલા ગિલ કલાનંદમાં રહેતી યુવતી સાથે થયા હતા. યુવતીનું નામ જસ્વીન્દર છે. જગદીશ મર્ચન્ટ નેવીમાં પોતાની ફરજ બજાવતા હતા.
ત્યારબાદ થોડા સમય બાદ જગદીશે નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ જગદીશ તેના પિતા સાથે ગામમાં રહીને ખેતી કરી રહ્યો હતો. જગદીશ અને જસ્મીનદારને સંતાનમાં એક બાળકી હતી. બાળકી છ મહિનાની હતી. બાળકી પરિવારમાં માતા અને તેના દાદાને ખુબ જ પ્રિય હતી. જગદીશને વિદેશમાં રહેતી મહિલા સાથે ઘણા સમયથી સંબંધ હતો.
જગદીશ વિદેશી મહિલા સાથે લગ્ન કરવા માગતો હતો. તે બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાને કારણે તે પોતાની દીકરીને પણ પસંદ ન કરતો અને તેમની પત્ની સાથે પણ તે રહેવા માંગતો ન હતો. જેના કારણે જગદીશને વિદેશની મહિલા સાથે બીજા લગ્ન કરવા હતા. આ બાબતે જસવીંદરે ના પાડતાં જગદીશ ગુસ્સે થયો હતો.
એક દિવસ તે પોતાની દીકરીને એકનુરને ખોળામાં લઈને બેસી ગયો હતો અને તે ખોળામાં બાળકીને ઉચકીને વહાલ કરી રહ્યો હતો ત્યારબાદ અચાનક જ તેણે બાળકીને પગથી પકડીને ઉંધી કરી નાખી અને ત્યારબાદ રૂમમાં દરવાજા પાસે આવેલા થાંભલા પર જોરથી ફેંકી દીધી હતી. થાંભલા સાથે દીકરીનું માથું અથડાતા જ દીકરી ત્યાંને ત્યાં જ મૃત્યુ પામી હતી.
તે સમયે જસવિંદર અને તે તેના સસરા ગુરજીતસિંહ દીકરીને બચાવવા માટે આવ્યા ત્યારે જગદીશએ ઘરમાં પડેલો પાવડો ઉપાડીને જસવિન્દરના માથા પર માર્યો હતો. જેના કારણે જસવિન્દર ઘાયલ થઈ ગઈ ત્યારબાદ જગદીશે બીજી વાર પાવડાથી હાથ પર માર્યો જેના કારણે જસવીંદનો હાથ ભાંગી ગયો હતો.
અને જગદીશએ તેના પિતાને પણ ડાબા હાથ પર પાવડો માર્યો હતો. જેના કારણે પિતાનો પણ હાથ ભાંગી ગયો ત્યારબાદ જગદીશ ઘરમાંથી ભાગી ગયો હતો. જસવિન્દર અને તેના સસરાએ જગદીશ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ઘરે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી.
ત્યારબાદ જગદીશની તપાસ પોલીસ કરી રહી હતી. એક માસુમ દિકરી સાથે તેના જ પિતાએ આવી ઘટના કરી નાખતા દીકરી મૃત્યુ પામી હતી. ત્યારબાદ દિકરીને પોતાના હાથેથી જ ફેંકીને દીકરીનો જીવ લીધો હતો. આજકાલ માતા-પિતા પોતાના અંગત સબંધો માટે તેમના જ પરિવારના લોકો સાથે આવી ઘટના કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]