વ્યસન ભલભલા લોકોની જિંદગી ખરાબ કરી નાખે છે. અત્યારે વ્યસનના રવાડે ચડેલા એક વ્યક્તિએ એવું કામ કરી નાખ્યું છે કે, હવે તે ધરાઈ ધરાઈને પછતાઈ રહ્યો છે. પરંતુ હવે તેના પાસે માફી માંગવા માટે પણ શબ્દો બચ્યા નથી, આ ઘટના હરિયાણાના ફરીદાબાદ શહેરની છે. અહીં એક વ્યક્તિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી..
જ્યારે પોલીસને ખબર પડી ત્યારે આ યુવકને પકડવા માટે જુદી-જુદી ટીમો પણ બનાવી નાખી હતી. પરંતુ આ યુવક એટલો બધો ચતુર હતું કે તે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહીત જુદા-જુદા જગ્યા ઉપર જગ્યા બદલીને રહેવા લાગ્યો હતો અને પોલીસને ચકમો આપવા લાગ્યો હતો..
પરંતુ પોલીસની સુજબુજ અને કર્મનિષ્ઠતાને કારણે આજે આ યુવક પકડાઈ ગયો છે. આ યુવકનું નામ પિંકુ હોવાનું સામે આવ્યું છે. જે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો રહેવાસી છે. તેના લગ્ન આજથી છ વર્ષ પહેલા કલ્પના નામની એક મહિલા સાથે થયા હતા, પતિ પત્ની બંને ફરીદાબાદના ખેડીકલા ગામની અંદર ભઠ્ઠા ઉપર રોજની મજૂરી કરતા હતા..
અને જીવન ગુજારતા હતા. જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ પિંકુને દારૂ પીવાની લત લાગી ગઈ હતી, તે રોજ રોજ દારૂ પીને ઘરે આવતો અને તેની પત્ની સાથે લડાઈ ઝઘડો કરવા લાગતો હતો. જ્યારે કલ્પનાએ પિંકુને દારૂ પીવાની ના પાડી ત્યારે પિંકુ ખૂબ જ ગુસ્સે ભરાઈ જતો અને તેની પત્નીને ઢોર મારવા લાગતો હતો..
એક દિવસ તો એટલો બધો ગુસ્સે ભરાઈ ગયો કે, તેણે કલ્પનાને મોઢું પકડીને તેને ભઠાની અંદર સળગતી આગમાં ફેંકી દીધી હતી. કલ્પનાનો ચહેરો તેમજ શરીર બળવા લાગ્યું હતું. બીજા દિવસે તેને આસપાસના લોકો હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા, પરંતુ ટૂંકી સારવાર બાદ તરત જ તેનું મૃત્યુ થઈ ગયું હતું..
જ્યારે આ ઘટના બની ત્યારથી પિંકુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, પોલીસ તેને પકડવા માટે વાથામણ કરતી હતી, પરંતુ તે પોલીસના હાથે ન ચડતા અંતે આ આરોપી ઉપર 5000 રૂપિયાનું રોકડ ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. જ્યારે પોલીસને અંગત સૂત્રો તરફથી માહિતી મળી કે, આરોપી ફરિદાબાદ આવી પહોંચ્યો છે.
ત્યારે સુરક્ષા વધારીને પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. આ ઘટના બન્યાના છ મહિના વીતી ચુક્યા છે અને છ મહિના પછી આ આરોપી પોલીસની પકડમાં આવી જતા અત્યારે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દારૂ જેવી નશાકારક ચીજ વસ્તુઓના રવાડે ચડતી વખતે 100 વખત વિચાર કરવો જોઈએ..
આજે આવી નશાકારક ચીજ વસ્તુઓના વ્યસનને કારણે એક પરિવાર બરબાદ થઈ ગયો છે. કલ્પનાના માતા પિતાને જ્યારે ખબર પડી કે તેમના જમાઈ જ કલ્પના ને મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે તેઓ તો રડી રડીને બેહાલ થઈ ગયા હતા. પિંકુના મા બાપ પણ દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. કારણ કે એક બાજુ તેમના દીકરા એ કરેલા આ કારનામાને કારણે હવે તેને જેલની સજા કાપવાનો વારો આવ્યો છે. તો એક બાજુ તેમના દીકરાની વહુને મૃત્યુ મળ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]