જેને એક અઠવાડિયાની અંદર અંદર ઘરેલુ કંકાસની અંદર અંદરને અંદર સહન કરી રહેલી મહિલાઓના શબ્દો સાંભળતાની સાથે જ આપણે વિચારમાં મૂકાઇ જઇએ તેવા બનાવો સામે આવ્યા છે. હકીકતમાં ઘણી બધી પરણિત મહિલાઓ પોતાના સાસરિયાઓના ત્રાસના કારણે અત્યાચાર સહન કરતી હોય છે..
જ્યારે અત્યાચાર સહન કરવાની ક્ષમતા પૂરી થઈ જાય છે. ત્યારે તે વધુ પગલું ભરી બેસે છે. હાલ એવો જ એક કિસ્સો સુરતના બમરોલી વિસ્તારમાંથી સામે આવતા ચકચાર મચી ગયો છે. બમરોલી રોડ પર હરિઓમ નગર સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં હરેન્દ્રસિંહ કુશવાહ નામના વ્યક્તિનો પરિવાર રહે છે..
હરેન્દ્ર સિંહની પત્નીનું નામ મોની બહેન છે. મોની બહેનની ઉંમર ૨૭ વર્ષની છે. હરેન્દ્રસિંહ અને તેની બહેનના લગ્ન માત્ર બે મહિના પહેલા થયા હતા. લગ્ન થયા ત્યારે નરેન્દ્રસિંહ પત્નીને કહેતો કે હું તને રાણીની જેમ રાખીશ. પરંતુ લગ્નના બે અઠવાડિયા બાદ શારીરિક અને માનસિક ત્રાસ પહોંચાડવા લાગ્યો હતો..
તે અવાર નવાર તેની પત્ની મોનીબહેનને કહેતો હતો કે મારે બીજા લગ્ન કરવાની ઈચ્છા છે. તારે મરવું હોય તો તું મરી જશે. આ સાથે સાથે તે તેની પત્નીને ખૂબ જ ત્રાસ પહોંચાડતો હતો. પતિના ખૂબ જ અઘરા શબ્દ સાંભળતાની સાથે જ મોનીબહેનને લાગી આવ્યું હતું કે મારા પતિને તો બીજા લગ્ન કરવા હોય તો મારી જરૂરિયાત છે..
એમ વિચારીને તેઓએ ઘરના બાથરૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. આગળના દિવસે પતિએ કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જશે અને બીજા દિવસે સવારે બાથરૂમમાં ફાંસો ખાઈ લેતા મોની બહેન ના માતા પિતા નો કરુણ આક્રંદ જોવા મળ્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે પતિએ બાથરૂમનો દરવાજો ખોલી અને જોયું તો તેમની પત્ની લટકી રહી હતી..
આ જોતાની સાથે જ તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે તે દરેક બાબતોને સહેલાઈથી લેતો હતો. પરંતુ તેના અઘરા શબ્દો તેની પત્નીએ મગજ ઉપર લઈને આત્મહત્યા કરી નાખી હતી. આ બાબતની જાણ જ્યારે એની બહેનના માતા-પિતાને થઈ હતી. ત્યારે તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા..
તેઓએ તેમના જમાઇ સામે પાંડેસરા પોલીસ મથકમાં આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાના ગુનામાં ફરિયાદ નોંધાવી છે. આ મામલાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ખરેખર આ મામલો ખુબ જ ગંભીર સાબિત થયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]