Breaking News

પતિએ ઘરે કામવાળી રાખવાની ના પડતા પત્નીએ 4થા માળેથી લગાવી દીધી છલાંગ, ચોંકાવનારો કિસ્સો..

આજકાલનો નજેવી બાબતો ઉપર આપઘાત કરીને પોતાનો જીવ ટૂંકાવી દેવો તે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી રોજ અનેક એવા કિસ્સાઓ આપણે સાંભળવામાં આવતા હોય છે કે નજેવા ઘરેલુ ઝઘડાઓમાં કે નાની અમથી ગેરસમજણમાં લોકો આપઘાત કરીને પોતાના જીવન ટૂંકાવી દેતા હોય છે..

જેના પગલે તેની પાછળ તેમનો પરિવાર બેહાલ બની જતો હોય છે. વધુ એક કિસ્સો સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સામે આવ્યો છે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે આવેલા મહાવીર એપાર્ટમેન્ટ માં અંકુર પટેલ તેની પત્ની સોનમ પટેલ અને તેમની બે મહિનાની નાની બાળકી સાથે વસવાટ કરતા હતા.

અંકુર પટેલ પોતે એન્જિનિયર છે. અને તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અંકુર અને સોનમ ની પુત્રી બે મહિનાની હોવાથી તેની સાર-સંભાળ રાખવા માટે સોનમને પૂરતો સમય ની જરૂર હતી. તેમજ બે મહિનાની પુત્રી હતી તેથી તે અવારનવાર હેરાન પણ કરતી હતી. કારણ કે તે હજુ એક નાનું બાળક હતું..

જેથી સોનમ ઘરકામ કરવા માટે અસમર્થ હતી. આ બાબત સોનમએ તેના પતિ અંકુરને જણાવી હતી. અને ઘરકામ માટે એક કામવાળી રાખવા માટે રજૂઆત કરી હતી. પરંતુ તેનો પતિ અંકુર આ બાબતે તેને ચોખ્ખી ના પાડી દીધી હતી. તેથી સોનમ અને તેનો પતિ અંકુર વચ્ચે વારંવાર આ બાબતને લઈને નાના-મોટા ઝઘડા ચાલતા હતા.

પરંતુ એકવાર સોનમ આ બાબતના ઝઘડાને લઇને કંટાળી ગઈ અને પોતાના બે મહિનાની પુત્રી ને બાજુ પર મૂકીને એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદકો મારી દીધો હતો. આ ઘટના બનતા તરત જ ત્યાં આજુબાજુના લોકો પહોંચી ગયા હતા. અને ત્યારબાદ સોનમના ભાઈ અમિતને આ બાબતની જાણ કરતાં તે હોસ્પિટલ પહોંચ્યો હતો..

ત્યાંના સ્થાનિક લોકોની મદદથી સોનમને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ તપાસ બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે સોનમ મૃત્યુ પામી છે. આ બનાવની જાણ ખટોદરા પોલીસને થતાં તેઓ તરત જ તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં ઘરે કામવાળી રાખવા બાબતે થતા ઝઘડા ને લીધે આ પગલું ભરી લીધું છે તેવું સામે આવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *