પરિવારના લોકો પોતાના જ પરિવારના સભ્યો સાથે દૂર વ્યવહાર કરીને તેમના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. આજની યુવાન પેઢી ખૂબ જ ખરાબ રસ્તે દોરાવાને કારણે તેઓ શું કરી રહ્યા છે? તે સમજી શકતા નથી અને પોતાની નાદાનીમાં જીવલેણ ઘટનાઓ કરી નાખતા તેમના પરિવારજનોને ઘણું બધું સહન કરવું પડે છે.
આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. એક મહિલાએ પોતાના જ પરિવારના સભ્યોથી કંટાળીને પોતાની સાથે ખરાબ પગલું ભરી લીધુ હતું. આ મહિલા ટોંકના કયામખાની વિસ્તારમાં રહેતી હતી. કયામખાની વિસ્તારમાં આ પરિવાર ખુબ જ રાજી ખુશીથી રહેતું અને મહિલા તેમના પતિ અને તેમના બંને બાળકો સાથે રહેતી હતી.
પરિવારમાં પતિ તેમજ તેમના સાસરીના લોકો રહેતા હતા. મહિલાનું નામ મોનિકા હતું. મોનિકાની ઉંમર 26 વર્ષની હતી. તેના લગ્ન 7 વર્ષ પહેલા તેમના પતિ સાથે થયા હતા. જેના કારણે મોનિકા સાસરી સાથે રહેતી હતી પરંતુ સાસરે આવ્યા બાદ તેની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થવા લાગી હતી. પરિવારના સભ્યો તેમને દવાખાને લઈ જતા ન હતા.
જેના કારણે તેની માનસિક સ્થિતિ દિવસેને દિવસે બગડતી જતી હતી. અને માનસિક રીતે નબળી મોનિકા તેમના પરિવારજનોથી ખૂબ જ કંટાળી ગઈ હતી. મોનિકાને અવારનવાર પરિવાર સાથે ઝઘડાઓ થતા હતા અને તે પોતાના બંને બાળકોને સારી રીતે ભણાવી ગણાવીને સધ્ધર કરવા માગતી હતી.
મોનિકા એક દિવસ તેમના પરિવારના સભ્યોથી દૂર થઈને તેમના રૂમમાં જતી રહી હતી. સવારનો સમય રહેતા પરિવારના સભ્યોને લાગ્યું કે તેમની માનસિક સ્થિતિ સારી નથી જેના કારણે તે પોતાના રૂમમાં ગઈ છે પરંતુ મોનિકાએ રૂમમાં જઈને કર્યું એવું કે પરિવારના સભ્યો રૂમમાં દોડી આવ્યા હતા. મોનિકા લટકવા ગઈ તે સમયે તેનાથી ચીસ પડી ગઈ હતી.
અને ચીસનો અવાજ સાંભળીને પરિવારના લોકો તરત જ મોનિકાના રૂમમાં દોડવા લાગ્યા હતા. તેમનો પતિ દોડતો દોડતો મોનિકા પાસે આવ્યો હતો અને બેડરૂમમાં જઈને જોયું તો તેના પતિના પગ ધ્રુજવા લાગ્યા મોનિકા લટકી રહી હતી અને તેણે આપઘાત કરી લીધો હતો. તેના બાળકો પણ મોનિકાને આ હાલતમાં જોઈ ગયા હતા.
જેને કારણે બાળકો ગુમસુમ થઈ ગયા હતા. ત્યારબાદ તરત જ પરિવારના લોકોએ મોનિકાને નીચે ઉતારીને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડોક્ટરે તપાસ કરતા સમયે મોનિકાને મૃત જાહેર કરી હતી. જેના કારણે પોલીસના ઘટનાની જાણ કરવામાં આવી હતી. મોનિકાના પિયરના લોકોને પણ મોનિકાના મૃત્યુની જાણ થતા જ પિયરના લોકોએ સાસરીના લોકો પર આરોપો લગાવ્યા હતા.
પોલીસ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે. લોકો પોતાની જિંદગીથી પણ કંટાળીને પોતાના પરિવારનું વિચાર્યા વગર પોતાના જીવ ગુમાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]