પારિવારિક બાબતોને લઇને તેમજ ધંધાકીય અને પૈસાની બાબતોને લઈને વારંવાર ઘણાખરા લોકોને મગજમાં ટેન્સન ચાલતું હોય છે. જેના કારણે ઘણા લોકો આપઘાત કરવાના પગલા તરફ વળે છે. જે ખરેખર ખૂબ જ ખોટું છે. વડોદરા શહેરમાં વધુ એક આઘાત નો કિસ્સો નોંધાતા લોકોમાં ભારે નારાજગી દેખાઈ રહી છે..
વડોદરા શહેરના ડભોઇ રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં સંયુક્ત પરિવાર રહે છે. પરિવાર સુખ-શાંતિથી જીવન જીવતો હતો. પરંતુ એક દિવસ પરિવારની મહિલા સુનિતાએ આપઘાત કરી લેતા પરિવાર ઉપર આફત આવી પડી છે. આ આપઘાત તેણે કયા કારણોસર કર્યો તેની કોઇ ચોક્કસ માહિતી મળી નથી..
પરંતુ કોઈ અંગત કારણોસર થયા હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં મળી છે. મકાનમાં નીચેના માળે તેના દિયર અને દેરાણી રહેતા હતા જ્યારે ઉપરના માળે સુનિતા અને તેનો પતિ સિદ્ધાર્થ રહેતો હતો. સુનિતા અને સિદ્ધાર્થને બે બાળકો છે. તેઓ રાત્રે જમ્યા બાદ સુઈ ગયા હતા સવાર થતાંની સાથે જ તેમની સોસાયટીમાં શાકભાજી વેચવા વાળા પાસે સુનિતાના પતિ સિદ્ધાર્થ શાકભાજી લેવા માટે ગયો હતો..
એ સમય દરમિયાન તેના બંને બાળકોને સુતા મૂકીને સૂઈ જઈએ ફાંસો ખાઇ લીધો હતો. જ્યારે તેનો પતિ સિદ્ધાર્થ શાકભાજી લઈને ઘરમાં પરત ફર્યો ત્યારે દરવાજો ખોલતાની સાથે તેણે જોયું કે તેની પત્ની પંખા સાથે લટકી રહી છે. આ જોતાની સાથે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી..
કારણકે માત્ર 10 મિનિટ પહેલા તેણે તેની પત્નીને સુતેલી જોઈ હતી અને હવે તેની લાશ જોતા તે ઢળી પડ્યો હતો. એવામાં તેની દેરાણી પણ તેને જગાડવા માટે ઉપર આવી હતી. અને તેણે જોયું તો સુનીતા નો મૃતદેહ પડયો હતો આ જોઈને તેની દેરાણીને પણ ચીસો પાડી દીધી હતી..
એટલા માટે બાળકો પણ જાગી ગયા હતા. બાળકો પણ રડવા લાગ્યા હતા. આ બનાવને પગલે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતની જાણ જ્યારે સુનિતાના માતા-પિતાને થઈ ત્યારે તેઓ પણ ખૂબ જ ભાંગી પડ્યા હતા. કારણ કે તેઓની લાડકવાયી દીકરી જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન હતું. છતાં પણ તેને આપઘાતનું પગલું ભરી લીધું હતું હાલ પોલીસે આ મામલે તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]